રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના કાર્યક્રમ ને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચુ ઓફ યુનિટી ના ઉદ્ઘાટન બાદ વધુ એક વખત લેશે સ્ટેચુ ઓફ યુનિટી ની લેશે મુલાકાત.
ગત વર્ષે 31 ઓક્ટોબર ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્ચું ઓફ યુનિટી ઉદ્ઘાટન પ્રસંગે 31 ઓક્ટોબર ને રાષ્ટ્રીય એકતા દિવસ જાહેર કર્યો હતો ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે ફરી એક વખત મુલાકાત લેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો પ્રવાસ રૂટ દિલ્હી થી અમદાવાદ એરપોર્ટ,અમદાવાદ એરપોર્ટ થી સાબરમતી રિવરફ્રન્ટ,સાબરમતી રિવરફ્રન્ટ થી સી પ્લેન મારફતે સ્ટેચુ ઓફ યુનિટી જશે.
વડાપ્રધાન નરેન્દ્રમોદી ના પ્રવાસ ને લઈ ને અમદાવાદમાં પણ અધિકારીઓ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાબરમતી નદીથી સી પ્લેન મારફતે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાની શક્યતા સાથે આજે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મ્યુનિ. કોર્પોરેશન, પોલીસ અને એવિએશન વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ પરીક્ષણ કરવામાં આવ્યું. વડાપ્રધાનની સુરક્ષાને લઈને કોઈપણ પ્રકારની કચાસ ના રહે તે માટે વિશેષ વોચ ટાવર સહિત સીસીટીવી કેમેરાથી સચેત નજર રાખવામાં આવશે.