ભાજપના નેતા ગોરધન ઝડફિયાના હત્યાના કાવતરા નો સૌથી મોટો પર્દાફાશ થયો છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદના રિલિફ રોડની હોટલમાંથી એટીએસએ હત્યાના કાવતરાના શાર્પશૂટરને ઝડપી પાડ્યો હતો. મુંબઈના શાર્પશૂટર પાસેથી 9 એમએમની બે પિસ્તોલ પણ મળી આવી હતી. ત્યાર બાદ એટીએસની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
શાર્પ શૂટરનો કોરોના ટેસ્ટનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ
ત્યારે આ મામલે વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં આ ઝડપાયેલા શાર્પ શૂટરનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, અને આ રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તેવા અહેવાલ મળ્યા છે. આથી હવે ઓપરેશનમાં સંકળાયેલા એટીએસ તેમજ ક્રાઇમ બ્રાંચના તમામ અધિકારીઓનો કોરોના ટેસ્ટ થશે.
ગુજરાત ATS ના પોલીસ કર્મીઓ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું
- ગુજરાત ATS ના પોલીસ કર્મીઓ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું
- રિલીફ રોડ ઉપર આવેલી હોટલ વિનસમાં છોટા શકીલના શાર્પ શુટરો આવ્યા હોવાની બાતમીના આધારે ATS એ કરી હતી રેડ
- રેડ દરમ્યાન છોટા શકીલના શાર્પ શુટરોએ ATS પર ફાયરિંગ કર્યું
- છોટા શકીલ ના શાર્પ શુટરો પોલિટિકલ લીડરની હત્યા કરવા માટે આવ્યા હોવાની હકીકત સામે આવી
- ગુજરાત ATS એ 01 શાર્પ શુટરની 02 હથિયાર સાથે ધરપકડ કરીભાજપના પૂર્વ મત્રી ગોરધન ઝડફિયા હત્યા કરવાનો મામલો, અમદાવાદ ats કરી ને આરોપી ની ધરપકડ, છોટા સકીલ દ્રારા આપવામાં આવતી ગોરધન ઝડફિયા ની હત્યાની સોપારી, ગોરધન ઝફડીયા ના હત્યા ના નિસફળ પ્રયાસને લઈ ને ગુજરાત સરકાર ના ગૃહ વિભાગ દ્રારા ગોરધન ઝડફિયા ની સુરક્ષા વધારા આપવામાં સુચના આપવામાં આવી હતી.