અમદાવાદ,ભાજપના નેતાઓ સરકારની ખુશામત કરવાથી પાછા નથી પડતા. ગુજરાતની ભાજપ સરકારમાં દલાતલવાડી જેવી પરિસ્થીતી છે. જેનુ ઉદાહરણ હાલ રાજ્યના રસ્તાઓ પર જોવા મળી રહ્યુ છે.ગુજરાતના મોટાભાગના રસ્તાઓ પર ભાજપાના કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા ફી ઘટાડાને લઇને રાજ્યની ભાજપ સરકારને અભીનંદન આપતા હોર્ડીંગ્સ લગાવવામાં આવ્યા છે.ત્યારે હવે સૌથી મોટો પ્રશ્ન એ છે.કે શુ ગુજરાતની એક પણ શાળામાં ફી ઘટાડો થયો છે.અથવાતો ફી ઘટાડા અંગે કોઇ નિર્ણય કરવામાં આવ્યો છે?
દેશની સરવોચ્ચ અદાલત સુપ્રિમ કોર્ટે હાલમાં ગુજરાતમાં ખાનગી શાળાઓ દ્વારા ઉઘરાવવામાં આવતી બે-ફામ ફી અંગે રાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે, અને આ માટે એક ફી નિયંત્રણ સમિતી બનાવીને તમામ ખાનગી શાળાઓની ફી નક્કિ કરવાની જવાબદારી સોંપી છે, અને આ ફી નિયંત્રણ સમિતી જ્યાં સુધી ફી જાહેર ન કરે ત્યાં સુધી રાજ્ય સરકાર પ્રોવીઝનલ ફી નક્કિ કરીને સુપ્રિમ કોર્ટમાં જાહેર કરે.આ પ્રકારનો નિર્દેશ સુપ્રિમ કોર્ટે કર્યો છે.
ત્યારે બીજી તરફ રાજ્યની ભાજપ સરકારે વાલીઓના હીતમાં નિર્ણય લીધો અને સરકાર સામાન્ય નાગરિકો સાથે છે.અને ખાનગી શાળાઓની બે-ફામ ફી માં સરકારે ઘટાડો કર્યો છે.વગેરે જેવા હોર્ડીંગ્સ રાજ્યના મોટાભાગના રસ્તાઓ પર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા લગાવવામાં આવ્યા છે.હવે આ હોર્ડીંગ્સ અને સુપ્રિમ કોર્ટનો નિર્દેશ આ બન્નેમાં કેટલું અંતર છે.
આ હોર્ડીંગ્સ અંગે વાલી મંડળ પ્રમુખ નરેશ શાહ જણાવે છે કે, સુપ્રિમ કોર્ટની ગાઇડ લાઇન્સ મુજબ રાજ્ય સરકારે પ્રોવીઝનલ ફી નક્કિ કરવી જરૂરી છે. અને જે હોર્ડીંગ્સ લગાવ્યા છે.તે મુજબ ફી હજી શાળાઓએ ઘટાડી નથી.અને જો સરકારે ફી ઘટાડી દિધી હોય તો તાત્કાલીક ખાનગી શાળાઓને સરક્યુલર કરીને નવી ફી જાહેર કરે.જેથી વાલીઓ પાસેથી શાળાઓ બે-ફામ ફી ઉઘરાવતા અટકે.