લતા મંગેશકરના પોપ્યુલર સોંગ એક પ્યાર કા નગમા હૈએ રાનુ મંડલનું નસીબ બદલી નાંખ્યું હતું. તે અત્યારે ઇન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે. પશ્ચિમ બંગાળના એક રેલવે સ્ટેશન પર ગાનારી રાનુની જિંદગી બદલાઈ ગઈ છે. હવે તેની જિંદગીથી ઇન્સ્પાયર થઈને ફિલ્મમેકર ઋષિકેશ મંડલ તેના જીવન પર આધારિત ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. રાનુની બાયોપિક ફિલ્મ માટે જાણીતી બંગાળી એક્ટ્રેસ સુદિપ્તા ચક્રવર્તીનો એપ્રોચ કરવામાં આવ્યો છે. આ વાતને કન્ફર્મ કરતા સુદિપ્તાએ કહ્યું હતું કે, ‘મને ફિલ્મ ઓફર થઈ છે. જોકે, મને હજી ફિલ્મની સ્ક્રિપ્ટ મળવાની બાકી છે. સ્ક્રિપ્ટ વાચ્યા બાદ જ ફિલ્મ કરવી કે નહીં એ હું નક્કી કરીશ.’
Author: Hemangi Gor- SatyaDay Desk
અક્ષય કુમારની દર વર્ષે ત્રણથી ચાર ફિલ્મો રિલીઝ થતી હોય છે. 2020માં તેની કઈ-કઈ ફિલ્મો આવવાની છે તે અંગે અત્યારથી જ જાહેરાત થઈ ગઈ છે. 2020માં દિવાળીના અવસર પર તેની ફિલ્મ ‘પૃથ્વીરાજ’ રિલીઝ થવાની છે. હજી તો આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ નથી થયું અને એ પહેલા તો ફિલ્મ સામે મુશ્કેલીનો પહાડ ઉભો થઈ ગયો છે. ચંબલના ડાકૂ મલખાન સિંહે અક્ષય કુમારની ફિલ્મ ‘પૃથ્વીરાજ’માં ઐતિહાસિક તથ્યો સાથે છેડછાડ નહીં કરાવની ધમકી આપી છે. અક્ષય કુમાર રાજા પૃથ્વીરાજ ચૌહાણ પર ફિલ્મ બનાવવા જઈ રહ્યો છે. મલખાન સિંહના જણાવ્યા અનુસાર તેમના પૂર્વજ ખેત સિંહ પૃથ્વીરાજ ચૌહાણના દરબારના મુખ્ય લોકોમાંથી એક છે. ફિલ્મમાં…
રાજકોટ પાસે આવેલા ઔદ્યોગિક વિસ્તાર શાપર-વેરાવળમાં ગૌમાંસનો કારોબાર પોલીસે પકડી પાડ્યો છે. બાતમીના આધારે ગૌરક્ષકો અને પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે ૧૫૦ કિલો ગૌવંશના માંસ સાથે રાજકોટના ચાર શખ્સોને પકડી લીધા હતા. મળતી વિગત મુજબ, શાપર-વેરાવળમાં શીતળા માતાના મંદિર નજીક બાબા સાહેબ આંબેડકરના પુતળા પાસે ગૌમાંસનું વેચાણ થતું હોવાની બાતમી ગૌરક્ષકના પ્રમુખ કાનજીભાઇ ચૌહાણને મળી હતી. આથી તેમણે શાપર-વેરાવળ પોલીસ મથકમાં જાણ કરતા પી.એસ.આઈ. એ.એ. ખોખર સહિતના સ્ટાફ સાથે શાપરમાં દરોડો પાડ્યો. જ્યાં ”વસીલા મટન” નામે ઓરડીની બહાર ઓટા ઉપર ગેરકાયદે ગૌવંશનું માસનું વેચાણ થતું હતું. પોલીસે રાજકોટ રૈયા રોડ, હનુમાન મઢી પાસે રંગ ઉપવન સોસાયટીમા રહેતા બસીર હુશેનભાઇ શેખ,…
દિયોદર તાલુકા પંચાયતના ક્લાર્કે આવકના દાખલામાં સહી કરવા માટે 30 રૂપિયાની લાંચ લીધી હોવાનો મામલો સામે આવ્યો છે. ક્લાર્કે લાંચ લીધી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. વીડિયોમાં અરજદાર સહી કરવા માટે ક્લાર્કને આજીજી કરતો સંભળાય છે. ક્લાર્ક સહી કરવા માટે પૈસાની માંગણી કરે છે. ગ્રામીણ વિસ્તારો કે શહેરી વિસ્તારોમાં ગરીબ વર્ગને શાળાની શિષ્યવૃતિ કે અન્ય સરકારી સહાય મેળવવા માટે આવકનો દાખલો ફરજીયાત હોય છે. ત્યારે દિયોદર તાલુકા પંચાયતના ક્લાર્ક જોરાભાઈએ અરજદાર પાસે 30 રૂપિયાની માંગણી કરતો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. અરજદાર પાસે પૈસા ન હોવાથી તેણે સહી કરવા આજીજી કરી હતી. છતાં એકનો બે ન થતાં ક્લાર્ક…
લગભગ રોજ રાત્રે અમને એ ઓરડામાંથી એક બાળકીની ચીસો સંભળાતી હતી, એના આક્રંદના અવાજો સંભળાતા હતા, રાતભર એને ત્યાં લોકો આવતા જતા હતા પરંતુ અમે એમના કૌટુંબિક મામલામાં દખલ શી રીતે દઇએ એવું એક પાડોશીએ પોલીસને કહ્યું હતું. કેરળના મલપ્પુરમ વિસ્તારની છે, બે ઓરડાના ભાડાના ઘરમાં રહેતા એક દંપતીએ પોતાની 11-12 વર્ષની બાળકી પાસે વેશ્યાગીરી કરાવી હોવાના અહેવાલથી થરથરી જવાય એવું છે. છોકરીની સાવ નાજુક તબિયત જોઇને એક પાડોશીએ કોઇ એનજીઓને જાણ કરતાં આ રાક્ષસી ઘટના સામે આવી હતી. પાડોશીઓ કહે છે કે અમે રોજ આ બાળકીની ચીસો સાંભળતા હતા પરંતુ અમે કંઇ કરી શકીએ એમ નહોતા. આ બાળકી એટલી…
સુરત મ્યુનિ.ના કતારગામ ઝોનમાં ગઈકાલે પાલિકા સ્ટાફ ઢોર પકડવા ગયા ત્યારે પશુપાલકોએ સ્ટાફને માર મારીને ઢોર છોડવીને લઈ ગયાં હતા. પાલિકા સ્ટાફ પર હુમલા બાદ આજે પાલિકાએ પોલીસને સાથે રાખીને રખડતા ઢોર માટે કુખ્યાત કતારગામ વિસ્તારમાંથી રસ્તા પર રખડતી 45 જેટલી ગાયને પકડીને ઢોર ડબ્બામાં પુરી દીધી હતી. પોલીસને સાથે રાખીને આજે ઢોર પકડવાની કામગીરી કરાતા માથાભારે પશુપાલકો હુમલો કરી શક્યા ન હતા. સુરત મ્યુનિ. કમિશ્નર બન્છાનિધિ પાનીના રાઉન્ડ દરમિયાન સુરતમાં રખડતા ઢોરની સમસ્યા જોઈને રખડતા ઢોરની સમસ્યા દુર કરવા માટે સઘન કામગીરી કરવા માટે સુચના આપી હતી. મ્યુનિ. કમિશ્નરની સુચના બાદ મ્યુનિ.ના માર્કેટ વિભાગે રખડતા ઢોર પકડવાની કામગીરી શરૂ…
કચરા-પોતા કરી પતિને આર્થિક મદદરૂપ થતી મહિલાએ બચતની 50 હજારની રકમ ટુકડે-ટુકડે દંપતીને આપી હતી, પરંતુ દંપતીએ વાયદા પર વાયદા કરતું હતું અને છેવટે ગળું દબાવી હત્યા કરી અને કાનની બુટ્ટી પણ લઇને ભાગી ગયું. પાંડેસરા-ભેસ્તાનના સુડા આવાસમાં રહેતી શ્રમજીવી મહિલાએ પરસેવાની કમાણીની બચતના ટુકડે-ટુકડે આપેલા રૂા. 50 હજારની રકમ પરત માંગણી કરતા બંગાળી દંપતીએ પૈસા આપવાના બ્હાને ઘરે બોલાવી ગળું અને મોઢું દબાવી ઠંડા કલેજે કરપીણ હત્યા કર્યા બાદ લાશને પોતાના ઘરમાં જ મુકી દરવાજાને બહારથી તાળુ મારીને રવાના થઇ ગયા હતા. મહિલા સમયસર ઘરે નહિ આવતા શોધખોળ કરી રહેલા પરિવારને દંપતીના ઘરેથી લાશ મળી આવતા પાંડેસરા પોલીસમાં હત્યાનો…
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મજ્યંતિ ઉજવણી નિમિત્તે આ વર્ષે તા. 2જી ઓકટોબરથી 31મી ડિસેમ્બર દરમ્યાન ખાદી અને પોલીવસ્ત્રના છૂટક વેચાણ ઉપર 20 ટકા વિશેષ વળતરની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી છે. ખાદી ફોર નેશન-ખાદી ફોર ફેશન’ના મંત્ર સાથે ખાદીને વ્યાપક સ્વીકૃતિ મળે, લોકો ખાદી વપરાશ અને ખાદી ખરીદી પ્રત્યે આકર્ષાય તેમજ રાજ્યમાં ખાદી વણાટ સાથે સંકળાયેલા ગ્રામીણ-અંતરિયાળ કારીગરો અને પરિવારોને વધુ રોજગારી મળે તે માટે આ સંવેદનાસ્પર્શી નિર્ણય કર્યો છે. મહાત્મા ગાંધીજીએ ખાદીને એક વસ્ત્ર નહિ, વિચાર તરીકે સમાજ સમક્ષ પ્રસ્તુત કરી ગ્રામીણ પરિવારો-કારીગરોને રોજગારીથી આર્થિક સક્ષમતાનો જે માર્ગ કંડાર્યો છે તેમાં આ વિશેષ વળતર-પ્રોત્સાહન આપવાનો નિર્ણય સુસંગત બની રહેવાનો…
સુરત જિલ્લાના બારડોલી પંથકના વાતાવરણમાં પલટો આવ્યો હતો.ભારે ઉકળાટ બાદ વરસાદ ખાબક્યો હતો.નગર અને તાલુકાના ગામોમાં પણ વરસાદી માહોલ છવાયો હતો.ક્યાંક ભારે પવન સાથે તો કેટલાક સ્થળે ધીમીધીરે વરસાદ વરસ્યો હતો. આણંદ શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો..સીએમ વિજય રૂપાણીના આગમન પહેલા વરસાદનું આગમન થયું હતુ..વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી..આણંદ..વિદ્યાનગર કરમસદ..બાકરોલ સહિતના વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આણંદ શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો..સીએમ વિજય રૂપાણીના આગમન પહેલા વરસાદનું આગમન થયું હતુ..વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી..આણંદ..વિદ્યાનગર કરમસદ..બાકરોલ સહિતના વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો દાહોદ જીલ્લામાં પણ મેઘસવારી જોવા મળી હતી..દાહોદના સંજેલીમાં…
સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ બાદ મહિલાનું મોત કરુણ મોત નીપજતા પરિવારજનોએ હોબાળો મચાવી દીધો હતો. આરોપ છે કે ડોક્ટરની બેદરકારીથી મોત થયું છે. પરિવારે મૃતદેહ લેવાની ના પાડતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી છે. સુરતના કાપોદ્રા ખાતે આવેલી કમલપાર્ક સોસાયટીમાં 33 વર્ષીય દયા મયુર કેવડિયાને ગત રોજ પ્રસૂતિની પીડા થતા મહિધરપુરાની અપૂર્વા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દયાના પરિવારના સભ્યો મુજબ હોસ્પિટલ તરફ થી તેમણે સાંજ સુધી નોર્મલ ડિલિવરી થશે એમ કહીં દાખલ રાખ્યા હતા અને ત્યાર બાદ દયા ને ડિલિવરી માટે ઓપરેશન થિયેટરમાં લઈ ગયા હતા. લગભગ 5 મિનિટમાં…