અમદાવાદ રાજ્યની સૌથી મોટી એવી ગુજરાત યુનિર્વસીટી દ્વારા છબરડાની પરંપરા હજી ચાલુ જ રાખી છે.ગત નવેમ્બર માસમાં લેવાયેલી પરિક્ષાનુ પરિણામ હાલ યુનિર્વસીટી જાહેર કરી રહી છે.જો કે આ પરિણામોમાં છબરાડા બહાર આવી રહ્યા છે.
બે દિવસ પહેલા આવેલા સેમેસ્ટર 4 ના પરિણામમાં એક વિદ્યાર્થીએ જે વિષયની પરિક્ષા જ નથી આપી તે વિષયનુ પરિણામ જાહેર કરીને નાપાસ કર્યો હતો..ત્યારે બીજી તરફ આજે જાહેર થયેલ બી.કોમ સેમેસ્ટર 3ના પરિણામમાં વિદ્યાર્થીને પ્રથમ વર્ગની જગ્યાએ દ્વિતીય વર્ગ આપી દેવાયો. માર્કશીટમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયા પ્રમાણે 294 થી 420 ગુણ મેળવનારને પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ જાહેર કરાયા છતાંય 408 ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીને દ્વિતીય વર્ગ આપી દેવાયો. 12 ફેબ્રુઆરી 2018 જાહેર કરેલી માર્કશીટમાં વિદ્યાર્થીએ મોબાઈલથી પ્રાપ્ત કરેલા પોતાના રીઝલ્ટમાં દ્વિતીય વર્ગ જોતા અસમંજસમાં મુકાઈ ગયો હતો.
એક તરફ દેશના વડા પ્રધાન ડીજીટલ ઈન્ડીયા બનવાની વાત કરે છે. ત્યારે બીજી તરફ દેશની યુનિવર્સિટીઓ જ ડીજીટલ નથી થઈ શકી. કોમ્પ્યુટર પ્રોગ્રામમાં દાખલ સીસ્ટમ સરળતાથી નિશ્ચિત કરાતા ફોર્મેટને પણ ગુજરાત યુનિવર્સિટી અમલી કરી શકતી નથી.