કેન્દ્ર સરકાર દ્વારા ગત તારીખ 8મી નવેમ્બર ના રોજ થી 500અને 1000ની ચલણી નોટો બંધ કરતા જેની અસર દેશ ના મિડલક્લાસ ગરીબો નાગરિકો ઓને ભોગવવો પડી રહ્યો છે જેના વિરોધમાં વિરોધ પક્ષ પાર્ટી કોંગ્રેસ દ્વારા તારીખ 28મી ડિસેમ્બર ના રોજ ભારત બંધ નું એલાન કરવામાં આવ્યું હતું પરંતુ દેશ ના અર્થતંત્ર ને ધ્યાન માં રાખી કોંગ્રસ પાર્ટી એ રાતોરાત પોતાનો ભારત બંધ નો નિર્ણય મોકૂફ રાખી ખાલી કેન્દ્ર સરકાર વિરુદ્ધ વિરોધ પર્દશન કરવાનું નક્કી કર્યું જે સંદર્ભે આજરોજ ભારત દેશ માં કોંગ્રેસ ના કાર્યકર્તા વહેલી સવારથી રસ્તાપર આવી જઈ પોતાનો ધારણા પર્દશન કરી વિરોધ કર્યું હતું જેના ભાગરૂપે વલસાડ શહેર…
કવિ: SATYA DESK
લોકસભામાં સરકાર દ્વારા રજુ કરાયેલા ઈંકમટેક્સ સંશોધન બિલમાં જણાવ્યું છે કે અધોષિક આવક ઉપર 30 ટકા ટેક્સ, 10 ટકા દંડ, અને 33 ટકા સરચાર્જ પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. જો કોઈ વ્યકતિ આ રકમની જાહેરાત નહિ કરે તો આઈટી વિભાગ રેડ કરશે તો 75 ટકા ટેક્સ અને 10 ટકા દંડ હશે એટલે કે 85 ટકા ટેક્સ વસુલ કરવામાં આવશે. મોદીએ અચાનક બોલાવેલી કેબીનેટની બેઠક માં ઈંકમટેક્સ બિલમાં સુધારાના બિલમાં મંજૂરી આપી હતી.જેમાં અધોષિત આવક ઉપર 50 ટકા ટેક્સ અને ચાર વર્ષ સુધી 25 ટકા રકમ લોક ઈન કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. અધોષિત આવકનો 53 ટકા ભાગ સરકારી તિજોરી માં…
ભારતમાં ભ્રષ્ટાચાર, ગોબાચારી સહિતના બોગસ ધંધાઓ સામે શરૂ થયેલી ઝુંબેશમાં દેશભરમાં અત્યાર સુધી કરોડો બોગસ રેશન કાર્ડ અમલમાં હોવાની વાત નો ખુલાસો થયો છે. દેશભરમાં આધાર કાર્ડ નંબર ઉપરથી ૨૦૩ કરોડ બોગસ રેશન કાર્ડની માહિતી બહાર આવી હતી. જોકે અયોગ્ય રેશન કાર્ડ રદ કરી દેવામાં આવ્યા છે. ચાર વર્ષમાં આટલા રેશન કાર્ડ બોગસ હોવાની વાતનો ખુલાસો થયો છે. ૭૧ ટકા રેશન કાર્ડ આધાર કાર્ડ નંબર સાથે જોડવામાં આવ્યા છે. ૭ રાજ્યમાં ૧૦૦ ટકા રેશન કાર્ડ આધાર નંબર સાથે લીંકઅપ કરાયા છે. મોટાભાગે બોગસ રેશન કાર્ડ પૈકી પ.બંગાળમાં ૬૬.૧ લાખ, મહારષ્ટ્ર માં ૨૧.૬ લાખ બોગસ રેશનકાર્ડ મળી આવ્યા હોવાનું સબંધિત સરકારી…
રાજ્યના ચૂંટણી વિભાગ દ્વારા ગ્રામ પંચાયતની આગામી ડીસેમ્બરમાં યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણી અંગે એક પત્રકાર પરિષદમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણી કમિશનર વરેશ સિન્હાએ પત્રકારો ને આપેલી વિગતો મુજબ આગામી ૨૭મી ડીસેમ્બરના રોજ ગ્રામપંચાયત ની ચૂંટણી યોજાશે. અને ૨૯મી ડીસેમ્બરના રોજ મત ગણતરી હાથ ધરાશે. ૮મી ડીસેમ્બરના રોજ જાહેરનામું પ્રસિદ્ધ થશે. ૧૦ ડીસેમ્બર ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ રાખવામાં આવ્યો છે. રાજ્યના ૧૦,૩૧૮ ગામોમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે
કોંગ્રેસના ભરતસિહ સોલંકીએ આપેલા એક નિવેદન માં જણાવ્યું હતું કે ભાજપ દ્વારા ભારતબંધ સમયે તોફાનો ફાટી નીકળવાની શક્યતા હતી તેથી છેલ્લી ઘડીએ કોંગ્રેસ દ્વારા અપાયેલા ભારત બંધના એલાનને પાછું ખેંચવાનો નિર્ણય લેવામો આવ્યો હતો. તેઓએ ઉમેર્યું હતું કે જો ભારતબંધ એલાનને મોકૂફ રખાયું ન હોત તો મોટા પાયે તોફાનો ફાટી નીકળત અને તેનાથી નુકશાન થવાની ભીતિ હતી.
મહારાષ્ટ્રના માઓવાડી વિસ્તારોમાં જેની ગણના થાય છે. તેવા ગોડિયા અને ચંદ્રાપુર જિલ્લાઓના આદિવાસીના બેંક બેલેન્સ માં રાતોરાત લાખ્ખો રૂપિયા જમા થઇ જતા સ્થાનિક શાસન ચોકી ઉઠ્યું છે. અત્યાર સુધીમાં રૂ. ૪૦ લાખ જેટલી રકમ ગરીબ આદિવાસીઓના એકાઉન્ટ માં જમા થઇ છે. ગુપ્તચર એજન્સીના સુત્રોના જણાવ્યા પ્રમાણે ભામરગઢ, અહેરી,તથા ઇતપલ્લીના ગઢ જંગલોમાં લગભગ ૨૦૦ જેટલા માઓવાડીઓ કામ કરી રહ્યા છે. અને તેઓ વેપારીઓ પાસેથી દર વર્ષે ૧૦ કરોડ જેટલી ખંડણી વસુલે છે. ત્યારે આ નાણા અંગે તપાસ શરૂ થઇ છે. ગડચિરોલી જીલ્લામાં ૧૧૯ સરકારી ખાનગી તથા સહકાર બેન્કોની શાખાઓ અને ૭૨ એ.ટી.એમ છે, માઓવાડીઓ દ્વારા ગરીબ આદિવાસી લોકોના એકાઉન્ટમાં નાણા જમા…
ભાજપ ના સીનીયર અને મોદીજીના માનીતા એવા સૌરભ પટેલ છેલ્લા બે-ત્રણ દિવસોથી ભારે ચર્ચામાં રહ્યા છે. અને એક અંગ્રેજી અખબાર અને ગુજરાતના અગ્રણી દૈનિક માં સૌરભ પટેલ સામે કૌભાંડનો મામલો બહાર આવતા ભારે ચકચાર જાગી છે. ૧૪ વર્ષ સુધી ગુજરાતના ઉર્જા પેટ્રો કેમીકલ્સ મંત્રી રહી ચુકેલા અને ચાર વખત ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાતા સૌરભ પટેલ પીએમ મોદીના ગુડલીસ્ટમાં છે. એક કદાવર નેતા તરીકે તેમની ઓળખ છે અને હવે તેઓ મંત્રીપદ ઉપર હતા ત્યારે પોતાના પરિવારના સભ્યોને આર્થિક લાભ પહોંચાડયો હોવાનો આરોપ લાગ્યો છે. સૌરભ પટેલની ગુજરાતના આઠ ઓઇલ બ્લોકમાં નાણાકીય હિસ્સેદારી હોવાનો મામલો સામે આવ્યો છે. ઇન્ડિયન એકસપ્રેસની તપાસ અનુસાર તેમણે…
નોટબંધીનો વિરોધ કરવા માટે કોંગ્રેસ દ્વારા ૨૮મી એ અપાયેલા ભારતબંધ ના એલાનના સ્થાને મોડેથી માત્ર આક્રોશ દિવસ મનાવી કોંગ્રેસ સહિતના વિપક્ષોએ મન મનાવ્યું હતું. આ બધા વચ્ચે લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષના હોબાળા બાદ રાહુલ ગાંધીએ સંસદ પરિસરમાં ગાંધીજીના સ્ટેચ્યુ પાસે પોતાના સમર્થકો સાથે ધરણા કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. દરમ્યાન માયાવતીએ જણાવ્યું કે તેઓ બંધમાં સામેલ નથી પરંતુ પોતાની રીતે વિરોધ કરશે. જયારે ગૃહમંત્રી રાજનાથ સિહે વિપક્ષ સાથે મોદીજી નોટબંધી ઉપર ચર્ચા કરવા તૈયાર હોવાનું જણાવ્યું હતું. પરંતુ વિપક્ષ ભાગતું હોવાનું ઉમેર્યું હતું. કેરળમાં થોડા અંશે બંધ જોવા મળ્યું હતું. જયારે ડાબેરી પક્ષોએ બિહારના દરભંગા, જહાના બાદ, ધનબાદ, પટના ગયા…
વિશ્વના પ્રતિષ્ઠિત મેગેઝીન પૈકીના ટાઇમ મેગેઝીન દ્વારા પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ પોતાના ટાઇમ પર્સન ઓફ ધી યર માટે પોલ કરાવી રહ્યું છે. આ પોલમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી આગળ ચાલી રહ્યા છે અને તેઓએ અત્યાર સુધીના પોલમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદમીર પુટીન, અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, વિક્લીક્સના સ્થાપક જુલીયન અસાન્જ અને અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ બરાક ઓબામા ને પાછળ રાખી દીધા છે. મેગેઝીનના જણાવ્યા પ્રમાણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અત્યાર સુધી ૧૧ ટકા મતો મળ્યા છે. જયારે અસાન્જને ૯ ટકા, તેમજ ટ્રમ્પ તથા રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ૮ જયારે બરાક ઓબામા તથા ઉત્તર કોરિયાના સરમુખત્યાર કીમ જોંગ ઉનને…
રાજકોટ સહીત આસપાસના વિસ્તારોમાં ૨૫ કરતા વધુ ગુનાઓમાં સંડોવાયેલા ફરાર બલી ડાંગરને પોલીસે રાજકોટ- અમદાવાદ બેટી ગામ નજીક હાઇવે ઉપરથી દબોચી લીધો હતો. દોઢ વર્ષ અગાઉ પેરોલ જંપ મારનાર બલી ડાંગર ધાક-ધમકી- મારામારી સહીત ખેડૂતોની જમીનો પડાવી લેવા ઉપરાંત ફાયરીંગ કરવા જેવા ગંભીર ગૂનાઓમાં સંડોવાયેલો છે અને ૪ વખત પાસામાં જઈ ચુક્યો છે. પોલીસ માટે માથાનો દુઃખાવો બનેલા બલી ડાંગરને ઝડપી પાડવા પોલીસ ઘણા જ સમયથી પ્રયાસ કરતી હતી પરંતુ દરવખતે લોકેશન બદલતો હોવાથી આસાનીથી હાથમાં આવતો ન હતો. દરમ્યાન અમદાવાદ રાજકોટ હાઇવે ઉપરથી આખરે તેના ચાર સાગરીતો સાથે બલી ડાંગરને પોલીસે દબોચી લીધો હતો. આ અંગે રાજકોટ પોલીસ કમિશનર…