છેલ્લા કેટલાક દિવસથી ડુંગળીની કિંમત આસમાને ચડી રહી હતી. આલમ એ છે કે દિલ્હીની આઝાદપુર મંડીમાં જથ્થાબંધ ભાવો 51 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયા છે. જ્યારે, ડુંગળી રિટેલમાં 40 થી 65 રૂપિયામાં વેચાય છે. પરંતુ હવે ચિંતા કરવાની કોઈ વાત નથી. ડુંગળીના ભાવ નરમ થવા લાગ્યા છે અને માનવામાં આવે છે કે ટૂંક સમયમાં ડુંગળીના ભાવ કિલોદીઠ 25 રૂપિયા સુધી આવી શકે છે. વાસ્તવમાં ડુંગળીના ભાવમાં ઘટાડો થવા પાછળ 3 મહત્વપૂર્ણ કારણો છે. ચાલો જાણીએ કે ડુંગળીના વધતા ભાવને નિયંત્રિત કરી શકાય તેવા ત્રણ કારણો કયા છે. ડુંગળીના ભાવને કાબૂમાં લેવા સરકારે જથ્થામાં અફઘાનથી ડુંગળી મંગાવવાનું શરૂ કર્યુ છે. ઉત્તર…
કવિ: Satya Day News
આમ તો સૌ કોઈ તનાવભરી જીંદગી જીવે છે. પણ, ખાખી વર્દીધારી પોલીસ વિશેષ તનાવમાં જીવે છે. તનાવની સ્થિતિમાં પોલીસ માનસિક અને શારીરિક રીતે પરેશાન રહે છે અને આપઘાતના કિસ્સામાં પણ ભૂતકાળમાં બની ચૂક્યાં છે. આથી, પોલીસ કર્મચારીઓ, અધિકારીઓમાં રહેલા સ્ટ્રેસને ભગાવવા માટે પોલીસ મેડિટેશનના માર્ગે આગળ વધવાની છે. ડીજીપીથી માંડી કોન્સ્ટેબલ કક્ષાના પોલીસ સ્ટાફ અને પરિવાર માટે તા. 10થી 12 દરમિયાન સવાર-સાંજ વિનામૂલ્યે ઓનલાઈન મેડિટેશન કેમ્પ યોજાનાર છે. રાજ્યના સવા લાખ પોલીસકર્મી, અધિકારી માટે આ પ્રકારનો ઓનલાઈન મેડિટેશન કેમ્પ પહેલી વખત યોજાઈ રહ્યો છે. દોઢ કલાક માટેના મેડિટેશન કેમ્પ યોજાશે ગુજરાત પોલીસ માટે આગામી તા. 10, 11 અને 12, એમ ત્રણ…
ભારતે એન્ટી સબમરીન સુપરસોનિક મિસાઈલ સ્માર્ટનું સફળ પરીક્ષણ કર્યું હતું. એ સાથે જ ભારતીય લશ્કરની ક્ષમતામાં વધારો થયો છે. આ મિસાઈલ ૬૫૦થી લઈને૧૦૦૦ કિલોમીટરની રેન્જ સુધીમાં પ્રહાર કરવા સક્ષમ છે. એન્ટી સબમરીન મિસાઈલનું પરીક્ષણ ઓડિશાના તટે થયું હતું. સુપરસોનિક મિસાઈલ અસિસ્ટેડ રિલીઝ ઓફ ટોર્પિડો (સ્માર્ટ)નું ઓડિશાના તટે અબ્દુલ કલામ ટાપુમાં થયું હતું. ૬૫૦થી ૧૦૦૦ કિલોમીટર સુધી પ્રહાર કરવા સક્ષમ આ મિસાઈલથી ભારતની સમુદ્રી શક્તિ વધશે. સબમરીનને દૂરથી જ ધ્વસ્ત કરવાની શક્તિ ધરાવતી આ મિસાઈલનું સફળ પરીક્ષણ થયું પછી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ટ્વિટ કરીને ડીઆરડીઓના વિજ્ઞાાનિકોને અભિનંદન પાઠવ્યા હતા. મિસાઈલ અસિસ્ટેડ કામ આપશે વિજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે સુપરસોનિક એન્ટી મિસાઈલની જેટલી…
ટ્રેનના પાટા પર ચાલવાનો એકમાત્ર અધિકાર ટ્રેનનો છે. પછી ભલે તે મુસાફરો માટે દોડતી પેસેન્જર ટ્રેન હોય કે માલવાહક ટ્રેન- ભારખાના ટ્રેન હોય. ટ્રેનોને ચાલવા માટે આ બંને પાટાઓની ટ્રેકની ચોક્કસ મર્યાદા નક્કી કરેલી છે. તેની વ્ચેચ અન્ય કોઈપણ વાહનને ચાલવાની સંપૂર્ણ મનાઈ હોય છે. પરંતુ બિહારના છપરાના રેલવે ક્રોસિંગ પર એવું જોવા મળી રહ્યું છે કે તે ખૂબજ બેદરકારીભર્યું અને લાપરવાહી સાથે જીવલેણ સાબિત થઈ શકે છે. દૈનિક ટ્રાફિક જામની સ્થિતિ મોટા પ્રમાણમાં જોવા મળે છે રેલ્વે ટ્રેક પર ઘણાં બાઇક સવારો બે પાટા વચ્ચેથી પસાર થતા જોવા મળ્યા હતા. બીજી તરફ, અમૃતસર જયનગર હમસફર ટ્રેન બીજી લાઇન પર ઉભી…
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ડિજિટલ સેવા સેતુનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમનું ઇ લોકાર્પણ કર્યું છે. આ કાર્યક્રમ આગામી 8 ઓક્ટોબરથી પ્રથમ તબક્કામાં રાજ્યના 2 હજાર 700 ગામડાઓને આવરી લેવામાં આવશે. અહીં ડિજિટલ સેવા સેતુના માધ્યમથી 22 જેટલી સેવાઓનો લાભ ગ્રામજનો ઘરઆંગણે જ લઇ શકશે. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, સરકારે સેવા સેતુનો વ્યાપ વધારી ગ્રામ્ય વિસ્તારનો પ્રજાજનોને ડિજિટલ સેવા આપવાનો નિર્ણય કર્યો છે.ડિજિટલ સેવા સેતુને કારણે ગ્રામીણ પ્રજાજનોને રોજબરોજની સેવા તેમજ જરૂરી પ્રમાણપત્રો માટે તાલુકા કે જિલ્લા મથકે નહીં જવું પડે. ડિસેમ્બર મહિના સુધીમાં વધુ 8 હજાર ગ્રામપંચાયતોને ડિજિટલ સેવા સેતુ સાથે જોડવામાં આવશે. સીએમે…
મધ્ય પ્રદેશની વિધાનસભાની 28 બેઠકોની પેટાચૂંટણી પહેલાં ભાજપના શિવરાજ સિંઘની સરકારના એક પ્રધાન બિસાહુલાલ સિંઘ લોકોને પૈસા વહેંચતા હોય એવી એક વિડિયો ક્લીપ વાઇરલ થઇ હતી. કોંગ્રેસે આ અંગે ચૂંટણી પંચને ફરિયાદ પણ કરી હતી. બિસાહુલાલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા પક્ષપલટુ નેતા છે. કોંગ્રેસના સિનિયર નેતા દિગ્વિજય સિંઘે આ વિડિયો ક્લીપ સોશ્યલ મિડિયા પર રજૂ કરી હતી. દિગ્વિજય સિંઘે લખ્યું હતું કે શું ચૂંટણી પંચ અને ન્યાયતંત્ર આ વિડિયો ક્લીપની નોંધ લેશે કે…આગામી પેટાચૂંટણીમાં બિસાહુલાલ પણ એક ઉમેદવાર છે. કોંગ્રેસે ચૂંટણી પંચને બિસાહુલાલ સામે પગલાં લેવાની માગણી કરી હતી. કોંગ્રેસે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી ટાણે બિસાહુલાલે ઘઉંનો સ્ટોક…
ઉત્તર પ્રદેશના હાથરસ અને બલરામપુરમાં બનેલી ગેંગરેપની ઘટનાઓની નોંધ સંયુક્ત રાષ્ટ્રસંઘે લીધી હતી અને ભારતમાં મહિલાઓ સુરક્ષિત નથી કે એવો સવાલ કરાયો હતો. યુનોના કાયમી રેસિડેન્શ્યલ કો-ઓર્ડિનેટર રેનાટા ડેસાલિયેને કહ્યું હતું કે, હાથરસ અને બલરામપુરની ઘટનાઓ દર્શાવે છે કે સમાજમાં આજે પણ વંચિત વર્ગના લોકો પર લિંગ આધારિત હિંસા અને અપરાધો સહન કરવા પડે છે.યુનોની મહિલા પ્રતિનિધિ રેનાટાએ કરેલી આ ટકોરની ભારત સરકારે ગંભીર નોંધ લીધી હતી અને કહ્યું હતું કે, કોઇ પણ બહારની સંસ્થાની ટકોરને નજરઅંદાજ કરવી ઘટે. ભારત સરકાર આ ઘટનાઓને ગંભીરતાથી લઇ રહી હતી. બહારની કોઇ એજન્સીએ આ વિશે ટકોર કરવાની જરૂર નથી. રેનાટાએ કહ્યું હતું કે, સંબંધિત પરિવારને…
રાજસ્થાનના અલવરમાં ગેંગ રેપ કેસમાં ચાર આરોપીઓને કોર્ટે દોષી ઠેરવ્યા છે. સાથે જ વીડિયો વાયરલ કરનારા આરોપીને આઈટી એક્ટમાં દોષી ઠેરવવામાં આવ્યા છે. હંસરાજ, ઇન્દ્રાજ, અશોક અને છોટાલાલને આઈપીસી અને આઈટી એક્ટમાં દોષી ઠેરવવામાં આવ્યા છે, જ્યારે મુકેશને આઇટી એક્ટમાં દોષી ઠેરવવામાં આવ્યા છે. સજા અંગેનો ચુકાદો એક વાગ્યા પછી આવી શકે છે.ન્યાયાધીશ બ્રિજેશ કુમારની કોર્ટમાં આ કેસમાં બચાવની અંતિમ દલીલો ગત મહિને 11 સપ્ટેમ્બરે પૂર્ણ થઈ હતી. તે સમયે ન્યાયમૂર્તિએ ચુકાદો જાહેર કરવા માટે 24 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરી હતી, પરંતુ કોરોનાના વધતા ચેપને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે 1 ઓક્ટોબર સુધી કોર્ટના કામકાજ પર સ્ટે મુક્યો હતો. આ પછી કોર્ટે…
સરકારે નિર્માણ ઉપકરણ વાહનો અને ટ્રેક્ટરો માટે નવા ઉત્સર્જન માપદંડોને અમલમાં લાવવાની સમયસીમાને આગામી વર્ષ સુધી આગળ વધારી દીધી છે. તે અનુક્રમે એપ્રિલ 2021 અને ઓક્ટોબર 2021 કરી દીધી છે. પહેલા આ માપદંડ આ ઓક્ટોબર મહિનાથી લાગુ થવાના હતા. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, મંત્રાલયે સીએમવીઆર 1989માં સંશોધનને અધિસૂચિત કર્યા છે, જેમાં ટ્રેક્ટરો (ટીઆરઇએમ સ્ટેજ- IV) માટે ઉત્સર્જન માપદંડોના આગામી ચરણને લાગુ કરવાની તારીખને આ વર્ષ ઓક્ટોબરથી હટાવીને આગામી વર્ષ ઓક્ટોબર કરી દીધી છે. જણાવી દઇએ કે નવા નિયમોથી ટ્રેક્ટર માલિક પર કોઇ અસર નહી થાય કારણ કે નવા નિયમ ટ્રેક્ટર બનાવતી કંપનીઓ માટે છે. માર્ગ પરિવહન…
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટમાં કોરોનાના કેરના કારણે સામાન્ય લોકોને છ મહિના પહેલાં સંપૂર્ણપણે બંધી ફરમાવવામાં આવી હતી. સરકારની નવી ગાઈડલાઈન્સના અનુસંધાનમાં આજથી આ બંધી ઉઠાવી લેવામાં આવી છ. હવેથી લોકો કુદરતી વાતાવરણની મોજ તેમના અનુકૂળ સમયે માણી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે રિવરફ્રન્ટ શહેરીજનોને માટે હરવાફરવા માટે હંમેશા આકર્ષણનુંકેન્દ્ર રહ્યું છે. પરંતુ નવી છૂટછાટ પછી ત્યાં ટોળાં ના થાય તો સારૂં એવી દહેશત પણ કેટલાંક લોકો વ્યક્ત કરી રહ્યાં છે.આ માટે મ્યુનિ. તંત્ર અને પોલીસ તંત્રએ સતત ધ્યાન રાખતા રહેવું પડશે તેમ પણ કહેવાય છે.