અમદાવાદમાં આવતીકાલે ભગવના જગન્નાથની 145મી રથયાત્રા ખૂબ જ રંગચંગે યોજાવા જઈ રહી છે જેમાં આખો અમદાવાદ આ રથયાત્રાના રંગમાં રંગાઇ જશે બે વર્ષ બાદ રથયાત્રા યોજાતા ભક્તોમાં ભારે ઉત્સાહ ઉમંગ જોવા મળી રહ્યો છે 19 કિલોમીટરની આ પરંપરાગત રથયાત્રામાં કોરોના પહેલાની જેમ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવા જઇ રહી છે. જેમાં 3 રથ, 18 ગજરાજ,101 ભારતીય સંસ્કૃતિન આકર્ષણ કરાવાતી ઝાંખીના ટ્રક ,30 અખાડા ,સાધુ-સંતો અને ભજનમંડળી હિસ્સો લેશે. 3500 કિલો મગનો પ્રસાદ ,500 કિલો ગુલાબજાંબુ, 300 કિલો કેસરકેરી,400 કિલો કાકડી પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવશે.
આવતીકાલે ભગવાન જગન્નાથની મંગળા આરતીમાં વહેલી સવારે 4 વાગ્યા કેન્દ્ર ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિતશાહ પરિવાર સાથે હાજરી આપશે કાલની રથયાત્રામાં એક અંદાજ મુજબ 13 લાખથી વધુ ભકતો જોડાવા જઇ રહ્યા છે જેને લઇ 1.50કરોડનો વીમો પણ લેવામાં આવ્યા છે . બીજી તરફ કોરોનાએ પણ માથુ ઉચક્તા રાજ્યના આરોગ્ય મુખ્ય અધિક સચિવ મનોજ અગ્રવાલ દ્રારા કાલે લાખોની સંખ્યામાં ભક્તો તેમજ લોકોને ફરજીયાત માસ્ક પહેરવા અપીલ કરાઇ છે.
સુરક્ષા વ્યવસ્થાને લઇને પણ ખાસ પ્રકારનો આયોજન કરવામાં આવ્યો છે જેમાં આ રથયાત્રા સુરક્ષા મામલે પણ ખૂબ જ એૈતહાસિક માનવામાં આવી રહી છે જેમાં 25 હજારથી વધુ પોલીસકર્મી અને જુદી-જુદી રેન્કના અધિકારી CRPF ,BSF ,એસ આર પી હોમગાર્ડ ખડેપગે હાજર રહેશે.