સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રિયલ માં આજે સવારે એક દુકાનમાં આગ ફાટી નીકળી હતી જોતજોતામાં આગે ગંભીર સ્વરૂપ ધારણ કરતા વારા ફરથી ૩ ગોડાઉન અને 1 દુકાન અને ચા નાસ્તાની ત્રણ લારીઓ ઝપેટમાં આવી હતી જેના લીધે ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી જોકે આ બનાવમાં કોઈ ઈજા કે જાનહાની થઈ નથી. ફાયરબ્રિગેડના સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ સચિન વિસ્તારમાં આવેલી હોજીવાલા ઇન્ડસ્ટ્રિયલમાં આજે સવારે 10:52 વાગ્યે એક દુકાનમાં આ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વારાફરતી એક દુકાન અને ત્રણ ગોડાઉન તથા ચા નાસ્તા સહિત 3 લારીઓ ઝપેટમાં આવી હતી. જેના લીધે ધુમાડાના ગોટેગોટા નીકળતા હતા. આગની લપેટમાં…
Author: Hemangi Gor- SatyaDay Desk
સચિનની ઉનપાટીયા ખાતેની શાળામાં જુનિયર કેજીની વિદ્યાર્થીનીને શિક્ષિકાએ માર માર્યો હોવાની આક્ષેપ તેના પરિવારે કર્યા હતા. નવી સીવીલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ સચિનના ઉનપાટીયા ખાતે દરબાર નગરમાં રહેતા આસિફ શેખની પાંચ વર્ષીય પુત્રી અકક્ષાને બન્ને પગોમાં દુખાવો થતાં આજે સવારે સારવાર માટે તેના પરિવારજનો નવી સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા. ત્યાં તેના પરિવારના સભ્યોએ કહ્યું હતું કે ઉનપાટીયાની શાળામાં બાળકી જુનિયર કેજીમાં અભ્યાસ કરે છે. શનિવારે શાળામાં શિક્ષિકાએ બાળકીના જમણા હાથમાં લાકડી વડે માયુ હતું અને શિક્ષિકાએ બાળકીને ધમકાવી કહ્યું કે ઘરે જઈને કોઈને કહેતી નહીં બાદમાં સોમવારે બાળકીને શિક્ષિકાએ ઉઠક બેઠક કરાવી હતી જેના લીધે તેના પગમાં સખત દુખાવો થતો…
શહેરના ગોપીપુરા વિસ્તારમાં મારી દીકરી તારા જેટલી જ અને મારે તેને ગીફટ ટી-શર્ટ ગીફટ આપવાની છે એમ કહી ટી-ર્શટની સાઇઝ માપવાના બ્હાને 10 વર્ષની માસુમ બાળા સાથે અશ્લીલ હરકત કરતા મામલો અઠવાલાઇન્સ પોલીસ મથકમાં પહોંચ્યો છે. ગોપીપુરા વિસ્તારમાં રહેતા મધ્યમ વર્ગીય પરિવારની 10 વર્ષની માસુમ બાળા દિવ્યા (નામ બદલ્યું છે) તેના રહેણાંક એપાર્ટમેન્ટમાં રમી રહીત હતી. તે દરમ્યાન સાંજના સાડા છ વાગ્યાના અરસામાં અંદાજે 30 વર્ષીય નરાધમ એપાર્ટમેન્ટમાં ઘસી આવ્યો હતો. નરાધમે માસુમ દિવ્યાને કહ્યું હતું કે તારી ટી-શર્ટની સાઇઝ લેવી છે. મારી દીકરી તારા જેટલી જ છે અને મારે તેને ગીફટ આપવાની છે એમ કહી સાઇઝ ચેક કરવાના બહાને…
રાજ્યના અમુક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી હતી ત્યારે રાજકોટ જિલ્લામાં બપોર બાદ કમૌસમી વરસાદ વરસ્યો છે. રાજકોટ જિલ્લાના મોટી મેંગણી તેમજ રાજકોટ-જામનગર જિલ્લાના ઘણાં ગામડામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. આ વરસાદના લીધે ત્યાંના ખેડુતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. વરસાદના કારણે રવિ પાકને નુંકસાનની ભીતિ સેવાય રહી છે. આ સિવાય દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના સલાયા ગામે કમૌસમી વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સલાયા સહિત આસપાસના ગામોમાં કમોસમી વરસાદ પડતા ઘંઉ, જીરૂ, લસણ, ડુંગળી અને ચણા સહિતના પાકને વ્યાપક નુકસાનની થવાની ભીતિ છે. ગોંડલના પીપળિયા, ભરૂડી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જસદણના આટકોટમાં આજે સવારે ઝાકળ…
ડિસેમ્બર માસના પ્રથમ સપ્તાહ બાદ આણંદ જિલ્લામાં ધીમે-ધીમે શિયાળો પોતાનો અસલી મિજાજ બતાવી રહ્યો છે. જો કે બુધવારના રોજ જિલ્લામાં લઘુત્તમ તાપમાનનો પારો ૧૪.૦ સુધી ગગડી જતાં જિલ્લાવાસીઓએ ઠંડીનો ચમકારો અનુભવ્યો છે. ખાસ કરીને મોડી સાંજથી વહેલી પરોઢ સુધી કાતિલ ઠંડીના કારણે જનજીવન પર અસર પહોંચી છે. આગામી દિવસો દરમ્યાન ધીમે-ધીમે તાપમાનનો પારો હજી નીચે જશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાંં આવી છે. ઉત્તરભારતમાં થઈ રહેલ હીમવર્ષાને પગલે રાજસ્થાનના મેદાની પ્રદેશો પરથી ઠંડા પવનો ગુજરાત તરફ ફુંકાવાના કારણે સમગ્ર ગુજરાત રાજ્ય સહિત આણંદ જિલ્લામાં ધીમે-ધીમે તાપમાનનો પારો નીચે જઈ રહ્યો છે. જો કે ત્રણ દિવસ પૂર્વે વાદળછાયા વાતાવરણના…
વડોદરામાં ડેન્ગ્યુના કેસો હજી ઘટવાનું નામ લેતા નથી. ડિસેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં 11 દિવસમાં ડેન્ગ્યુ પોઝિટિવના 141 કેસ નોંધાયા છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ડેન્ગ્યુના કુલ 1195 કેસ થયા છે જેની સામે શંકાસ્પદ કેસોની કુલ સંખ્યા 5777 છે. માત્ર ડિસેમ્બરના 11 દિવસમાં જ શંકાસ્પદ કેસ 506 થયા છે. શિયાળો શરૂ થઈ ગયો છે અને ઠંડીના દિવસોમાં ડેન્ગ્યુ નિયંત્રણમાં આવી જવો જોઈએ પરંતુ હજી કેસો વધી રહ્યા છે. ગઈ કાલે તારીખ 11ના રોજ ડેન્ગ્યુના પોઝિટિવ 21 અને શંકાસ્પદ 58 કેસ થયા છે. બીજી બાજુ મચ્છર નિયંત્રણ માટે કોર્પોરેશન દ્વારા ફોગીંગનું પ્રમાણ વધારી દેવામાં આવ્યું છે એમાંય કન્ટ્રકશન સાઈટ પર બાંધકામ પાકુ કરવા…
આર્થિક મોરચે હજી પણ પરિસ્થિતિ વધારે કથળશે તેવો સંદેશ આપીને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગર્વનર શક્તિકાંત દાસે બેન્કોને તૈયાર રહેવા જણાવ્યુ છે. દેશની જાહેર ક્ષેત્રની બેન્કો સાથે વાત કરતા આરબીઆઈ ગર્વનર દાસે કહ્યુ હતુ કે, બેંકો આગામી દિવસોમાં ઉભા થનારા પડકારોનો સામનો કરવા માટે તૈયાર રહેશે. ખાસ કરીને જેના પર લોનનુ ભારણ હોય તેવી પ્રોપર્ટીના મામલાઓનો ઉકેલ લાવવા માટે વધારે સંકલનથી કામ કરે. આરબીઆઈ ગર્વનરે આ વાત એવા સમયે કહી છે જ્યારે દેશનો જીડીપી છ વર્ષમાં સૌથી નીચેની સપાટીએ છે. ચાલુ નાણાકીય વર્ષમાં બીજા કવાર્ટરમાં દેશનો જીડીપી 4.5 ટકાએ પહોંચ્યો છે. આરબીઆઈએ અનુમાન કર્યુ છે કે, દેશમાં આર્થિક વિકાસ દર…
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઑફ ઇન્ડિયાએ સંશોધિત મોબાઇલ નંબર પોર્ટેબિલીટી પ્રોસેસ માટે એક જાહેર નોટિસ જારી કરી છે. તેના થઈ 16 ડિસેમ્બરથી પોર્ટિંગની પ્રક્રિયા વધુ ઝડપી અને સરળ બની જશે. એમએનપી અંતર્ગત કોઇપણ યુઝર પોતાના ઓપરેટરને સરળતાથી બદલી શકે છે અને પોતાનો મોબાઇલ નંબર એક જ રાખી શકે છે. નવી પ્રક્રિયા યુનિક પોર્ટિંગ કોડના ક્રિએશનની શરત સાથે લાવવામાં આવી છે. નવા નિયમ અંતર્ગત હવે સર્વિસ એરિયાની અંદર જો કોઇ પોર્ટ કરાવાનો આગ્રહ કરે તો તેને 3 વર્કિગ ડેમાં પૂરુ કરવાનું રહેશે. સાથે જ એક સર્કલથી અન્ય સર્કલમાં પોર્ટના આગ્રહને 5 વર્કિંગ ડેમાં પૂરૂ કરવાનું રહેશે. ટ્રાઇએ તે સ્પષ્ટતા કરી છે કે…
૧૯૬૭માં પાંચ મિત્રો સિંધીવાડ, જમાલપુરની શેરીમાં નિયમિત વાતો કરતા એક સાંજે જ્યારે તેઓ વાતો કરી રહ્યા હતા ત્યારે તેમણે નોંધ્યુ કે તેમના વિસ્તારમાં બાળકો મોટા પ્રમાણમાં ડ્રોપઆઉટ કરી રહ્યા હતા. આ બાબત તેમને ચિંતાજનક લાગી. ભણતરમાંથી રસ ખોઇ રહેલા બાળકોમાં ફરીથી અભ્યાસ માટે રસ કેવી રીતે જગાવી શકાય? તે પ્રશ્નને હલ કરતા આ પાંચ મિત્ર કે જેઓ સરકારી નોકરી કરતા હતા, તેઓએ નિયમિત રીતે રાત્રે આ બાળકોને મફત ટયૂશન આપવાનું શરૃ કર્યું. બાળકોને રસ જાગ્યો. બાળકોને ભણતા જોઇને માતા-પિતાએ આ પાંચ મિત્ર પાસે સ્કૂલ શરૃ કરવાની વાત મૂકી. નાનકડાં રૂમમાં કરી શરૂઆત એક પછી એક પાસાં તેની જગ્યાએ બેસતા ગયા…
નાગરિકતા સંશોધન બિલ પર દેશભરમાં વિવાદ વધી રહ્યો છે. આ વચ્ચે રાજ્યસભાના સાંસદ અને બંગાળના ભાજપના નેતાએ એક ખૌફનાક કહાની લોકોને બચાવી છે. રૂપા ગાંગુલીએ જણાવ્યું છે કે, દિનાજપુર જિલ્લામાં 7મા ધોરણમાં ભણતી હતી. એ સમયે તેમને અને તેમની માએ બુરખો પહેરીને ભાગવું પડ્યું હતું. કેટલાક લોકો તેમનું અપહરણ કરવા માટે આવ્યા હતા. જો તે સમયે તેમણે બુરખો ન પહેર્યો હોત તો આજે કોઈ ખાન ટાઈગરની બેગમ હોત. રૂપા ગાંગુલીએ ગૃહમંત્રી અમિત શાહના સંસદમાં આપેલા ભાષણના જવાબમાં ટ્વીટ કરી છે કે કાશ હું મારી આપવીતી લોકોને કહી શકી હોત કે મેં શું શું ભોગવ્યું છે જિંદગીમાં. આજે નરેન્દ્ર મોદી અને…