અમદાવાદઃ અત્યારે સમગ્ર દેશમાં કોરોના સામે લડવા માટે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. તો કેટલાક એવા પણ કેસ સામે આવી રહ્યા છે. જેમાં કોરોના વેક્સીન લીધી હોવા છતાં પણ તેઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. લોકોના મનમાં એવો ભ્રમ છે કે કોરોના વેક્સિન લીધા પછી કોરોના તેમને અડી પણ નહીં શકે પરંતુ એ વાતની કોઈ ગેરંટી નથી કે વેક્સીન લીધા પછી કોરોના નહીં થાય. વેક્સીન લીધા બાદ કેટલીક સાવચેતી રાખવી જરૂરી છે.
તેમાં કોઈ શંકા નથી કે વેક્સીન લીધા બાદ કોરોના વાયરસની ગંભીરતા અને મોતના ખતરાને ઓછો કરી શકાય છે પણ વેક્સીન બીમારી ફેલાવવાને અને ઈન્ફેક્શનની રોકી શકે છે. તેના કોઈ ખાસ સબૂત મળ્યા નથી. એક રિપોર્ટ અનુસાર વેક્સીન લગાવી લીધા બાદ રખાતી બેદરકારીના કારણે કોરોનાથી સંક્રમિત થવાનો ખતરો રહે છે. એવામાં વેક્સીનની મદદથી કમ્યુનિટી લેવલે ઇન્ફેક્શન ફેલાવવાન દર ઘટાડવામાં મદદ મળે છે. પણ સાવધાની જરૂરી છે.
અનેક લોકોને લાગે છે કે વેક્સીન લીધા બાદ તેઓ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને તેઓએ માસ્ક પહેરવાની કોઈ જરૂર નથી, એવા વ્યક્તિ તેમાંની વેક્સીનના 2 ડોઝ લીધાની સ્થિતિમાં માસ્ક ઉતારી શકે છે. યાદ રાખો કે સંક્રમણથી બચવા માટે વેક્સીન લીધા બાદ પણ સારી રીતે માસ્ક પહેરવું જરૂરી છે.
વેક્સીન લીધા બાદ તમે મુસાફરી કરી શકો છો પણ આ સમયે પણ તમારી સાવધાની રાખવાની જરૂર છે જ્યાં સુધી દુનિયામાં મોટી સંખ્યામાં વેક્સીન લગાવી લેવાતી નથી ત્યાં સુધી બિન જરૂરી યાત્રા ન કરો. યાત્રા કરવી જરૂરી છે તો સાવધાની સાથે કરો. નાની બેદરકારી પણ કોરોના સંક્રમિત કરી શકે છે.
જો તમે વેક્સીનના બંને ડોઝ લઈ લીધા છે તો પણ તમારે કોરોના વાળા વિસ્તારોમાં જવાથી બચવું જોઈએ, તેનું કારણ એ છે કે વેક્સીન લાગ્યા બાદ પણ દરેક લોકો ઈમ્યુન સિસ્ટમ એક રીતે કામ કરતી નથી, માટે ઘરની બહાર જરૂર વિના જવું નહીં. ખાસ કરીને એવા વૃદ્ધ વ્યક્તિઓ જેમને પહેલાંથી કોઈ બીમારી છે.