ગુજરાત પેટા ચૂંટણીના પરિણામ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે. જે અંતર્ગત અમિત શાહ સવારે 9.45 થી 10.00 વાગ્યા સુધીમાં ગાંધીનગર કોર્પોરેશનમાં કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમનું લોકર્પણ કરશે. તો 10.00 થી 11.30 મહાત્મા મંદિરના કાર્યકમમાં હાજરી આપશે. બપોરે 12.00 વાગ્યે કલોલ ખાતે પહોંચશે જ્યાં કલોલ ઓવર બ્રિજનું લોકાર્પણ કર્યા બાદ APMCના વિશાળ ગેટનું લોકર્પણ કરશે. ત્યારબાદ તેઓ ડો.અતુલ પટેલની કોલેજમાં જાહેર સભામાં સંબોધન કરશે. અમિત શાહ કલોલનો કાર્યકમ પૂર્ણ કર્યા બાદ અમદાવાદ તેમના નિવાસસ્થાને જવા રવાના થશે.
Author: Hemangi Gor- SatyaDay Desk
ફટાકડાની શોધ ભલે મોર્ડન માનવામાં આવતી હોય પરંતુ પ્રાચીન ભારતમાં લોકો વિસ્ફોટ અને અગ્નિ પ્રકાશ ફેલાય તે પ્રકારના ફટાકડાથી પરીચિત હતા.તેનો ઉલ્લેખ ઇસ પૂર્વના કૌટિલ્યના અર્થશાસ્ત્રમાંથી પણ મળે છે. જેમાં અગ્નિમાં ઝડપથી સળગી ઉઠે તેવા ગંધક પ્રકારના એક ચૂર્ણનું વર્ણન છે. આ ચૂર્ણને અગ્નિમાં નાખવાથી પ્રકાશના તેજ લિસોટા પડે છે. એટલું જ નહી જો તેને કોઇ ઠોસ નળાકારમાં ભરવાથી વિસ્ફોટ થાય છે. એક ખાસ પ્રકારનું લવણ જેને બારિક રીતે પીસી લેવાથી ઝડપથી સળગી ઉઠે તેવું ચૂર્ણ બની જાય છે.તેમાં ગંધક પ્રકારના તત્વ અને કોલસાની જીર્ણ ઉમેરી દેવામાં આવે તો તે વધુ વિસ્ફોટ બની જાય છે. સામાન્ય રીતે દારુગોળાની શોધ ચીનમાં…
ધનતેસરથી ભાઈબીજ સુધી ઘર, દુકાન અને મંદિરોને લાઈટો અને ફૂલોથી શણગારવામાં આવે છે. જેમાં ધનતેર્સ, કાળી ચૌદશ, દિવાળી, બેસતુવર્ષ અને ભાઈબીજની ઉજવણી કરવામાં આવે છે. જેમાં સૌથી મહત્વનો તહેવાર દિવાળી છે. આ દિવસોમાં બજારોની રોનક વધી જાય છે. આજે અમે તમને જણાવી રહ્યા છી, કયો તહેવાર કયા દિવસે ઉજવવામાં આવશે. ધનતેરસ ધનતેરસના દિવસ સૌભાગ્ય અને સુખની વૃદ્ધિ માટે માતા લક્ષ્મી અને કુબેરની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર આ દિવસે ધનવંતરીનો જન્મ થયો હતો, માટે આ દિવસને ધનતેરસ તરીકે ઓળખવામાં આવે છે. ધનતેરસ- શુક્રવાર, 25 ઓક્ટોબર શુભ મુહૂર્ત 19:10 થી 20:15 સુધી પ્રદોષ કાળ-17:42 થી 20:15 સુધી વૃષભ કાળ-18:51…
બોલિવૂડના કિંગ ખાન જે પણ કરે તેની ચર્ચા થવા લાગે છે જ. પોતાની ફિલ્મોથી કરોડો લોકોનું દિલ જીતનાર શાહરૂખ ખાન પડદા પર તો સફળ અભિનેતા છે જ સાથે સાથે તેના જીવનમાં પણ એક સફળ પતિ પણ છે. આજે શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરી ખાન તેની 28મી એનિવર્સરી મનાવી રહ્યા છે. આ ખાસ અવસર પર શાહરૂખ ખાને ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા ફોટોમાં ગૌરી ખાન અને શાહરૂખ ખાન બંને જોવા મળે છે. આ ફોટા સાથે શાહરૂખ ખાને એક મેસેજ લખ્યો છે. તેણે લખ્યું, હંમેશાં એવું લાગે છે કે કાલની જ વાત છે. લગભગ ત્રણ દશકા…
બોલિવુડ એક્ટર અક્ષય કુમાર જ્યારે સુરત આવ્યા અને લોકોને કેમ છો બધા મજામા કહ્યું તો સુરતનુ ઇન્ડોર સ્ટેડિયમ તાળી ઓથી ગુંજી ઉઠ્યુ હતુ. કુડો એસોસિએશન દ્વારા આયોજિત અક્ષય કુમાર ઇન્ટરનેશનલ ઇન્વિટેશન કુડો ટુર્નામેન્ટ ના અંતિમ દિવસે બોલિવૂડ સ્ટાર અક્ષય કુમાર સુરત આવ્યા અને સ્ટેજ પર આવી સુરતીઓ કે જેઓ જમવા માટે વિશ્વ પ્રખ્યાત છે તેઓને ફિટનેસ મંત્ર આપતા કહ્યુ કે તેઓ સાંજે 6:30 વાગ્યા પહેલા જમી લે. સુરતીઓને ફિટ રહેવા અપીલ કરી અક્ષય કુમાર પોતાના અભિનયની સાથે સાથે માર્શલ આર્ટ પ્રત્યે તેમના પ્રેમને લઈ હંમેશાથી ચર્ચામાં રહ્યા છે. આજે અક્ષય કુમાર 11મી ઇન્ટરનેશનલ ઇન્વિટેશન ટુર્નામેન્ટમાં તેઓ સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે…
દેશમાં ચાલી રહેલી મંદીને દૂર કરવા, ગ્રાહકોની માગમાં વધારો કરવા અને આર્થિક વૃધ્ધિને ઝડપી બનાવવા માટે કેન્દ્ર સરકાર નાગરિકોને કરમાં રાહત આપવા વિચારી રહી છે, એમ આ બાબત સાથે સીધી રીતે સંકળાયેલા એક અધિકારીએ કહ્યું હતું. સરકાર કરપાત્ર આવકની મર્યાદામાં વધારો કરવા અને ખાસ તો જેમાં 30 ટકા કર કપાય છે તે રૂપિયા દસ લાખના સ્લેબમાં ફેરફાર કરવા વિચારી રહી છે. આ પગલાંની સાથે જ હાઉસ રેન્ટ પેમેન્ટ અને બેન્કની થાપણો પર મેળવેલા વ્યાદ સહિત કેટલાક ટેક્સ બ્રેકને પણ દૂર કરવા સક્રિય રીતે વિચારણા ચાલી રહી હોવાનું આ અધિકારીએ કહ્યું હતું. ફેબુ્ર્રઆરમાં રજૂ થનાર કેન્દ્રીય બજેટમાં પણ કદાચ આની જોગવાઇ…
કેટલીકવાર લોકોને કંઈક એવું મળી જાય છે કે જેનાથી તેઓ અચાનક અમીર બની જતાં હોય છે. આવું જ કંઈક બ્રાઝિલના માછીમાર સાથે બન્યું છે. તેણે વિશ્વના સૌથી મોટા વરસાદના જંગલ એમેઝોનમાં સ્થિત અમાના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિઝર્વેથી એક વિશાળ માછલી પકડી જેણે તેને રાતોરાત કરોડપતિ બનાવ્યો.આ માછલીને પીરારૂકુ નામ આપવામાં આવ્યું છે અને તે સૌથી મોટી અને સૌથી કીમતી તાજા પાણીની માછલી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ માછલી ત્રણ મીટર લાંબી છે, જ્યારે તેનું વજન આશરે 200 કિલો છે. આ માછલી મુખ્યત્વે એમેઝોન નદીમાં જોવા મળે છે, તે સફેદ અને ખૂબ નરમ હોય છે. બ્રાઝિલમાં આ માછલીની સારી માગ છે. રિયો…
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની ઓફિસમાં એક મહિલા ટિકટોક સ્ટારનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને લીધે ફરી એકવાર પાકિસ્તાનને નીચાજોણું થયું છે. ટિકટોક સ્ટારનું નામ હરીમ શાહ છે. હરીમે વિદેશ મંત્રાલયની ઓફિસમાં ઘૂસીને આ વીડિયો બનાવ્યો છે. હરીમના સોશિયલ મીડિયા એપ ટિકટોક પર લાખો ફેન્સ છે. જો કે પહેલા કહેવામાં આવ્યું હતું કે તે પીએમ સેક્રેટેરિએટમાં હતી પરંતુ સરકાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ વીડિયો વિદેશ મંત્રાલયની ઓફિસનો છે. આ વીડિયો થકી પાકિસ્તાન શરમજનક સ્થિતિમાં મુકાયું છે કારણ કે સામાન્ય રીતે આ ઓફિસમાં હાઇ સેક્યુરિટી હોય છે. વીડિયોમાં તે એક ખુરશી પર બેસતી જોવા મળે જે તે…
તેરસની સાંજે કોઈ પાત્રમાં તલનું તેલથી યમ દીપક પ્રજવલ્લિત કરો. ત્યારબાદ ગંધ, પુષ્પ, ચોખાથી પૂજન કરો. દક્ષિણ દિશામાં મોઢુ કરીને યમને નિમ્ન પ્રાર્થના કરો. મંત્ર જાપ: ‘मृत्युना दंडपाशाभ्याम् कालेन श्यामया सह। त्रयोदश्यां दीपदानात् सूर्यजः प्रयतां मम। – હવે આ દીવાઓથી યમને ખુશ કરવા બહારની જગ્યાઓ પ્રકાશિત કરો. – આ પ્રકારે એક અખંડ દીવો ઘરના મુખ્ય દરવાજાના ઉંબરા પર કોઈ પણ અનાજ(ઘઉં કે ચોખા) પાથરી તેની પર દીવો મુકો. કહેવાય છે કે આ પ્રકારનું દીપદાન કરવાથી યમ દેવતાના સંકજાથી અને નરકથી મુક્તિ મળે છે. યમરાજ પૂજન – આ દિવસે યમના માટે લોટનો દીવો બનાવીને ઘરના મુખ્ય દરવાજે મુકો. – રાતે ઘરની…
ફિલ્મ અભિનેત્રી સની લિયોનીએ હાલમાં જ ફિલ્મ મોતીચૂર ચકનાચૂરમાં એક સ્પેશિયલ આઈટમ નંબર કર્યું છે. આ ગીતમાં તે ફિલ્મ અભિનેતા નવાજુદ્દીન સિદ્દીકીની સાથે ડાંસ કરતી નજરે આવી રહી છે. સાંગ બત્તિયાં બુઝા દો ટાઈટલ સાંગમાં ઉમ્ફ ફેક્ટર વધુ છે. આ ફુટ-ટેમ્પિંગ નંબરને સંગીતકાર રામજી ગુલાટીએ બનાવ્યું છે. આ ગીતને જ્યોતિકા ટંગડી અને રામજી ગુલાટીએ ગાયુ છે. ગીતના બોલ કુમાર દ્વારા લખવામાં આવ્યા છે. મોતીચૂર ચકનાચૂર એક કોમેડી-ડ્રામાં ફિલ્મ છે. તેનું નિર્દેશન દેબમિત્ર બિસ્વાલે કર્યું છે અને આ ફિલ્મનું નિર્માણ રાજીવ અને કિરણ ભાટિયાએ કર્યું છે. આ ફિલ્મમાં નવાજુદ્દીન સિદ્દીકી અને અથિયા શેટ્ટી મુખ્ય ભૂમિકાઓમાં છે. આ ફિલ્મ 15 નવેમ્બર ના…