કોરોનાથી બચવા માટે સરકાર દ્વારા અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. લોકોને સમજાવાથી માંડીને દરેક વિસ્તાર ને સેનેટાઇઝ કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં દરિયાપુર, કાલુપુર, શાહપુર અને જમાલપુર સહિતના કોટ વિસ્તાર તેમજ નવરંગપુરા, વાડજ, વસ્ત્રાપુરમાં આવેલી હાઇરાઇઝ બિલ્ડીંગો પર ફાયર બ્રિગેડ દ્વારા હાઇડ્રોલિક મશીનથી સેનેટાઇઝેશન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં કોરોનાના કેસો વધતા શહેરમાં ગલીઓ તેમજ પોળો એવી છે જ્યાં સૅનેટાઇઝેશન માટે ફાયરની કે અન્ય ગાડીઓ જઈ શકતી નથી. તેવા વિસ્તારોમાં ફાયર બ્રિગેડની હાઇડ્રોલિક ગાડીઓ મારફતે સૅનેટાઇઝેશન કરવામાં આવી રહ્યું છે છે તેમજ કેટલાક વિસ્તારોમાં ડ્રોન મારફતે પણ દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
Sunday, May 19