હવામાન આગાહીથી પાક વેચાણ સુધી કૃષિમાં AIનો વ્યાપક ઉપયોગ

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
3 Min Read

સરકારની AI પહેલથી ખેતી બની વધુ વૈજ્ઞાનિક અને લાભદાયક

ભારત સરકાર કૃષિ ક્ષેત્રને આધુનિક બનાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનિકનો વ્યાપક ઉપયોગ કરી રહી છે. સંસદના સત્રમાં જણાવ્યું કે હવે ખેડૂતો હવામાન, વાવણી, જીવાત નિયંત્રણ, પાક દેખરેખ અને સરકારી યોજનાઓ સંબંધિત માહિતી પહેલા કરતા વધુ ઝડપી અને સચોટ રીતે મેળવી શકે છે. AI ટેકનિક ખેતરથી બજાર સુધીની સપ્લાય ચેઇન મજબૂત કરવા અને ખેડૂતોના જોખમ ઘટાડવામાં મદદરૂપ બની રહી છે.

AI આધારિત હવામાન આગાહી

ખરીફ મોસમ ૨૦૨૫ માટે ૧૩ રાજ્યોમાં સ્થાનિક ચોમાસાના આગમનની આગાહી માટે AI આધારિત પાયલોટ પ્રોજેક્ટ ચલાવવામાં આવ્યો. આમાં NeuralGCM, ECMWFનું AI ફોરકાસ્ટિંગ સિસ્ટમ અને IMDના ૧૨૫ વર્ષના ઐતિહાસિક વરસાદના ડેટાનો સમાવેશ છે. આ મોડેલ સ્થાનિક સ્તરે હવામાન આગાહી આપે છે, જે ખેડૂતો માટે ખૂબ ઉપયોગી છે. આ પૂર્વાનુમાન એમ-કિસાન પોર્ટલ મારફતે SMS દ્વારા પાંચ ભાષાઓમાં ૩ કરોડ ૮૮ લાખથી વધુ ખેડૂતો સુધી પહોંચાડવામાં આવ્યું.

AI in agriculture 1.png

- Advertisement -

ખેડૂતોએ લીધા મહત્વપૂર્ણ નિર્ણય

AI આધારિત હવામાન માહિતી મેળવ્યા પછી મધ્યપ્રદેશ અને બિહારના ખેડૂતો પાસેથી પ્રતિક્રિયા લેવામાં આવી. સર્વેમાં દેખાયું કે ૩૧ થી ૫૨ ટકા ખેડૂતો એ આ માહિતીના આધારે પોતાની વાવણી અને જમીન તૈયારી સંબંધિત નિર્ણય બદલ્યો. સરકારના જણાવ્યા મુજબ, AI ટેકનીક હવામાનના અનુમાનને વધુ વિશ્વસનીય બનાવી રહી છે અને ખેડૂતોના વાસ્તવિક નિર્ણયો પર અસર કરી રહી છે.

કૃષિમાં AI ના અન્ય ઉપયોગો

AI નો ઉપયોગ હવામાન સુધી મર્યાદિત નથી. કિસાન ઈ-મિત્ર નામના વોઇસ-બેઝ્ડ AI ચેટબોટ દ્વારા પીએમ કિસાન, ફસલ વીમા અને કિસાન ક્રેડિટ કાર્ડ જેવી યોજનાઓ અંગે તરત જવાબ મળે છે. ૯૩ લાખથી વધુ પ્રશ્નોના જવાબ AI દ્વારા અપાયા છે. સાથે, AI આધારિત નેશનલ પેસ્ટ સર્વેલન્સ સિસ્ટમથી જીવાતની ઓળખ અને ઉપાય તુરત જાણી શકાય છે. AI આધારિત ફિલ્ડ ફોટોગ્રાફી અને સેટેલાઇટ મેપિંગ પણ ખેડૂતોને પાકની વાસ્તવિક સ્થિતિ સમજવામાં મદદ કરે છે.

- Advertisement -

AI in agriculture 2.png

સપ્લાય ચેઇન અને આવક વધારવામાં AI ની ભૂમિકા

AI ટેકનિક્સ કૃષિ સપ્લાય ચેઇન મજબૂત કરવામાં મહત્વપૂર્ણ છે. સંગ્રહ, પરિવહન, ગુણવત્તા નિરીક્ષણ, મૂલ્ય અનુમાન અને માંગ-પુરવઠા સંતુલન જેવા પડકારોમાં AI મદદરૂપ છે. આથી ખેડૂતોની આવક વધશે અને ખેતી વધુ વૈજ્ઞાનિક, ટકાઉ અને લાભદાયક બનશે. આ ટેકનિક્સના ઉપયોગથી ખેડૂતો હવામાન, પાક અને બજાર સંબંધિત નિર્ણયો ઝડપી અને સચોટ રીતે લઈ શકશે.

Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.