અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે ટ્રાફિક અને પાર્કિંગ ના પ્રશ્ન ને લઈ ને અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર ત્વરિત પગલા લેવાનું જણાવે છે. આજે પાલડી અને વાસણા વિસ્તારમાં ઠેર ઠેર ગેરકાયદેસર બાંધકામો અને દુકાનો નો રાફડો ફાટી નીકળ્યો છે.ચોક્કસ કેટલાક તત્વો ના રાજકીય પીઠબળ ના કારણે અહી આવા ભૂમાફિયાઓ બેફામ બન્યા છે.ગત રોજ પશ્ચિમ ઝોનમાં અલગ અલગ જગ્યા પર દુકાનો સીલ કરવાનું અને દબાણ તોડવાનું નાટકીય કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે, ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે મેયર બીજલ પટેલ ના વોર્ડ પાલડીમાં જે લોકો એ વર્ષો થી ફરિયાદ કરેલી છે જે ફરિયાદ ના સંદર્ભે કોર્પોરેસન દ્વારા નોટીસો આપવા છત્તા મેયર બીજલ પટેલ નો વોર્ડ હોવાથી આ દબાણો દુર કરવામાં આવતા નથી, કે પછી જે નિયમિત હપ્તા આપતા હોય તેવા દબાણ તોડવામાં નહિ આવતા અને બીજા દબાણો તોડી પાડવામાં આવે છે.પાલડી વાસણા વિસ્તાર માંથી મળી રહેલી માહિતી મુજબ કેટલીક ચોક્કસ દુકાનો કેટલાક ચોક્કસ કોમ્પ્લેક્ષ અને ભોયરામાં દબાણ નહિ તોડવા માટે ખુબ જ મોટા વહીવટ થયેલા છે અને આવા લોકો ને મજબુત રાજકીય પીઠબળ મળી રહું હોઈ આવા દબાણો બાજુ થી પશ્ચિમ ઝોન ના અધિકારી ચૈતન્ય શાહ અને બ્રહ્મભટ્ટ પસાર પણ થતા નથી આ તો માત્ર કમિશ્નર ને ઉંધા ચશ્માં પહેરાવવા અને નામ પુરતી કામગીરી બતાવવા ફક્ત ને ફક્ત નાટક કરે છે.તો આવા અધિકારીઓ ને રંગે હાથે પકડવા માટે સત્ય-ડે
http://https://youtu.be/gn3HYN07sAU
ની ટીમ કટીબધ છે.