કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

એકના એક દીકરાને બે વર્ષ પહેલાં ગુમાવી માનસિક તણાવમાં રહેતી 50 વર્ષની માતાએ IVFની મદદથી દીકરાને જન્મ આપી વિધાતાએ છીનવી લીધેલા પુત્રને કુદરત પાસેથી પરત મેળવી ફરી માતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે. 21 વર્ષના પુત્ર અભિજીત સિંહે IIT યુનિવર્સિટી ઉત્તરાખંડના રુડકીમાં અભ્યાસ દરમિયાન 2 વર્ષ પહેલા આપઘાત કરી મોતને વ્હાલું કર્યું હતું. ભાગીરથીબેને વધુમાં જણાવ્યું હતું કે, અભિજીત ખૂબ લાડકો હતો. કપડાં પણ મારી પસંદના જ પહેરતો હતો. ખાવામાં ગુલાબ જાબુ ખૂબ પસંદ કરતો હતો. 12 સાયન્સમાં 85% આવ્યા બાદ JEEમાં ટોપ કરી કમ્પ્યુટર ઇજનેરમાં પ્રવેશ મેળવ્યો હતો. એની તમામ યાદો ઘરની દીવાલ પણ ફોટો ફ્રેમ બનીને રોજ સામે…

Read More

અમેરિકામાં હાલ કોરોના વાઈરસના સૌથી વધારે પોઝિટિવ કેસ અને મૃત્યુઆંક પણ વધારે જોવા મળી રહ્યા છે. 72 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવી ચુક્યા છે. દેશમાં આ કપરા સમયમાં લોકો એકબીજાને મદદ પણ કરી રહ્યા છે. આયર્લેન્ડે આજથી 173 વર્ષ પહેલાં નેટિવ અમેરિકન કમ્યૂનિટી લોકોની મદદ કરી હતી, હાલ આ લોકો તે મદદને યાદ રાખીને  નેટિવ અમેરિકન કમ્યૂનિટીને ડોલર મોકલાવી રહ્યા છે. વર્ષ 1847માં આયર્લેન્ડમાં ‘ગ્રેટ પોટેટો’ મહામારી ફેલાઈ હતી અને તે સમયે મોકલેલા 170 ડોલર આજના 5000 ડોલર ( ૩.7 લાખ રૂપિયા) સમાન છે. હાલ નવજો નેશનમાં કોવિડ-19ની સૌથી વધારે અસર થઇ છે. ડોનર જેમ્સ ફેલોને લખ્યું છે કે, આઈરિશ ભાઈઓ…

Read More

જ્યારથી કોરોના આપણા જીવનનો ભાગ બન્યો છે, ત્યારથી આપણે દરેક બાબતને કોરોનાના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈને તે પ્રમાણે જીવવા માંડ્યા છીએ. તેનું સૌથી મોટું પાસું છે ઘરમાં આવતી વસ્તુઓ. હજી સુધી ઘરમાં આવતી વસ્તુઓથી કોરોના ફેલાયો હોય તેવું નક્કરપણે સાબિત થયું નથી, તેમ છતાં લોકો ખાવા-પીવાની ચીજોને પણ ડિસઈન્ફેક્ટન્ટ કરીને પછી જ વપરાશમાં લેવાનું વલણ અપનાવી રહ્યા છે. પરંતુ આ પ્રક્રિયામાં ડિસઈન્ફેક્ટન્ટ ખાદ્યપદાર્થો મારફતે શરીરમાં જઈને નવાં પ્રોબ્લમ ઊભાં કરી શકે છે. આ બધું જોતાં બેંગલુરુના ‘Log9 Materials’ નામના સ્ટાર્ટઅપે ખાસ પ્રકારનું ‘કોરોના અવન’ (Corona Oven) તૈયાર કર્યું છે. આ અવન ખાદ્યપદાર્થોથી લઈને ઘરમાં આવતી કોઈપણ ચીજને કોરોનાવાઈરસ અને કોઈપણ…

Read More

હિંદુ પંચાંગ પ્રમાણે આજ રોજ વૈશાખ મહિનાની પૂનમની તિથિ છે. આ તિથિએ ભગવાન બુદ્ધની જયંતી પણ ઉજવવામાં આવે છે, પૂનમ તિથિએ વિશેષ પૂજા-પાઠ અને અન્ય ધાર્મિક કાર્યો કરવાની પરંપરા છે. પૂનમ તિથિએ ક્યા-ક્યા શુભ કામ કરી શકાય:  પૂનમના દિવસે સત્યનારાયણ ભગવાનની કથા કરવાનું વિધાન છે. ગુરુવાર અને પૂનમ તિથિએ ભગવાન વિષ્ણુની પૂજા, વ્રત-ઉપવાસ કરવામાં આવે છે. પૂનમ તિથિએ હનુમાનજી સામે દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો. ૐ રામદૂતાય નમઃ મંત્રનો જાપ 108 વાર અને જો સંભવ હોય તો આ દિવસે સુંદરકાંડનો પાઠ પણ કરી શકાઈ છે. લોકડાઉનના કારણે નદીમાં સ્નાન કરવાથી બચવું. ઘરમાં જ નદીઓના નામનો જાપ કરો અને સ્નાન…

Read More

ભારત દેશ માં હજુ લોક-ડાઉન નો ત્રીજો તબ્બકો ચાલી રહ્યો છે ત્યારે 3 મહિનાના લોક-ડાઉન પછી પહેલી વાર વિયેતનામની રાજધાની હનોઇમાં કેટલીક સ્કૂલોને ખોલવામાં આવી છે, એવામાં કોરોનાના સંક્રમણથી બચવા અને પોતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બધા બાળકો ફેસશિલ્ડ લગાવીને પહોંચ્યા. હનોઇની 226 માંથી 224 હાઇસ્કૂલ પણ ખોલી દેવાઇ છે જ્યારે 620 હાયર સેકન્ડરી સ્કૂલ ફરી ખુલી છે. હનોઇના ચેરમેને સ્કૂલો ઉપરાંત હોસ્પિટલોમાં પણ સતત સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા જણાવ્યું છે. વિયેતનામ માં એવું છે કે ત્યાં કોરોનાના સંક્રમણથી હજુ સુધી એક પણ મોત થયું નથી.

Read More

દેશમાં લોકાડાઉન 3.0માં રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં દારૂની દુકાનો ખોલવા માટે કેન્દ્ર સરકારે પરવાનગી આપી દીધી છે. આ દરમિયાન જે રાજ્યોમાં દારૂની પરવાનગી મળેલ છે ત્યાં આલ્કોહોલ પ્રેમીઓ કલાકો સુધી લાઈનમાં ઊભા રહીને દારૂ ખરીદી રહ્યા છે. કર્ણાટકના કોલાર શહેરમાં એક વ્યક્તિએ દારૂના નશાની હાલતમાં રસ્તા પર જતા સાપને બચકાં ભરી લીધા હતા. આ વ્યક્તિ નશામાં એટલો બધો ધૂત હતો કે તેને એ પણ નહોતી ખબર કે તે જીવતા સાપને બચકાં ભરી રહ્યો છે, તે પોતાની બાઈક પર હતો તે દરમિયાન એક સાપે તેનો રસ્તો કાપ્યો. આ સાપને જોઈને તેને ગુસ્સો આવ્યો અને તેની ચામડી પર બચકાં ભરવા લાગ્યો.…

Read More

મહામારી કોરોના વાઇરસને કારણે ઘણા પશુઓ અને પંખીઓ શહેરો તરફ વળ્યા છે ફરી દેખાતા થયા છે. ઇંગ્લેન્ડમાં અંદાજે 2 સદી બાદ ફરીવાર શરીરને અંતે સફેદ પીંછા ધરાવતા ગરૂડ એટલે કે વ્હાઇટ ટેઇલ્ડ ઇગલ દેખાયા છે. આઇલ ઓફ વાઈટ આયલેન્ડ પર આ ગરૂડ ઊડતા દેખાયા છે. આ ગરૂડને સી ઇગલ તરીકે પણ ઓળખવામાં આવે છે. મોટેભાગે માછલી અને વોટર બર્ડસ પર ભોજન માટે આધાર રાખનાર આ ગરૂડ UK નું સૌથી મોટું શિકારી પક્ષી છે. છેલ્લે આ પક્ષી 18મી સદીમાં દેખાયા હતા. અંદાજે 240 વર્ષ બાદ ફરીવાર આ પક્ષી જોવા મળ્યા. ગરૂડ પર લાગેલ ટ્રેકરના ડેટા મુજબ તે ઘણો લાંબો સફર કરીને…

Read More

કોરોના મહામારીને પરિણામે સમગ્ર ભારતમાં છેલ્લાં 40 દિવસથી લૉકડાઉન છે અને હજુય આ સમય લંબાય તેવું લોકો વિચારી રહ્યા છે આવા સમયમાં પેટઓનર્સ માટે અઘરો સમય ચાલી રહ્યો છે. આ સમયગાળામાં ડૉગ્સના સ્વભાવમાં ફેરફારો આવ્યા છે. જેને લઈને પેટઓનર્સ ચિંતિંત છે. આ માટે ડૉગ ટ્રેનર્સ સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું હતું કે, આવી પરિસ્થિતિમાં ડૉગ્સની સંભાળ કેવી રીતે રાખવી. જે લોકોએ ડૉગને પાળ્યા છે તેઓ નિયમિત રીતે તેને ખુલ્લી જગ્યાઓ પર ઓછામાં ઓછા એક કલાક બહાર ચાલવા લઇ જતા હતા તે હવે ઘણાં દિવસથી બંધ છે. ડૉગ્સ તેનું રૃટિન ખૂબ સ્ટ્રીકલી ફોલો કરતા હોય છે જ્યારે છેલ્લાં 40 દિવસથી તેનું…

Read More

અમેરિકામાં કોરોના વાઇરસથી ખરાબ રીતે અસરગ્રસ્ત ન્યૂયોર્કના બાળકોમાં એક રહસ્યમય બીમારી ફેલાવવા લાગી છે. તેનાથી પીડિત 2 થી 15 વર્ષના 15 બાળકો હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ બીમારી કોવિડ-19 સાથે સંકળાયેલી હોય તેવું લાગે છે. સોમવારે રાત્રે આરોગ્ય વિભાગે જારી કરેલા બુલેટિન મુજબ તેમાંના મોટાભાગના બાળકોના શરીરે ચાઠા પડી ગયા અને તેમને ઝાડા-ઉલટી થઇ રહી છે. 5 બાળકોને શ્વાસ લેવા માટે વેન્ટિલેટરની જરૂર પડી છે. જ્યારે બધાને બ્લડ પ્રેશર સપોર્ટ પણ આપવામાં આવ્યો. યુરોપના ઘણા દેશોમાં પણ આવી બીમારી ફેલાઇ છે. પરંતુ હજુ સુધી તેના કારણે કોઇ મોત થયા નથી. બુલેટિનમાં કહેવાયું છે કે ડોક્ટરો હજુ સુધી આ બીમારીને સમજી…

Read More

કોરોના વાયરસને કાબૂમાં લેવામાં રૂપાણી સરકારે કરેલી કામગીરીથી કેન્દ્ર સરકાર નાખુશ છે. એટલું જ નહીં, પરપ્રાંતિયોને તેમના વતન મોકલવા રાજ્ય સરકારે બનાવેલી નીતિથી નારાજ કેન્દ્રએ હવે દખલગીરી કરવાનું નક્કી કર્યું છે. રૂપાણી અત્યાર સુધી જે રીતે કામ કરી રહ્યા હતા તેના પર બ્રેક મારી તેમના માનિતા અધિકારીઓને પણ સાઈડલાઈન કરી દેવાયા છે. દિલ્હીથી આવેલા આદેશ પ્રમાણે હવે ગુજરાત તેમજ અમદાવાદમાં સ્થિતિ કાબૂમાં લાવવા મોદીના વિશ્વાસુ અધિકારીઓને કામ સોંપાયું છે. અહેવાલ અનુસાર, માત્ર વિજય રૂપાણી જ નહીં પરંતુ તેમના પત્ની અંજલિ રૂપાણી પણ વહીવટમાં દખલ દેતા હોવાથી કેન્દ્ર સરકાર વધુ નારાજ થઈ છે. સૂત્રોનું માનીએ તો, કેટલાક અધિકારીઓ અંજલિ રૂપાણીના ખાસ…

Read More