જો તમે આવનારા સમયમાં સ્કૂટર અને બાઇક ખરીદવાનું વિચારી રહ્યાં હોવ તો તમારા માટે આ એક મહત્વના સમાચાર છે. હકીકતમાં દેશની સૌથી મોટી ટુવ્હીલર પ્રોડક્શન કંપની હીરો મોટોકોર્પે સમીક્ષા બાદ 1 જાન્યુઆરી 2020થી વાહનોની એક્સ શૉરૂમ કિંમતો વધારવાની ઘોષણા કરી છે. તેવામાં આગામી વર્ષે એક જાન્યુઆરીથી કંપની તમામ મોડેલની કિંમત 2000 રૂપિયા સુધી વધારી દેશે. મારૂતિ સુઝુકીએ વધાર્યા ભાવ તાજેતરમાં જ દેશની સૌથી મોટી વાહન નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ જાન્યુઆરીથી પોતાના તમામ મોડેલના ભાવ વધારવાની ઘોષણા કરી હતી. કંપનીએ જણાવ્યા અનુસાર ઇનપુટ ખર્ચ વધવાના કારણે કિંમત વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે કયા મોડેલના કેટલા ભાવ વધશે તેના વિશે…
Author: Hemangi Gor- SatyaDay Desk
લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ પસાર થવા અંગે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ બિલને બંધારણ પરનો હુમલો ગણાવ્યો છે. તેમજ તેનું સમર્થન કરવું ભારતની બુનિયાદને નષ્ટ કરવાનો પ્રયાસ ગણાશે તેવું ટ્વીટ કરી રાહુલ ગાંધી પોતાની પ્રતિક્રિયા આપી છે. તો કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સરકાર પર કટ્ટરતાનો આરોપ લગાવતા કહ્યું કે કોંગ્રેસ સરકારના બંધારણને નષ્ટ કરવાના વ્યવસ્થિત એજન્ડા વિરૂદ્ધ લડત ચલાવશે. પ્રિયંકાએ ટ્વીટ કરી કહ્યું કે ગત રાત્રે લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ પસાર થતાંની સાથે જ ભારત કટ્ટરતા તેમજ સંકુચિત વિચારવાળાથી ભારતના વાયદાની પુષ્ટી થઈ. અમારા પૂર્વજોએ આપણી સ્વતંત્રતા માટે બલિદાન આપ્યાં, તે સ્વતંત્રતામાં સમતાનો અધિકાર અને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર…
છેલ્લા ઘણાં સમયથી અમરેલી જિલ્લામાં માનવભક્ષી દીપડાનો આંતક વધી ગયો હતો. જેના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકો અને ખાસ કરીને ખેડૂતોમાં ભયનો માહૌલ હતો. આ મુદ્દે સ્થાનિકો દ્વારા ભારે વિરોધ દર્શાવાયો હતો. ઘણા લોકોને ફાડી ખાધા છે, તો ઘણાઓને ઈજા પહોંચાડી છે. દીપડાઓના આતંકને લઈને લોકો ત્રાહિમાં કરી ગયા છે. તેને પગલે જિલ્લા મેજિસ્ટ્રેટે બગસરા તાલુકામાં ધારા 144 લગાવી દેવામાં આવી છે. આ બાબતે હવે એક રાહતના સમાચાર મળ્યા છે. અમરેલીના બગસરાના કાગદડી ગામની સીમમાંથી આખરે એક માનવભક્ષી દીપડી પાંજરે પૂરાઇ ગઇ છે. સમગ્ર વનતંત્ર સાપરમાં દીપડીને શોધી રહ્યું હતું, ને દીપડી કાગદડીની સીમમાં પાંજરે પૂરાઈ હોવાનું જાણવા મળ્યું છે. વનમંત્રીએ…
વિશ્વભરમાં વેચાતા હિથયારોની હેરાફેરી પર સ્ટોકહોમની સંસૃથા ‘સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પિસ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ (એસઆઈપીઆરઆઈ- સિપ્રી)’ નજર રાખે છે. તેનો વૈશ્વિક અહેવાલ રજૂ થયો હતો. એ પ્રમાણે 2018માં વિશ્વનું હિથયાર માર્કેટ 4.6 ટકા વધીને 420 અબજ ડૉલરના આંકડે પહોંચ્યુ હતું. 2017 કરતાં આ આંકડો 5 ટકા મોટો છે, પરંતુ 2002ની સરખામણીમાં આંકડો 47 ટકા વૃદ્ધિ પામ્યો છે. સિપ્રી આ રિપોર્ટ વિશ્વના 100 સૌથી મોટા હિથયાર ઉત્પાદકોના વેચાણ આંકડાના આધારે નક્કી કરે છે. જોકે આ આંકડામાં ચીનનો સમાવેશ થતો નથી. કેમ કે ચીની કંપની, ચીની સરકાર સાચા આંકડા જાહેર કરતી નથી. માટે સિપ્રીનો આંકડો વૈશ્વિક હોવા છતાં ચીનનો તોતિંગ હિસ્સો તેમાંથી બાકાત રહે છે.…
સોમવારે લોકસભામાં નાગરિકતા સુધારા ખરડાને ટેકો આપનારી શિવસેના બુધવારે રાજ્યસભામાં આ ખરડાના મુદ્દે મોદી સરકારને દગો આપી શકે છે એવા અણસાર મળ્યા હતા. હાલ રાજ્યસભામાં મોદી સરકારના 119 સભ્યો છે. વિપક્ષના 100 સભ્યો છે. શિવસેના દગો આપે તો ભાજપની બાજી બગડી શકે છે. રાજ્યસભાના 19 સભ્યો એવા છે જેમનું વલણ હજુ સ્પષ્ટ નથી. આજે મંગળવારે સવારે શિવસેનાના સંજય રાઉતે એવું વિધાન કર્યુ ંહતું કે હવે અમે એનસીપી અને કોંગ્રેસ સાથે મહારાષ્ટ્રમાં રાજ્ય સરકાર રચી છે એટલે નાગરિકતા સુધારા ખરડા અંગે અમે પુનઃવિચાર કરી શકીએ છીએ. રાજકીય પંડિતો માને છે કે આ વિધાનનો અર્થ એવો પણ થઇ શકે કે રાજ્યસભામાં શિવસેના ભાજપને…
સુરત મહાનગર પાલિકાના સેન્ટ્રલ ઝોન નાનપુરા વિસ્તારમાં વેરી સવારે રસ્તા વચ્ચે મોટો ભૂવો પડી ગયો હતો. ટ્રાફિકથી ધમધમતા એવા વિસ્તારમાં રસ્તા વચ્ચે જ ભૂવો પડી જતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. મહાનગર પાલિકા તંત્રને આ અંગે ખબર પડતા તાત્કાલીક રસ્તો બંધ કરી કામગીરી શરૂ કરી હતી. નાનપુરા માછીવાડ વિસ્તારમાં ગત વર્ષે જે જગ્યાએ મોડી રાત્રે ભૂવો પડ્યો હતો તેની નજીક જ આજે વહેલી સવારે મોટો ભૂવો પડી ગયો છે.આ વિસ્તારમાંથી પસાર થતી જૂની ડ્રેનેજ લાઈન તૂટી જતા આ ભુવો પડયો હોવાનો કહેવાય રહ્યું છે. આ વિસ્તાર સતત ટ્રાફિકથી ધમધમતો હોય છે. સદ્ન નસીબે ભુવો વહેલી સવારે પડતા કોઇ જાનહાનિ થઇ ન…
ખાણીપીણીના શોખીન સુરતીઓ ને કેટલાક વેપારીઓ પોંક વડાના નામે ભેળસેળિયા વડા પધરાવી રહ્યા છે. વાસ્તવિકતા ખબર ન હોવાથી સુરતીઓ આવા પોકવડા મારે ટેસ્ટ થી આરોગી રહ્યા છે. પોંક માટે જાણીતા એવા સુરતમાં હજી પોંકનું વેચાણ હજી માંડ શરૂ થયું છે. પોંક 400 રૂપિયા કિલો વેચાઈ રહ્યો છે. જ્યારે શહેરના મોટાભાગના વિસ્તારમાં પોંકવડાના સ્ટોલ ખુલી ગયા છે. આ સ્ટોર ઉપર પોંકવડા 300 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. સુરતીઓ ટેસ્ટના શોખીન હોવાથી પોંકવડા ભારે ટેસ્ટ થી ઝાપટી રહ્યા છે. પોંક વડા ખાનારા લોકો ને ખબર જ નથી કે પોંકવડાનું વેચાણ કરતા મોટાભાગના ફરસાણના વેપારીઓ ભેળસેળિયા વડા વેચી રહ્યા છે. ફરસાણમાં આ વેપારીઓ…
અમૂલ ડેરીએ વધુ એકવાર પશુપાલકો માટે ખુશીના સમાચાર આપ્યા છે. ડેરીએ દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો છે. પ્રતિ કિલો ફેટે રૂપિયા 10નો ભાવ વધારો કરાયો છે. નવો ભાવ વધારો 11 ડિસેમ્બરથી લાગુ કરવામાં આવશે. ભેંસના દૂધનો જૂનો ભાવ 700 હતો જે વધારીને 710 કરવામાં આવ્યો છે. ગાયના દૂધનો જુનો ભાવ 318 હતો જે વધારી 322 કરવામાં આવ્યો છે. ગાયના દૂધમાં 4.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નવા ભાવ વધારાથી 7 લાખ પશુપાલકોને ફાયદો થશે.
રિલાયન્સ જિયોના ગ્રાહકો માટે ખુશખબર છે. કંપની 98 અને 149 રૂપિયાના પ્લાન પરત લઇ આવી છે. જણાવી દઇએ કે 6 ડિસેમ્બરથી વધેલી કિંમત સાથે જારી કરવામાં આવેલા જિયોના પ્રીપેડ પ્લાન્સની લિસ્ટમાં આ બંને પ્લાન્સ સામેલ ન હતા. 149 રૂપિયાનો પ્લાન 1 જીબી પ્રતિ દિવસના ડેટા સાથે આ પ્લાનમાં 24 દિવસની વેલીડીટી પર કુલ 24 જીબી ડેટા, દરરોજ 100 ફ્રી એસએમએસ, જિયો ટુ જિયો અનલિમિટેડ ફ્રી કોલિંગ, અન્ય નેટવર્ક પર ફ્રી કૉલ માટે 300 FUP મિનિટ મળે છે. આ ઉપરાંત જિયો એપ્સનું કોમ્પ્લિમેંટરી સબ્સ્ક્રીપ્શન પણ મળે છે. 98 રૂપિયાનો પ્લાન આ પ્લાનમાં 2 જીબી ડેટા મળે છે. આ પ્લાનમાં જિયો ટુ…
વાસ્તુ શાસ્ત્રમાં ઘરની હકારાત્મક ઊર્જા વધારવા અને નકારાત્મક ઊર્જાને સમાપ્ત કરવાની ટિપ્સ આપવામાં આવી છે. ઘરની દરેક વસ્તુ માટે વાસ્તુશાસ્ત્રમાં શુભ-અશુભ દિશાઓ બતાવવામાં આવી છે. માન્યતા છે કે ઘરમાં મની પ્લાન્ટ યોગ્ય દિશામાં વાવેલો હોય તો વાતાવરણ હકારાત્મક બની રહે છે અને ધનને લગતા કામોમાં આવતી અડચણો દૂર થઈ શકે છે. મની પ્લાન્ટ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જેનું આપણે હંમેશાં ધ્યાન રાખવું જોઈએ. મની પ્લાન્ટ જેટલો હર્યો-ભર્યો રહેતો હોય, એટલો જ તેને શુભ માનવામાં આવે છે. તેના પાન મુરઝાઈ જવા, પીળા કે સફેદ પ઼ડી જવા અશુભ માનવામાં આવે છે. એટલા માટે તેના ખરાબ પાન તરત જ હટાવી દેવા જોઈએ.…