અમદાવાદ : બાપુનગરમાં આવેલ નવનિર્મિત બ્રિજ નીચે રાતો રાત બાપા સીતારામનું મંદિર બનાવવામાં આવ્યું હતું. બપોરે કોર્પોરેશનને જાણ થતાં તેઓએ ઘટના સ્થળે દોડી આવી કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ કોર્પોરેશન દ્વારા મંદિર હટાવતા દરમિયાન સ્થાનીકોમાં રોષ જોવા મળ્યો હતો, સ્થાનીકોના રોષને પગલે મંદિર કોર્પોરેશન દ્વારા પાછું ત્યાં જ મુકવામાં આવ્યું હતુ, આ મામલે પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો.
ધાર્મિક લાગણી સાથે જોડાયેલી અા ઘટના હોવાથી પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓને પણ નમવું પડ્યુ હતુ. દબાણ હટાવવા જતા અાવી ઘટનાઓ સામે અાવે છે.