અમદાવાદનો એસ જી હાઇવે હવે દિવસને-દિવસેને મોતનો હાઇવે બની રહ્યો છે. અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્રારા એસ જી હાઇવે પર અવનવા નવતર પ્રયોગો કરી હાઇવે પર બેફામ વાહન હંકરતા વાહન ચાલકો સામે સ્પીડ લિમિટ પણ રાખવામાં આવી છે છતાંય કેટલાક વાહનચાલકો તમામ નિયમોને નેવે મૂકી પુરપાટે વાહન હંકારતા હોય છે જેમાં હિટ એન્ડ રનની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે.
અમદાવાદના કર્ણાવતી કલબ પાસે મોડીરાત્રે પુરઝડપે આવેલી કારે બાઇક પર જઇ રહેલા દંપતીને અડફેટે લેતા નવ દંપતીનો કરૂણ મોત નિપજ્યો હતો ઘટનાને લઇ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા ઘટનાની જાણ સ્થાનિક પોલીસેને કરાતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહના પી એમ કરી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ અંગે અધિકારી પ્રાથમિક માહિતી આપતા જણાવ્યુ હતુ કે ઝવેરી ચાર રસ્તાથી કર્ણાવતી કલબ પાસે પૂરઝડપે બ્લેક કલરની થાર ગાડી પૂરઝડપે આવી રહી હતી તે દરમિયાન ત્યાંથી બાઇક પર જઇ રહેલા દંપતી પર કારચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ધડાકાભેર બાઇક સાથે અથડાઇ હતી જેમાં દંપતી જમીન પર પટકાતા ગંભીર ઇજાઓ પહોંચી હતી તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખેસડાતા ફરજના તબીબે દંપતીને મૃત જાહેર કર્યો હતો બીજી તરફ કારચાલક કાર મૂકી ફરાર થઇ ગયો હતો પોલીસે કારચાલક વિરુદ્ર અકસ્માતનો ગુંનો નોંધી આરોપી શોધખોળ હાથધરી છે.