મોરબી: પેટ્રોલ પંપ ધારકોના લડતના માર્ગે, 31 મીએ પેટ્રોલ-ડિઝલની ખરીદી રહેશે બંધ છેલ્લા 6 વર્ષથી પેટ્રોલ, ડીઝલ તથા સી.એન.જી ગેસના ડીલર માર્જિનમાં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી. જેને અનુલક્ષીને ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ડિલર્સ પણ હવે લડતના માર્ગે પર આવી ગયા છે. અને ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશન દ્વારા મહત્વની જાહેરાત કરાઈ છે. આગામી 31મી મે ના રોજ “નો પરચેઝ” અભિયાન શરુ થનાર છે. આ અભિયાન હેઠળ પેટ્રોલ-ડીઝલની ખરીદી ડીલર્સ દ્વારા કરાશે નહીં. જેને પગલે મોરબી જિલ્લાના પેટ્રોલ પંપ ધારકોના ધારકો દ્વારા પણ આગામી 31મી મે ના રોજ પેટ્રોલ-ડિઝલની ખરીદી કરવામાં આવશે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે, ગ્રાહકો હેરાન ન થાય…
કવિ: SATYA DESK
પૃથ્વીનું ફરતું ચક્ર બદલાઈ રહ્યું છે, સેટેલાઇટ આંકડાએ સૌને ચોંકાવી દીધા…ક્લાઈમેટ ચેન્જ પર એક મહત્વના અભ્યાસમાં સેટેલાઇટ ડેટાએ પૃથ્વીના જળચક્રનું ચિંતાજનક ચિત્ર દર્શાવ્યું છે. એવું જાણવા મળ્યું છે કે સમગ્ર વિશ્વમાં ખારા પાણીના સ્ત્રોતો અને તાજા પાણીના સ્ત્રોતો વધુ સ્વચ્છ બની રહ્યા છે. આ કારણે દુષ્કાળ, પાણીની અછત અને જોરદાર તોફાન અને પૂર વગેરેમાં તીવ્રતા આવવાની છે.આબોહવા પરિવર્તનના નવા અભ્યાસો નવી પેટર્ન સૂચવે છે. લેટેસ્ટ રિસર્ચમાં ક્લાઈમેટ ચેન્જના વોટર સાઈકલ પર એક મોટો ખુલાસો થયો છે. નવા સેટેલાઇટ ડેટા દર્શાવે છે કે સમગ્ર વિશ્વમાં મીઠા પાણીના સ્ત્રોત વધુ સ્વચ્છ બની રહ્યા છે અને ત્યાં ખારું પાણી વધુ ખારું બની રહ્યું…
મેડિકલ ક્ષેત્રે રાજકોટ હરણફાળ ફરી આગળ વધી રહ્યું છે. રાજકોટમાં PM મોદી દ્વારા એઈમ્સ રૂપી નજરાણું આપવામાં આવ્યું છે. આ હોસ્પિટલ રાજકોટના પરાપીપળીયા ગામે નિર્માણ પામી રહી છે. ગુજરાતની આ પ્રથમ એઈમ્સ હોસ્પિટલનું પહેલા જ OPDનો પૂજન-અર્ચન કરી આરંભ કરી દેવાયો છે. આ OPDમાં ન્યુરોસર્જરી, એન્જિયોપ્લાસ્ટી, હાર્ટ સર્જરી, પેડિયાટ્રિત સર્જરી, બાયપાસ, ટ્રાન્સપ્લાન્ટ, કેન્સર, ની રિપ્લેસમેન્ટ વગેરે સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ હોસ્પિટલમાં નોન-એકેડેમિક સિનિયર રેસીડેન્ટ તબીબ તરીકે ડૉ. ઋશાંગ દવે (પેથોલોજી વિભાગ), ડૉ. ટ્વિન્કલ પરમાર (માઈક્રોબાયોલોજી વિભાગ, ડૉ. રાહુલ ખોખર (સર્જરી વિભાગ), ડૉ. રિદ્ધિ પરમાર (પેથોલોજી), ડૉ. શિવા પેનતાપતિ (કોમ્યુનિટી એન્ડ ફેમિલી મેડિસન), ડૉ. જય મોઢા (ડર્મેટોલોજી, ડૉ. અનુરાગ…
આવા સંકેતો દર્શાવે છે કે શનિ તમારા પર ભારે છે! જાણો સોનેરી તક અને છુટકારો મેળવવાની રીતશનિની દુષ્ટ નજર રાજાને રંક બનાવી દે છે. તેથી બધા શનિદેવથી ડરે છે. શનિ ન્યાયના દેવતા છે અને કર્મો અનુસાર ફળ આપે છે. આવી સ્થિતિમાં, જે લોકો ખરાબ કાર્યો કરે છે, ગરીબ-લાચાર-મજૂરો પર અત્યાચાર કરે છે તેમના પર શનિનો ભય વધુ હોય છે. શનિ આવા લોકોને સજા આપે છે અને તેમના જીવનમાં અરાજકતા સર્જે છે. શનિ જયંતિ 30મી મેના રોજ છે. આવી સ્થિતિમાં, આ દિવસે શનિના પ્રકોપથી મુક્તિ મેળવવા માટે ઉપાય કરવા માટે ખૂબ જ સારી તક છે. આ દિવસે કરવામાં આવેલ ઉપાયો ઝડપી…
Axis Bankના લોકો માટે ખરાબ સમાચાર, 1લી જૂનથી બદલાશે આ નિયમ; વધુ ચૂકવણી કરવી પડશેજો તમારું એકાઉન્ટ પણ એક્સિસ બેંકમાં છે, તો આ સમાચાર તમારા માટે કામના છે. તમારે આ સમાચાર સંપૂર્ણ વાંચવા જોઈએ. એક્સિસ બેંકે તેના ગ્રાહકોને ઝટકો આપતા સેવિંગ્સ એકાઉન્ટ પર સર્વિસ ચાર્જમાં વધારો કર્યો છે. આ અસર તમામ ગ્રાહકો પર પડશે. બેંકનો આ નિયમ 1 જૂનથી લાગુ થશે. બેંકે ખાતામાં જાળવવા માટે લઘુત્તમ બેલેન્સની મર્યાદા પણ વધારી દીધી છે. જો તમે વધેલી બેલેન્સ જાળવી શકતા નથી, તો માસિક સર્વિસ ચાર્જ પણ પહેલા કરતા વધુ ચૂકવવો પડશે.મિનિમમ બેલેન્સ 15 હજારથી વધીને 25 હજારબેંક દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં…
ગુજરાતને આગળ લઇ જવા માટે દિલ્હીની સરકાર અને ગાંધીનગરની સરકાર પ્રયત્ન કરી રહી છે તેમ ગુજરાતની મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું. રોરો ફેરી સર્વિસ ચાલુ થઇ છે અને સુરત થી કાઠીયાવાડ હવે ગણતરીના કલાકોમાં પહોચાય છે. એમએસઇ ગુજરાતની સૌથી મોટી તાકાત તરીકે ઉભરી છે. આજે બંદરો ધમ ધમી રહ્યા છે.આજે ગુજરાતની તાસીર બદલાઇ છે. આજે દવાની મોટી કંપનીઓ સૌરાષ્ટ્રની ધરતીઓ પર આવી છે. વન ડિસ્ટ્રીક વન પ્રોડકટનું મોટુ અભિયાન આપણે આખા દેશમાં શરૂ કર્યુ છે. ગુજરાતને આગળ લઇ જવા માટે દિલ્હીની સરકાર અને ગાંઘીનગરની સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. આયુષ્યમાન યોજના અંગે જણાવ્યું કે આ યોજનાથી યુરોપના…
કૃષિમાં આધુનિક મશીનોનો ઉપયોગ ઝડપથી વધ્યો છે. જેના હકારાત્મક પરિણામો પણ ખેડૂતોને મળ્યા છે. તેમનો નફો પહેલા કરતા વધુ ઝડપથી વધ્યો છે. આવી સ્થિતિમાં, તમામ ખેડૂતો આ મશીનોનો ઉપયોગ કરી શકે છે, આ માટે સરકાર ખેડૂતોને તેના વતી આર્થિક રીતે પ્રોત્સાહિત પણ કરે છે. ભારતમાં લગભગ 55 થી 60 ટકા વસ્તી ખેતી પર નિર્ભર છે. અહીંની અર્થવ્યવસ્થામાં કૃષિ પણ મહત્વનો ભાગ ભજવે છે. આ બધું હોવા છતાં મોટાભાગના ખેડૂતો પાસે આધુનિક ખેતીના મશીનો નથી. આ તમામ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે હરિયાણા સરકાર ખેડૂતોને કૃષિ મશીનો પર 40 થી 50 ટકા સબસિડી આપી રહી છે. અરજી કરવાની છેલ્લી તક હરિયાણા સરકારે…
રામમંદિરની ઇંટો લઈને જતાં ત્યારે પૂર્વ કોંગી નેતાઓ કહેતાં આ લોકો માટીના ઢેફા લઈને નીકળ્યાં છે ગોરધન ઝડફિયા પૂર્વ કોંગી મંત્રી ભરત સોલંકી દ્વારા રામમંદિર બાબતે કરેલ ટિપ્પણી મુદ્દે ભાજપના આકરા તેવર કોંગ્રેસના પૂર્વ મંત્રી ભરતસિંહ સોલંકી દ્વારા વટામણ ખાતે રામ મંદિર વિશે કરાયેલ વિવાદિત ટિપ્પણી બાદ ભાજપ આક્રમક બની છે. ભરત સોલંકી દ્વારા ટિપ્પણી કરાઈ હતી કે મંદિરની ઇટો પર કુતરા પેશાબ કરી રહ્યા છે, જે બાદ સમગ્ર મામલે વિવાદ છંછેડાયો છે. નડિયાદ ખાતે કેન્દ્રીય મંત્રી અમિત શાહના આગમન પહેલા એક બાદ એક કાર્યક્રમો ચાલી રહ્યા છે. તે પૈકી એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા જિલ્લા પ્રભારી ગોરધન ઝડફિયાએ…
સોશ્યલ મીડિયામાં ફેસબુક, ટવીટર કે ઇન્સ્ટાગ્રામ જેવી વેબસાઇટ ઉપર કોઇ રૂપાળું નામ અને રૂપાળો ચહેરો ધરાવતી કોઇ યુવતી કોઇ કિશોર, યુવક કે કોઇપણ પુરૂષની ફ્રેન્ડ બને છે. પોસ્ટ ઉપર લાઇક અને કોમેન્ટનાં વ્યવહારોથી શરૂ થતી વાત મેસેન્જરમાં ચેટીંગ સુધી પહોંચી છે અને થોડા જ સમયમાં તો ગાઢ મિત્રતા થઇ જાય છે. આર મિત્રતા પ્રેમમાં પરિણમે છે અને પછી તેમાંથી સેકસની વાતો થાય છે. આ યુવતી પુરૂષનાં પ્રેમમાં એટલી બધી પાગલ થઇ જાય છે કે તે પ્રથમ મેસેન્જરમાં અને ત્યાર પછી નંબર માંગીને અતિશય પ્રેમ અને સેકસની વાતો કરવા લાગે છે. પુરૂષને પણ તે ઉતેજીત કરે છે અને આ ઉત્તેજનાની વાતો…
ભરૂચ જિલ્લામાં વાગરા પંથકમાં સેવાકીય પ્રવૃત્તિ માટે જાણીતા બનેલા સુલેમાનભાઈ પટેલ સેવાધર્મને મહત્વ આપે છે અને તેને રાજકારણ સાથે સરખાવવાનું પસંદ કરતા નથી, કોરોના કાળમાં એક ભયનો માહોલ હતો લોકો ટપોટપ મરતા હતા તેથી આવા સમયે કોઈ લોકો પાસે જવા માટે પણ ડરતા હતા ક્યાંક ચેપ લાગવાનો ભય હતો પણ સુલેમાન પટેલ પોતાના વિસ્તારમાં જનતાની મદદ કરવાનું ચૂક્યા ન હતા તેઓ કોઈ રાજકીય રીતે સક્રિય ન હોવાછતાં પણ જનતાની મદદે પહોંચ્યા હતા આવા સમયે કોઈ નેતા કામ ન લાગ્યા પણ આવા મુશ્કેલ સમયે વાગરા તાલુકાના જોલવા ગામના સુલેમાન પટેલ કામ લાગ્યા હતા અને માછીમાર સમાજની પડખે ઉભા રહયા હતા અને…