અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર શુક્રવારથી સ્વનિર્ભર મહિલાઓ, ગામડાઓ સ્વનિર્ભર બને તે હેતુથી સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સરસ મેળો 27 ફેબ્રુઆરી સુધી અમદાવાદમાં વલ્લભસદન પાછળ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાશે.
રાજ્યમાંથી 100 અને રાજ્ય બહારના 50 સ્ટોલ ધારકોએ ભાગ લીધો હતો
આ મેળામાં ગુજરાત રાજ્યમાંથી 100 સ્ટોલ ધારકો અને રાજ્ય બહારના 50 સ્ટોલ ધારકોએ ભાગ લીધો છે. સરસ મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો, લાઇવ ફૂડ સ્ટોલ, કારીગરોના સ્ટોલ, બાળકો માટે ગેમ ઝોન, હેન્ડીક્રાફ્ટ ઉદ્યોગ, હેન્ડલૂમ વસ્તુઓનું વેચાણ અને પ્રદર્શન છે.
સરસ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓ અને ગામડાઓને આત્મનિર્ભર બનાવવાનો છે.
આ ઉપરાંત સરસ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓની સાથે ગામને પણ આત્મનિર્ભર બનાવવાનો છે. આ સાથે મહિલાઓ અને ગામના પ્રોત્સાહન માટે આ સ્ટોલમાંથી બેસ્ટ સ્ટોલ ડેકોરેશન, બેસ્ટ સેલર, બેસ્ટ ઈનોવેટીવ સ્ટોલને એવોર્ડ આપવામાં આવશે. આ ઉપરાંત આ મેળામાં ડિજિટલ પેમેન્ટને વધુ મહત્વ આપવામાં આવ્યું છે.