આજે યોજાનારી નગરપાલિકાઓની ચૂંટણી પૈકી આણંદ જીલ્લાના બોરીઆવી નગરપાલિકાની વોર્ડ નંબર 4 ની ચૂંટણી રદ્દ જાહેર કરવામાં આવી. કોંગ્રેસ પક્ષના ઉમેદવાર રમેશભાઈ બાબુભાઈ રાઠોડનું 15 ફેબ્રુઆરી અવસાન થતા આ વોર્ડની ચૂંટણી રદ્દ કરવાનો આદેશ કરવામાં આવ્યો. અગાઉ 23 જાન્યુઆરીએ બોરીઆવી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયો હતો. જેની ઉમેદવારી પ્રક્રિયા 29 જાન્યુઆરી સુધીમાં પુર્ણ કરવામાં આવી હતી. કોંગ્રેસ પક્ષના ઉમેદવારનું મૃત્યુ થતા નિયમો 1994ના નિયમ 51 ની જોગવાઈ હેઠળ વોર્ડ નંબર 4 ની ચૂંટણીન નવો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો.
ઉમેદવારી રજુ કરવાની આખર તારીખઃ 26-02-2018
ઉમેદવારીપત્રોની ચકાસણીઃ 28-02-2018
ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની આખર તારીખઃ 01-03-2018
મતદાનની તારીખઃ 12-03-2018
આ અંગેની નોટીસ 20-02-2018 એ પ્રસિધ્ધ કરાશે. આ સિવાયના તમામ વોર્ડની ચૂંટણીનો કાર્યક્રમ યથાવત્ રખાશે,જે અંગેનો આદેશ રાજ્ય ચૂંટણી આયોગના સચિવે જાહેર કર્યો.