દેશભરમાં ઉન્નાવ હોય, કઠુઆ હોય કે સુરત ચારે તરફ બળાત્કારનો ભોગ બનેલ દેશની દીકરીઓના આરોપીઓ માટે ફિટકાર વરસી રહ્યો છે . આખા દેશમાં ઠેર ઠેર કેન્ડલ માર્ચ અને રેલીઓનું આયોજન થઇ રહેલ છે દેશની દીકરીને ન્યાય મળે અને બળાત્કારિયોને ફાંસીની સજા થાય તે માટે સર્વે જાતિના લોકો ભેદભાવ ભૂલી એક બન્યા છે અને લોકોનો બળાત્કારીઓ પ્રત્યે આક્રોશ ઠાલવી રહ્યા છે.
તેવામાં અમદાવાદના ડિલાઇટ કોર્નર આશ્રમ રોડ ખાતે અહેમદાબાદ ખોજા શિયા ઈશના અશરી સમાજ અને સુન્ની આવમી ફોરમ દવારા મૌન ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુસ્લિમ સમાજના અગ્રણી લોકો અને યુવાઓ દવારામોં પર કાળી પટ્ટી બાંધી બળાકાત્કારીઓ ને કડકમાં કડક સજા થાય તેની માંગ સાથે આક્રોશ પ્રગટ કરવામાં આવ્યો હતો.
આ મૌન ધરણા દરમ્યાન વિવિધ બેનર સાથે મુસ્લિમ સમાજ ના લોકો રસ્તાના ડિલાઇટ કોર્નરમાં ઉભા રહ્યા હતા અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો આ મૌન ધારણા દરમ્યાન સમાજના ટ્રસ્ટી જી આર માસ્ટર અને સુન્ની આવામ ફોરમના ટ્રસ્ટીઓ ઉસ્માન ભાઈ કુરેશી અને ફિરોઝ ખાન પઠાણ તેમજ સામાજીક કાર્યક્રર અકબર ભાઈ ઘડિયાળી ખાસ ઉપસ્થિત રહી દેશ ની તમામ કોમને ભેદભાવ ભૂલી એક બની આવા બળાકાત્કારીઓને આકરામાં આકરી જાહેરમાં ફાંસીની સજા થાય અને દેશની દીકરીઓ ને પૂરો ન્યાય મળે તે માટે અપીલ કરવામાં આવી હતી.