અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી પૂર્વ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટી નીકળ્યો છે પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ ને આ ગેરકાયદેસર બંધાઈ રહેલ બાંધકામ તોડી પાડવામાં કોઈ જ પ્રકારનો રસ ના હોય તેવું લાગી રહ્યું છે.“આકાશ સરકાર” નામનો વ્યક્તિ એટલી હદે બેફામ બન્યો છે કે કોર્પોરેશન નોટીસ બાદ પણ આકાશ સરકાર નુ ઘર તોડવામાં નથી આવી રહ્યું.
કોર્પોરેશન નોટીસ બાદ પણ આકાશ સરકાર નુ ઘર તોડવામાં નથી આવી રહ્યું.
ગઈકાલે આકાશ સરકાર સોશિયલ મીડિયા એક વિડીયો શેર કર્યો હતો તેમાં એમ કહે છે કે બહેરામપુરા ના ગેરકાયદેસર બાંધકામ બાબતે અમે કોર્પોરેશનની કચેરી અને અધિકારી સામે અમે લડી રહ્યા છે પણ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગને આ ગેરકાયદેસર મકાન તોડવામાં કોઈ રસ જ નથી. બહેરામપુરા વોર્ડના ઇન્ચાર્જ અમિત શાહ દ્વારા છીપાવાડ માં ગેર કાયદેસર બાંધકામ તોડવામાં આવ્યું હતું જે લોકોને બતાવે છે પણ બીજી બે બિલ્ડીંગ એમ ને એમ ઉભી છે એ કેમ નથી તોડવામાં આવી. અને વધુ માં કહ્યું કે ગુલાબનગરમાં 100 થી વધુ ગેરકાયદેસર ગોડાઉનો છે. કોર્પોરેશન ના અધિકારીઓ સામે ઘણા આક્ષેપો કર્યા છે.
આકાશ સરકાર આ વિડીયોમાં કોર્પોરેશન સામે જે આક્ષેપો કરે છે. શું એવું તો નથી ને કે તે પોતાનું ગેરકાયદેસર મકાન બચવવા માટે આ બધું કરી રહ્યો તેમ લાગે છે.
કોર્પોરેશનને આકાશ સરકારથી ડર લાગે છે. શું એવું તો નથી ને કે કોર્પોરેશન પોતાના બચાવ માટે આકાશ સરકારનુ મકાન નથી તોડી રહી.