Bharuch: અંકલેશ્વરમાં મહાવીર ટર્નિંગ નજીક ટ્રાફીક વિભાગમાં ફરજ બજવતા પોલીસ જવાને વૃદ્ધના પડી ગયેલ પર્સને તેના પુત્રને પરત આપી પોલીસ જનતાની રક્ષક હોય છે તે પંકતિને સાર્થક કરી હતી.
પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વરના ગાર્ડન સિટી નજીક રહેતા નિમલાબેન ભાસ્કરભાઈ સોની અંકલેશ્વરથી બસમાં બેસી મહારાષ્ટ્ર ના ધુલીયા ગયા હતા
જોકે રસ્તામાં બસમાં બેસતી વેળાએ તેમનો પર્સ પડી ગયો હોવાનું તેમને માલુમ પડ્યું હતું જે અંગે તેમણે તેમના પુત્ર સુશીલ કુમાર સોની ને જાણ કરી હતી.પર્સ શોધવા માટે પુત્ર સુશીલે અનેક પ્રયાસ કરવા છતાં પર્સ ના મળતા અંતે તેઓ નિરાશ થઈ ઘરે પરત ફર્યા હતા જોકે તેમને એક પોલીસ જવાનો ફોન આવ્યો હતો અને તેમની માતાનું પર્સ તેમની પાસે સહી સલામત હોવાનું જણાવી જરૂરી પુરાવા આપી પર્સ મેળવી લેવા કહ્યું હતું.ત્યારે સુશીલકુમાર ભાસ્કરભાઈ સોનીએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકની હદ વિસ્તારમાં ટ્રાફિક વિભાગમાં ફરજ બજવતા નવનીત ભાઈ વસાવાનો સંપર્ક કરી પર્સ પરત મેળવ્યો હતો.પર્સમાં રહેલ રોકડા રૂપિયા અને અગત્યના દસ્તાવેજ પોલીસ જવાની માનવતાના કારણે પરત મળી જતા સુશીલભાઈએ પોલીસ જવાનો આભાર માન્યો હતો અને પોલીસ ખરા અર્થમાં જનતાની રક્ષક હોવાનું તેમણે કહ્યું હતું.