ગુજરાત વિધાનસભાની ચુંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ લોકો પક્ષ પલટો કરી રહ્યા છે. આ વખતની વિધાનસભા ચુંટણી તમામ પાર્ટી માટે એક ચેલેન્જ જેમ છે. આ વખતે ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી પણ તમામ બેઠકો પર ચુંટણી લડશે. ત્યારે હાર્દિક પટેલ કોંગ્રેસના કાર્યકારી હોવા છતાં પોતાની પોસ્ટમાં કોંગ્રેસનો લોગો ન મુકતા રાજકારણ ગરમાયું છે. શું હાર્દિક પણ પક્ષ પલટો કરશે
હાર્દિક પટેલ પોતાના તાજેતરના બેનર પર કોંગ્રેસનું નિશાન ન મૂકતા પક્ષ પલટાના મૂડમાં હોય તેવું સેવાઈ રહ્યું છે…
હાર્દિકે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે હું સત્તાનો ભાગીદાર હોઉં કે વિપક્ષનો, ઉદેશ આવનારી પેઢીને શ્રેષ્ઠ ગુજરાત આપવાનો છે….
આમ હાર્દિક કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હોવા છતાં પોસ્ટમાં પંજાનું નિશાન મુકવાનું ટાળ્યું છે…
શું હાર્દિકની આ પ્રકારની પોસ્ટ તેમના પક્ષ પલટાની આગાહી દર્શાવે છે….? શું હાર્દિક આપ માં જોડાશે કે પછી ભાજપમાં ?
હાર્દિકની આ પ્રકારની પોસ્ટ અનેક સવાલો ઉભા કરી રહી છે