અમદાવાદઃ ઉનાળો શરૂ થતાં જ પાણીની સમસ્યા શરૂ થઈ જાય છે. અમદાવાદ શહેરમાં પણ કેટલાક વિસ્તારોમાં પાણી સમસ્યા ત્રણે ઋતુમાં જોવા મળે છે. ખાસ કરીને ઉનાળામાં પાણી માટે લોકો વચ્ચે યુદ્ધ જેવો માહોલ થાય છે. આવી સ્થિતિમાં રખિયાલ વિસ્તારમાં એક મહિલા પાણીની સમસ્યા દૂર કરવા માટે આગળ આવી હતી. જોકે, મહિલા ઉપર ત્રાસ વધતાં કંટાળીને વીડિયો બનાવીને ફિનાઈલ ગટગટાવ્યું હતું.
જોકે, પાંચેક દિવસ પહેલા તેમના ફ્લેટમાં રહેતા સીબુભાઈ સૈયદએ અજીત મિલ ચાર માળિયા પાસેના મેદાનમાં બોલાવ્યા હતા અને જણાવ્યુ હતુ કે, આપણા ફ્લેટમાં પાણીની સમસ્યા હોય જે સમસ્યા દૂર કરવા બાબતે ચર્ચા કરી હતી. જો કે આ અંગે પાણી છોડતા નુર આલમને પણ બોલાવ્યા હતા. ત્યારે તેમણે પાણીની સમસ્યા વિશે પુછતા અજીત રેસીડન્સીમાં પાણી આપવામાં આવતુ હોવાથી ચાર માળિયામાં પાણીની અછત પડતી હોવાનું જણાવ્યુ હતુ.
જેથી અજીત રેસીડન્સીમાંથી સોસાયટીના માણસો અમ્મુ ચેનલવાળા, ફારુકભાઈ મન્સુરી, અહેજાદખાન તથા મુમતાઝભાઈને મેદાનમમાં ભેગા થઈને પાણીની પાઈપ બંધ કરવા બાબતે ચર્ચા કરતા હતા. બીજી બાજુ અજીત રેસીડેન્સી સોસાયટી તરફથી અલ્તાફભાઈ તથા કોર્પોરેટર ઝુલ્ફીકાર પઠાણ, આફતાબ ભટ્ટીવાળા સહીતના લોકોએ નાઝીયા અંસારીને બોલાવી હતી અને પાણીની સમસ્યા બાબતે પુછપરછ કરી સમજાવટ થઈ હતી.
દરમિયાન સીબુભાઈ જાહેરમાં જોર જોરથી કહેવા લાગ્યા હતા કે, રાત દિવસ બો ચલાવો અને જો બગડી જાય તો સોસાયટી વાળા પાસેથી બમણા રૂપિયા વસુલ કરો તેવુ જણાવી ગાળો બોલી રહ્યા હતા. જેથી નાઝીયા અંસારીએ તેમને ગાળો બોલવાની ના પાડતા સીબુભાઈ, ઈસ્તેખાર, મુમતાઝભાઈ અને નુર આલમ પાણી આપનાર અને ગુડ્ડુ જાડીયો અચાનક નાઝીયાબેનને ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી અવાર નવાર માનસિક ત્રાસ આપતા હતા.
જેથી અંતે કંટાળીને નાઝીયા અંસારીએ તેમના ઘરમાં પડેલુ ફિનાઈલ પી લીધું હતું. જો કે પરીવારના સભ્યોને જાણ થતા નાઝીયાબેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીજી બાજુ રખિયાલ પોલીસને ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં નાઝીયા અંસારીએ સીબુભાઈ,ઈસ્તેખાર, મુમતાઝભાઈ, નુર આલમ પાણી આપનાર અને ગુડ્ડુ જાડીયાના વિરુદ્ધમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.