આજ રોજ રિવરફ્રન્ટ પાલડી ખાતે રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલજી ની વિશેષ ઉપસ્થિતિમા કર્ણાવતી મહાનગર ભારતીય જનતા પાર્ટીનું સક્રીય કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. પ્રદેશ અઘ્યક્ષ તથા નવસારીના લોકપ્રિય સાંસદ સી.આર.પાટીલ સાહેબે વર્ચુયુલી માર્ગદર્શન આપ્યું હતું. અમદાવાદ રીવરફ્રન્ટ ખાતે ભાજપના સક્રિય સભ્યોનું મહા સંમેલન યોજાયું હતું.વિધાનસભા વિસ્તારન સક્રિય સભ્યોને સક્રિય સભ્ય કાર્ડ વિતરણ કરાયા હતા.
અમદાવાદ ભાજપ શહેર પ્રમુખ અમિત શાહના પુત્રને ભાજપ લખતા નથી આવડતું અને નેતા બનવા નીકળ્યા છે. અમિત શાહ ના નેતા પુત્ર સન્ની શાહ દ્વારા ગઈકાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યુ હતું કે આજ રોજ ભાજપની જગ્યા એ( ભાજ ) કર્ણાવતી મહાનગર સક્રિય સભ્ય સંમેલન યોજાયું જેમાં લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી સીઆર પાટીલ સાહેબ નું માર્ગદર્શન મેળવેલ.
આ પોસ્ટ અત્યારે સોશિયલ મીડિયા દ્વારા જડપથી વાયરલ થઇ રહી છે. જો ભાજપ શહેર પ્રમુખના પુત્ર જ આવી ભૂલ કરતા હોઈ તો પછી નેતા બનવા નીકળે અને બની પણ જાય છે. એમાં કંઈ નવી નહિ
નોધનીય છે કે કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી તથા મહાનગર પ્રભારી પ્રદીપસિંહ વાઘેલાજી , પ્રદેશ સહ કોષાધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ , મેયર શ્રી કિરીટભાઈ પરમાર, સંસદશ્રીઓ, ધારાસભ્ય શ્રીઓ કૉઉન્સીલર મિત્રો સંગઠન હોદ્દેદાર શ્રીઓ તથા મહાનગરના સૌ સક્રિય કાર્યકર્તા શ્રીઓ હાજર રહ્યાં હતા.