ભરૂચ જિલ્લામાં વાગરા પંથકમાં સેવાકીય પ્રવૃત્તિ માટે જાણીતા બનેલા સુલેમાનભાઈ પટેલ સેવાધર્મને મહત્વ આપે છે અને તેને રાજકારણ સાથે સરખાવવાનું પસંદ કરતા નથી, કોરોના કાળમાં એક ભયનો માહોલ હતો લોકો ટપોટપ મરતા હતા તેથી આવા સમયે કોઈ લોકો પાસે જવા માટે પણ ડરતા હતા ક્યાંક ચેપ લાગવાનો ભય હતો પણ સુલેમાન પટેલ પોતાના વિસ્તારમાં જનતાની મદદ કરવાનું ચૂક્યા ન હતા તેઓ કોઈ રાજકીય રીતે સક્રિય ન હોવાછતાં પણ જનતાની મદદે પહોંચ્યા હતા આવા સમયે કોઈ નેતા કામ ન લાગ્યા પણ આવા મુશ્કેલ સમયે વાગરા તાલુકાના જોલવા ગામના સુલેમાન પટેલ કામ લાગ્યા હતા અને માછીમાર સમાજની પડખે ઉભા રહયા હતા અને અન્નદાન સહિતની મદદ કરી હતી.
ભરૂચ જિલ્લા માછીમાર સમાજ સમાજથી માંડી તમામ વર્ગના લોકોને મદદ માટે સતત વ્યસ્ત રહયા હતા રાજકીય નેતાઓ મદદે નહિ આવતા માછીમાર સમાજે જેતે સમયે રાજકીય પાર્ટી સંગઠનના નેતાઓ મદદે નહિ આવતા શોશ્યલ મીડિયા ઉપર રોષ ઠાલવ્યો હતો અને હંમેશા મહેનત કરીને પાર્ટી અને સંગઠનને મજબૂત બનાવી તે પાર્ટી અને તેના નેતાઓને ચુંટણીઓ વખતે જીતાડયા તે લોકો મુશ્કેલીના સમયે કામ લાગ્યા નહતા આ નેતાઓ MP ભરૂચ અને બન્ને એમ.એલ.એ. ને ફોન કરીને સમાજને મદદ કરવાની માંગણી કરવા છતાં કોરોના મહામારીમાં લોકડાઉનમાં સમાજની મુશ્કેલીના આ સમયે આ પાર્ટી સંગઠન કે તેના નેતાઓએ સમાજને કોઈ મદદ કરી ન હતી અને સમાજના હક્કની સરકારીઅનાજની કિટો, માસ્ક, હેન્ડગ્લોસ,સેનેટાઇઝરની બોટલોમાંથી કોઈપણ વસ્તુની એક નંગ સુધ્ધાં સમાજને આપી ન હતી અને તે બધુંજ તે પાર્ટીના નેતાઓએ તેઓના માનીતા લોકોને સગેવગે કરી દેવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો, આવા કપરા સમયે વાગરા તાલુકાના જોલવા ગામના સુલેમાનભાઈ મુસાભાઈ પટેલ માછીમાર સમાજ સમાજની પડખે ઉભા રહ્યા હતા અને મદદ કરી હતી, મુશ્કેલી ના સમયે અન્નદાન બદલ માછીમાર સમાજે જેતે સમયે આભાર ની લાગણી વ્યક્ત કરી હતી.
આમ,સુલેમાન પટેલની છાપ અહીં સેવાભાવી તરીકેની વધુ છે તેઓ સત્તા માટે નહીં પણ એક સેવા ભાવનાની ઉમદા વૃત્તિથી સેવા કરી રહયા છે.તેઓ સેવાભાવના ધરાવે છે અને પોતાના વિસ્તારમાં સતત લોકપ્રિયતા ધરાવે છે અને જનતાના કામ માટે કોઈપણ સમયે દોડી જતા સુલેમાન પટેલની કોરોના વખતની સેવા યાદ કરી રહયા છે.