ગુજરાતી માં એક કહેવત છે કે રાઈ નો પહાડ કરવો. ક્યારેક કેટલાક વ્યક્તિ ઓ નજીવી બાબત ને ખૂબ જ મોટું સ્વરૂપ આપી દેતા હોય છે. જે તેમના માટે જીવન ની સૌથી મોટી ભૂલ પણ બની જતી હોય છે. આવો જ એક બનાવ શહેરના નરોડા વિસ્તાર માં જોવા મળ્યો છે. નરોડા માં એકનાથ કોમ્પલેક્ષમાં ઓમકાર એસેસરી નામની દુકાન ધરાવતા હિતેશ પટેલે પોલીસ ફરિયાદ આપી છે કે શનિવારે સાંજ ના સમયે તેમની દુકાન પર એક ગ્રાહક સીટ કવર નખાવા માટે આવ્યો હતો.
જેથી હિતેશભાઈ એ વિજય પાર્ક બાલાજી સીટ કવર નામની દુકાન ધરાવતા વિશાલભાઈ ને ત્યાંથી સીટ કવર મંગાવ્યા હતા. વિશાલભાઈનો કારીગર સીટ કવર આપી જતા ફરિયાદી એ તેઓ ને રૂપિયા 2200 આપ્યા હતા. જો કે થોડીવાર માં વિજયભાઈના પિતા ફરિયાદીની દુકાને આવી ગયા હતા અને સીટ કવર ના 2400 રૂપિયા થતાં હતા 200 રૂપિયા ઓછા કેમ આપ્યા કહી ને બોલા ચાલી કરવા લાગ્યા હતા
ત્યારબાદ તેમને વિશાલ ને ફોન કરતા વિશાલ તેના બે મિત્રો સાથે આવી ને ફરિયાદી સાથે ઝઘડો કર્યો હતો. એવામાં વિશાલ ના મિત્ર એ બાજુ માં પડેલ પાવડો ફરિયાદીને મારતા તેમને માથા ના ભાગે લોહી નીકળવા લાગ્યુ હતું.
એટલું જ નહિ આરોપીઓએ ફરિયાદીના ગ્રાહકોની ગાડીમાં પણ તોડફોડ કરી હતી. સમગ્ર ઘટના ની જાણ પોલીસ ને કરતા પોલીસે હાલ માં ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. આમ માત્ર રૂપિયા 200ની બોલાચાલીમાં વેપારીએ જ વેપારીને માર મારી લોહીલુહાણ કરતા આસપાસના વિસ્તારનાં વેપારીઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો.જોકે, આ ઘટનામાં 200 રૂપિયાની તકરાર કેવું સ્વરૂપ ધારણ કરી શકે છે તે જાણીને પોલીસ પણ નવાઈમાં મૂકાઈ ગઈ હતી.