ગુજરાતમાં શાળામાં ફરી કોરોનાની એન્ટ્રી થતા ભારે ચકચાર મચી ગઇ છે. અમદાવાદ ખાતેની મેમનગર સ્થિત સેન્ટ ઝેવિયર્સ લોયલ સ્કૂલમાં ધોરણ 2માં ભણતા વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા બાદ વર્ગ સેનિટાઇઝ કરવામાં આવ્યા હતા અને સ્કૂલે DEOને જાણ કરવામાં આવી હતી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ વિદ્યાર્થી બિમાર હોય નિયમિત સ્કૂલે આવ્યો નહોતો અને જયારે 9 એપ્રિલે સ્કૂલે આવ્યો ત્યારે પણ તેને તાવ હતો, જેથી 11 એપ્રિલે તેની માતા તેને ડોકટર પાસે લઇ ગયા હતા. ત્યારે બાળકને કોરોના હોવાની પૃષ્ટિ થતા માતાએ 12 એપ્રિલે સ્કૂલને જાણ કરતા સ્કૂલના આચાર્યએ DEO કચેરીએ જાણ કરી હતી અને સ્કૂલ દ્વારા તકેદારીના ભાગરૂપે વર્ગો પણ સેનિટાઇઝ કરવામાં આવ્યા હતા.
આમ અમદાવાદમાં શાળામાં ફરી કોરોનાએ દસ્તક દેતા વાળીઓમાં ચિંતા પ્રસરી છે.