ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓ રાજકીય પાર્ટીઓ તરફથી પુરજોશમાં શરૂ થઈ ગઈ છે, તેવા માહોલમાં ‘સત્ય ડે’ ન્યૂઝ પરથી દરરોજ રાજ્યના અલગ અલગ જિલ્લાઓની વિધાનસભા બેઠકો વિશેની સચોટ અને વિસ્તૃત માહિતી મેળવીશું.
(50) અમરાઈવાડી (અમદાવાદ શહેર) વિધાનસભા બેઠક
વર્ષ 2010 માં થયેલા નવા સીમાંકન પ્રમાણે અમરાઇવાડી વિધાનસભા બેઠક અસ્તિત્વમાં આવી હતી, જ્યાં અત્યાર સુધી ત્રણ ચૂંટણીઓ 2012, 2017 વિધાનસભા ચુંટણી અને વર્ષ 2019માં પેટા વિધાનસભા ચુંટણી યોજાઇ છે,
અગાઉ આ બેઠકનો વિસ્તાર કાંકરિયા વિધાનસભા અને મણીનગર વિધાનસભા બેઠકના સીમાંકનમાં આવતો હતી.
શું છે આ વિસ્તારની બેઠકનો રાજકીય ઈતિહાસ?
ગુજરાત રાજ્ય બન્યું ત્યારે વર્ષ 1962 ની પ્રથમ વિધાનસભા ચુંટણી સમયે અમરાઇવાડી વિધાનસભાનુ કોઈ અસ્તિત્વ ન હતું. એ સમયે અમદાવાદ શહેરમાં માત્ર સાત વિધાનસભા બેઠકોનો સમાવેશ થતો હતો.
1967 અને 1972માં કાંકરીયા બેઠક અસ્તિત્વમાં આવી, જેમાં અમરાઇવાડીનો સમાવેશ થતો હતો. વર્ષ 1975માં મણિનગર વિધાનસભા અસ્તિત્વમાં આવી, જેમાં અમરાવાડી વિસ્તારનો સમાવેશ થતો હતો.
આ બેઠકમા અમદાવાદ શહેરના ભાઇપુરા, ઇન્દ્રપુરી, વટવા અને ખોખરા વોર્ડના વિસ્તારોનો સમાવેશ થાય છે.
અમરાઈવાડી બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો દબદબો રહ્યો છે, અહી બીજેપી કુલ 8 વાર વિજયી થઈ છે જ્યારે કોંગ્રેસ કુલ બે વાર વિજયી થઈ છે.
અહી હાલના સિટિંગ ધારાસભ્ય ભાજપના જગદીશ પટેલ છે, જેઓ વર્ષ 2019 ની પેટાચૂંટણીમાં જીત્યા હતાં.
અમરાઈવાડી બેઠક પર જ્ઞાતિઓનું ગણિત
આ બેઠક પર જ્ઞાતિઓના આંકડા પર નજર કરીએ તો અહીં કુલ ૨,૭૯,૦૮૨ મતદારો છે.
જેમાં 50 હાજર દલિત મતદારો, 50 હાજર પરપ્રાંતિય, 33 હાજર પાટીદાર મતદારો, એક લાખ OBC અને 35 હજાર સવર્ણ મતદારોનો સમાવેશ થાય છે.
અમરાઈવાડી શહેરી બેઠક હોવાથી અહી સ્વાભાવિક રીતે અહી ભારતીય જનતા પાર્ટીનું પલડુ ભારે હોય છે, આ બેઠકની ખાસિયત એ રહી છે કે અહીંયા જ્ઞાતીગત ગણિતને લઈને મતદારો મત નથી આપતા હોતા, પાર્ટી પક્ષે અને વિચારધારા પ્રત્યે મતો નોંધાતા હોય તેવુ ત્રણ ટર્મથી દેખાયું છે, જેમાં ભાજપા હંમેશા ફાયદામાં રહી છે.
આગામી ચુંટણીમાં શું હોય શકે અહીંની રાજકીય સ્થિતિ
આ બેઠક પરથી ગત્ 2017 ની ચુંટણીમાં ભાજપની ઉમેદવાર હસમુખ પટેલ ચુંટાઈ આવેલા, જેઓ 2019 ની લોકસભાની ચુંટણી જીતીને સાંસદ બન્યા હતાં, જેથી એ જ વર્ષે અહી વિધાનસભાની પેટાચુંટણી થયેલી, જેમાં પાટીદાર નેતા અને RSS ના કાર્યકર જગદીશભાઈ પટેલ વિજયી થયેલાં, તો સામે પક્ષે કોંગ્રેસમાંથી અન્ય પાટીદાર નેતા ધર્મેશભાઈ પટેલ ઊભા હતાં… અને આ વર્ષે 2022 ની ચુંટણીમાં પણ શક્ય છે કે આ બંને ઉમેદવારો ફરીથી સામસામે ચુંટણી લડે.
તા. 2 May 2022,
© SatyaDay Daily