ચેનલ હેડ, આગમ શાહ : ખુદ આઇપીએસ અધિકારી પોલીસ સ્ટેશનમાં જાય તો પણ તેની વાત સાંભળવામાં આવતી નથી. પશ્ચિમના પોલીસ મથકોમાં પી.આઈ અરજદારોને મળતા જ નથી, વહીવટદાર જ નક્કી કરે કે ફરિયાદ લેવી કે નહીં ઘાટલોડિયામાં અરજદારોને હડધૂત કરાય છે. નવરંગપુરામાં ફરિયાદીને માર મરાય છે, સેટેલાઈટમાં કોઈ વિચિત્ર માણસ જ અરજદારો સાથે ડીલ કરે છે
પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવની સરળતાનો ગેરલાભ ઉઠાવતા શહેરના પોલીસ ઇન્સ્પેક્ટર ફરિયાદીને સાંભળવાની વાત તો દૂર , તેમને મળતા પણ નથી. પોતાના સ્ટાફની ફરિયાદ સાંભળી આઇપીએસ અધિકારી ગૌતમ પરમાર પોતાના તાબાના પોલીસ મથકોમાં જાત ચકાસણી માટે પહોંચી ગયા. તેમને અનુભવ થયો કે ફરિયાદીઓને હડધૂત કરાય છે અને તેમની વાત પણ સાંભળવામાં આવતી નથી તરત જ બે પોલીસ મથકના ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ કરી દેવાયો. આટલેથી ન અટકેલા ગૌતમ પરમારે વધુ એક વખત પોતાના જ માણસને શાહીબાગ પોલીસ મથકમાં રજુઆત કરવા મોકલ્યો. શાહીબાગ પોલીસે તેની વાત સાંભળી અને તેને સંપૂર્ણ સહકાર આપવાની ખાત્રી આપી. પૂર્વ વિસ્તારના પોલીસ મથકોમાં જે સુધારો આવ્યો છે તે આવકાર્ય છે પરંતુ પશ્ચિમના પોલીસ મથકોમાં તો પીઆઇ હજુ પણ કોઇને ગણતા જ ના હોય તેવો ઘાટ થઈ રહ્યો છે.
વિવાદનો પર્યાય બની ચૂકેલા ઘાટલોડિયા પોલીસ મથકમાં વૃદ્ધો સલામત નથી મહિલા ઉપર એસિડ એટેક થઈ રહ્યો છે .આટલું જ નહીં પરંતુ સોસાયટીમાં બાળકોના ઝઘડા મુદ્દે જાણકાર પરિવારના સભ્યો પોલીસ મથકમાં અરજી આપવા જાય છે ત્યારે તેમની અરજી સ્વીકારવાના બદલે તેમને હડધૂત કરી ને કાઢી મૂકવામાં આવે છે. આખરે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા સમક્ષ રજુઆત થઇ અને ઘાટલોડિયા પોલીસે બાળકની વાત સાંભળી.
નવરંગપુરા પોલીસ મથકમાં મોટાભાગની રજૂઆત લઈને આવતા વેપારીઓ જ હોય છે. તેમ છતાં નવરંગપુરામાં વેપારીઓની રજૂઆત સાંભળવામાં આવતી નથી થોડા સમય પહેલાં જ પોતાના પાંચ લાખ રૂપિયાની લૂંટ થઇ તેવી ફરિયાદ કરવા આવેલા વેપારીને પોલીસે ફટકાર્યા હોવાની ચર્ચાએ જોર પકડયું છે આખરે ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને ઝડપી લીધો ત્યારે નવરંગપુરા પોલીસની પોલ ખૂલી ગઈ. લોકોને મળવાનું ટાળતા નવરંગપુરા પોલીસ ઇન્સ્પેક્ટર વતી બહાર બેઠેલો એક વ્યક્તિ અરજદારની રજૂઆતને પગલે શું નિર્ણય લેવો તે નક્કી કરતો હોય છે.
સેટેલાઈટ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર મહેતા પ્રમાણમાં સીધા અને સ્ટેટ ફોરવર્ડ હોવાથી પોલીસ સ્ટેશનમાં ઘર કરીને બેઠેલા એક વિચિત્ર પ્રકારના વ્યક્તિએ જાણે કે પોતે પોલીસ સ્ટેશન ચલાવતો હોય તેઓ હાઉ ઉભો કરી દીધો છે. પણ ફરિયાદી આવે તો પીઆઈના પહેલા આ વ્યક્તિને જ મળવું પડે.
થોડા સમય પહેલાં જ પોલીસ મથકમાં જ દારૂના એક મોટા કેસમાં થયેલી ગોલમાલ ને લઈને ઘણા પરિવર્તન આવી ગયા ખુદ નું સ્થાન પણ જોખમમાં મુકાઇ ગયું હતું.
એલિસબ્રિજ પોલીસ મથકમાં જેની સામે ફરિયાદ થઇ હતી તે આરોપીઓને છાવરવાનો લાખો રૂપિયાની લાંચ માંગવામાં આવી. લાંચ સ્વીકારનાર બે પોલીસકર્મીઓ સસ્પેન્ડ થઇ ગયા પરંતુ તેમના નિવેદનમાં એવું લખવામાં આવ્યું હતું કે બધી જ વાત પોલીસ ઇન્સ્પેક્ટર અને ડિસ્ટાફ પીએસઆઇને વિશ્વાસમાં લઈને જ કરવામાં આવી હતી. જો મોટા અધિકારીની મીલી ભગતના હોય તો રૂપિયા પોલીસ મથકના એક કબાટમાં થી જ કેવી રીતે રીકવર થયા?
વાસણા અને વેજલપુર પોલીસ ઇન્સ્પેકટર પણ ફરિયાદીને ધક્કા ખવડાવવાના અને આરોપીઓને છાવરવાનો મુદ્દે ઘણા બદનામ થયા છે. જોકે ઝોન -7 ડીસીપી પ્રેમસુખ ડેલુ કડક અને ભ્રષ્ટાચારવિરોધી અધિકારી હોવાથી તેમના તાબાના પોલીસ ઇન્સ્પેક્ટર તેમનો ડર ચોક્કસ છે પરંતુ હજુ આઇપીએસ પ્રેમસુખ ડેલું નવા હોવાથી આ જૂના પોલીસ ઇન્સ્પેક્ટરો તેમને ઘણા મુદ્દે ગોળ ગોળ ફેરવી રહ્યા છે.
ચાંદખેડામાં રહેતા અને નિવૃત્ત એલ.આઇ.સી ના કર્મચારી દીપકભાઈ પાસેથી વધારે પૈસા લઈ લીધા અને તેમને મકાન આપ્યું નહીં તેમણે જે મકાન ઉપર લોન લીધી હતી તે લૉન પણ ભરપાઈ થઈ ગઈ તેમ છતાં હજુ સુધી તેમને માથાભારે બિલ્ડર મકાન આપતો નથી આ બાબતે દીપકભાઈ અને તેમના વૃદ્ધ પત્નીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનના પગથિયાં ઘસી નાખ્યા પરંતુ ચાંદખેડા પોલીસ ઇન્સ્પેક્ટર માત્રને માત્ર વ્યવહાર કરતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
આઇપીએસ અધિકારી રાજેન્દ્ર અસારી ફરિયાદીની વાત ધ્યાનથી સાંભળી પરંતુ તેમન તાબાના પોલીસ ઇન્સ્પેક્ટરો નહીં
જે રીતે ગૌતમ પરમારે પોતાના વિસ્તારમાં પોલીસ શું કરી રહી છે તેની જાત ચકાસણી કરી તેવી જ રીતે ખૂબ જ પોઝિટિવ અભિગમ ધરાવતા આઇપીએસ અધિકારી રાજેન્દ્ર અસારી તેમને મળવા આવતા તમામ ફરિયાદીની વાત ધ્યાનથી સાંભળે છે અને તેમની રજૂઆતો ના આધારે ચોક્કસ ફરિયાદીને ન્યાય મળે તો તેઓ પ્રયાસ કરતાં જ હોય છે પરંતુ તેમના તાબાના પોલીસ ઇન્સ્પેક્ટરો ફરિયાદોને સાંભળતા જ નથી આખરે ફરિયાદી કમિશનર કચેરીએ પહોંચશે અને સમક્ષ રજુઆત કરે ત્યારે જ તેમની ફરિયાદનો નિકાલ આવતો હોય છે .