દેશભર માં જ્યારથી કોરોના મહામારી ચાલુ થઈ છે ત્યારથી કોરોના મહામારી ને રોકવામાં ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સદંતર નિષ્ફળ નીવડ્યું છે.ગુજરાતના મુખ્યમંત્રી હોય કે અમદાવાદ શહેરના મેયર અને કમિશ્નર હોય પણ કોરોના મહામારી ને કાબુમાં લેવાની જગ્યાએ ઉત્સવો ઉજવવામાં જ વ્યસ્ત રહેતા હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય ખાતું તો એટલું બધું ઘોર નિંદ્રા માં છે કે અનેક નેગેટિવ દર્દીઓને પણ પોઝિટિવ હોવાના રિપોર્ટ આપવામાં આવ્યા હોવાની અનેક ફરિયાદો સામે આવી હતી પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના આરોગ્ય ખાતાનું પેટ નું પાણી જરાય હલતું ન હોય તેવું લાગી રહ્યું છે જેના ઉદાહરણ સ્વરૂપે આજે આરોગ્ય ખાતાની એક ઘોર બેદરકારી સત્ય ડે ન્યૂઝ દ્વારા ઉજાગર કરવામાં આવી છે.
આજરોજ નરોડા ગામ માં રહેતી એક વ્યક્તિ દ્વારા પાલડીના ટાગોર હોલની બહાર આરોગ્ય ખાતાના ટેન્ટ ઉપર સવારે 12.30 એ રિપોર્ટ કરાવ્યો હતો જે રિપોર્ટમાં પોઝિટિવ આવ્યો હતો ત્યારબાદ દર્દીને શંકા જતા દર્દી દ્વારા પોતાના ઘર નરોડા પાસે આવેલ હરીદર્શન ચાર રસ્તા પાસે આરોગ્યખાતાના ટેન્ટમાં રિપોર્ટ કરાવ્યો હતો જેમાં રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્ય ખાતાની ઘોર બેદરકારી સામે આવી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના રિપોર્ટ સરળતાથી કરાવવા માટે બનાવેલ ટેન્ટમાં જ આવી બેદરકારી સામે આવતા આરોગ્યખાતા ની પોલમ પોલ સામે આવતા ટેસ્ટ કરાવનાર દર્દીના ભાઈ દ્વારા સત્ય ડે ની ટીમ સાથે વિશેષ ચર્ચા કરી હતી અને જણાવેલ કે આવી રીતે કેટલા લોકો ની જાત સાથે આરોગ્ય ખાતાએ ચેડાં કર્યા હશે અને આવા કેટલાય દર્દીઓ એ પોતાના પરિવારના સભ્યો ને ગુમાવવા નો વારો આવ્યો હશે.વધુમાં તેમણે જણાવેલ કે કોઈપણ ડોક્ટર તમને ગભરાવી ને પોતાના મળતીયા ની હોસ્પિટલ માં દાખલ થવાનું કહેતો જરાય દાખલ થશો નહીં અને ઘરે જ રહી ને દવા કરજો વધારે તકલીફ જણાય તો જ સરકાર દ્વારા જણાવેલ હોસ્પિટલમાં જ સારવાર લેવા જવું નહીતો પ્રાઇવેટ હોસ્પિટલ ના ડોકટરો તો રૂપિયા બનાવવા માં જ વ્યસ્ત છે તે લોકોને દર્દીની કોઈજ પડી નથી. આ વસ્તુ હું તેટલા માટે કહી રહ્યો છું કારણકે આવોજ બનાવ મારા મોટા ભાઈ સાથે ગઈકાલે જ બન્યો હતો અને નરોડા ની હંસરાજ હોસ્પિટલના ડોક્ટર દ્વારા મારા મોટા ભાઈ ને ખોટી રીતે ગભરાવી દઈ ને પોતાની હોસ્પિટલમાં દાખલ કરી દીધા હતા અને ફક્ત ને ફક્ત 5 કલાક માટે ના રૂપિયા 10000 નું બિલ બનાવી દીધું હતું જે બાદ અમોને જાણ થતાં અમોએ રજા લઈ લીધી હતી અને અમો ઘરે આવી ગયા હતા. જે પ્રમાણે હંસરાજ હોસ્પિટલ ના ડોક્ટર દ્વારા અમોને ગભરાવવામાં આવ્યા તે પ્રમાણે અમારા ભાઈ ને કોઈજ તકલીફ હાલમાં લાગી રહી નથી જેથી દરેક જાગૃત નાગરિકોને હું એક અપીલ કરું છું કે સૌથી સારી સારવાર લેવી હોય તો અમદાવાદની એસ.વી.પી. હિસ્પિટલ માં જ જવું નહીતો પ્રાઇવેટ હોસ્પિટલ ના ડોક્ટરો તો તમને લૂંટી જ લેશે જેનું ધ્યાન રાખજો.