Bharuch: અંકલેશ્વર તાલુકામાં આવેલ પાનોલી ઔદ્યોગિક વસાહટના પાનોલી ઉદ્યોગ મંડળની વર્ષ ૨૦૨૪-૨૫ની મેનેજિંગ કમિટીની ચૂંટણી ૬ વર્ષ બાદ પુનઃ યોજાઇ તેવી શક્યતા છે.તો બીજી તરફ વર્ષો થી પાનોલી ઉધોગ મંડળ માં સ્થાન મેળવનાર સભ્યો ચુંટણી ટાળવા મથામણ કરી રહ્યા છે.
અંકલેશ્વર તાલુકામાં પાનોલી ઔદ્યોગિક વસાહટ આવેલ છે જેમાં અનેક નાના-મોટા એકમો પાનોલી GIDCમાં કાર્યરત છે.
ત્યારે અંકલેશ્વર,દહેજની જેમ પાનોલી જીઆઇડીસી ના ઉધોગપતિનું પણ ઉધોગ મંડળ છે.પાનોલી ઉધોગ મંડળના વર્ષ ૨૦૨૪-૨૫ના મેનેજીંગ કમિટી ના સભ્યો માટે અગામી ૨૦ એપ્રિલ ના રોજ ચુંટણી યોજાશે.પાનોલી ઉધોગ મંડળ ના વર્ષ ૨૦૨૪-૨૫ના મેનેજીંગ કમિટીમાં જનરલ કેટેગરીમાં ૧૦ ઉમેદવારો જ્યારે રીસર્વ કેટેગરીમાં ૫ ઉમેદવારો એ ફોર્મ ભર્યા હતા જેમાં રીસર્વ કેટગીરીમાં જમા થયેલા ૫ ફોર્મ પૈકી ૩ ને સ્વિકારી ૨ રદ કરવામાં આવ્યા હતા જ્યારે જનરલ કેટેગરીમાં જમા થયેલ ૧૦ ફોર્મ પૈકી ૭ ને સ્વિકારી ૩ ને રીજેકટ કરવામાં આવ્યા હતા.જનરલ કેટેગરીમાં જમા થયેલ ૧૦ ફોર્મમાં એબીસી ઓર્ગેનિક એન્ડ કેમીકલ વતી ઉમેદવારી કરનાર અનીલકુમાર શર્મા,એસ.આર કેમિકલ્સના અશોકભાઈ પટેલ,એવન્સીયા મોલીકયુલ્સના આશીષ ગજેરા,ગુજરાત અમીનસ ના બીપીન પટેલ,યશ રસાયણ એન્ડ કેમિકલ્સ ના હરેશ પટેલ,નુલોન કેમિકલ્સ ના શશિકાંત પટેલ અને પનોરમા એરોમેટિક્સ ના વિક્રમ પટેલના ફોર્મ મંજુર થયા હતા.
જ્યારે સુપ્રીમ આઇસ ફેક્ટરી વતી ઉમેદવારી કરનાર અસલમભાઇ ખેરાણી,વિસમિતા ઇન્ટરમીડીયેટ ના હિતેશ શાહ અને પેરેડાઇઝ એગ્રો ના સંજય તંતીના ફોર્મ ઉધોગ મંડળના નિયમો ના કારણો સાથે રદ કરાયા હતા
તો બીજી તરફ રીસર્વ કેટેગરીમાં આર.પી ઇન્ડસ્ટ્રીઝ વતી ઉમેદવારી કરનાર નિરવ માલી,મેધમણી ઓર્ગેનિકના વિક્રમસિંહ મહીડા અને સલ્ફર મિલ્સ ના વસતુપાલ શાહ ના ફોર્મ મંજુર થયા હતા જ્યારે જલએકવા ઇન્ટરનેશનલ ના મહેશ સોજીત્રા અને નિયમ ઇન્ડસ્ટ્રીઝ ના વિનોદકુમાર જોશી નો ફોર્મ બંન્ને ઉમેદવાર હોવા છતાં પ્રપોઝ તરીકે સામ સામે સહી કરવા બદલ રીજેકટ થયા હતા.
અત્રે ઉલ્લેખનીય છેકે છેલ્લા ૬ વર્ષ પહેલાં પાનોલી ઉધોગ મંડળની ચુંટણી યોજાઈ હતી
અને તે પહેલા વર્ષ ૨૦૧૦ માં ચુંટણી યોજાઈ હતી જેને લઇ પાનોલી ઉધોગ મંડળ ના જુના જોગીયો તેમના તબા હેઠળ ના ને બાદ કરતા અન્ય કોઇને મંડળ માં સમાવેશ ન થાય તે માટે સીધી કે આડકતરી રીતે ચુંટણી ટાળવાના નામે પેતરા કરતા હોવાની ચર્ચા છે.જ્યારે આટલી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર માં અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચુંટણી નિર્વિવાદીત રીતે યોજાતી હોય તો પાનોલી ઉધોગ મંડળની કેમ નહીં ? અને કેમ પાનોલીમાં ચુંટણી થાય તો વિવાદ સર્જાય તેવો ઉધોગ મંડળનો મત છે ? તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે.
ત્યારે આ વર્ષે રીસર્વ કેટેગરીમાં ૪ બેઠક સામે ૩ ફોર્મ મંજુર થયા છે જ્યારે જનરલ કેટેગરીની ૬ બેઠક સામે ૭ ફોર્મ મંજુર થતા હવે ચુંટણી પુનઃ યોજાઇ તેવી શક્યતા છે જોકે ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ ૧૧ એપ્રિલ છે ત્યારે આવતી કાલે જો એકપણ ઉમેદવાર કોઇપણ કારણોસર ફોર્મ પાછું ખેંચે તો બિનહરીફ સભ્યો ની વરણી થશે.,
અઝહર પઠાન પાનોલી