શહેર સહિત સમ્રગ રાજ્યભરમાં રખડતા ઢોરની સમસ્યા તંત્ર માટે માથાના દુખાવા સમાન બની છે.વિધાનસભા બજેટ સત્ર દરમિયાન રજૂ કરવામાં આવેલા રખડતા ઢોર નિયંત્રણ વિધેયકના માલધારી સમાજના ભારે વિરોધ બાદ સરકારને ધુંટણિયે પડી કાયદો સ્થગતિ કરવાની ફરજા પડી હતી રખડતા ઢોર ત્રાસ હજુ પણ શહેરના માર્ગે જૈસ થે જેવી સ્થિતિ છે.છાશવારે ઢોરના અડફેટે આવતા શહેરીજનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. જેને લઇ આજે મળેલી AMC હેલ્થ કમિટીમાં રખડતા ઢોરોના ત્રાસ અને શ્વાનને સમસ્યાને ગંભીરતાથી લઇ ચર્ચા કરવામાં આવી હતી કમિટી ચેરમેન અધિકારીઓને આકરી ઝાટકણી કાઢતા કહ્યુ હતુ કે પશુઓને ન પકડી શક્તા હોવ તો કહું આગળ કાર્યવાહી કરવાની ફરજ પડે હાલ શહેરમાં 100થી વધુ રખડતા પશુ પકડવાનો લક્ષ્યાંક છે. તેની સામે માત્ર 42 પશુઓ પકડાય છે ચેરમને વધુ જણાવતા CNDC કામગીરી સામે પણ અસંતોષ વ્યકત કર્યુ હતુ.
Friday, May 17