કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

જાપાનનો 73 લાખની વસતી ધરાવતો પ્રાંત સાઈતામા. શરદ ઋતુ શરૂ થતાં જ દર વર્ષે દેશભરમાંથી લોકો અહીં ફરવા પહોંચે છે. કારણ અહીંના પાર્ક અને જંગલોમાં ખીલતાં ફૂલો, જેને સ્પાઇડર લિલી કહેવાય છે. જોકે આજુબાજુના થોડા ઘણા લોકો જ આ પાર્કની મુલાકાતે આવી રહ્યા છે પણ ભીડ વધશે તો કોરોનાના ચેપને અટકાવવા 50 લાખ સ્પાઈડર લિલીનાં ફૂલ ઉખાડી નાખવામાં આવી શકે છે. ગોનેન્ડો પાર્કની દેખરેખ કરનારા હિરોતો જણાવે છે કે કોરોનાને લીધે વાર્ષિક ફ્લાવર ફેસ્ટિવલ રદ કરાયો છે. આ ફેસ્ટિવલ ઓક્ટોબરથી શરૂ થાય છે જે આશરે બે અઠવાડિયાં સુધી ચાલે છે. આ ફેસ્ટિવલમાં દર વર્ષે આશરે 20 લાખ લોકો આવતા હતા…

Read More

ઝારખંડ હાઈકોર્ટે રાજ્યના ગિરિડીહ જિલ્લામાં ચાલુ વર્ષે માર્ચમાં સગીરા સાથે દુષ્કર્મ અને તેને બાળી નાખી હત્યા કરવા મામલે તપાસમાં લાપરવાહી સામે પોલીસને ફટકાર લગાવી હતી. હાઈકોર્ટે ડીજીપીને તપાસ માટે એસઆઈટીની રચના કરવા નિર્દેશ આપ્યો હતો. પીડિતાના પિતાની અરજી પર ગુરુવારે સુનાવણી હાથ ધરતાં જસ્ટિસ આનંદ સેને કહ્યું કે હાથરસ ફક્ત ઉત્તરપ્રદેશમાં જ નથી, અહીં પણ એક હાથરસ છે. તાજેતરમાં યુપીના હાથરસમાં એક યુવતી સાથે દુષ્કર્મ અને બર્બરતાપૂર્વક તેની હત્યા કરી દેવાતા સમગ્ર દેશમાં ભારે આક્રોશ ફેલાયો છે. હાથરસના કેસનો આ રીતે ઉલ્લેખ કરતાં જસ્ટિસ સેને કહ્યું હતું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ છોકરી 100 ટકા દાઝી ગઈ હતી પણ તેની તપાસ…

Read More

ચાલુ વર્ષના સપ્ટેમ્બરમાં ચિકનગુનિયાએ માથું ઊંચક્યું છે. જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી શહેરમાં ચિકનગુનિયાના 142 કેસ હતા જેમાંથી 50 ટકા કેસ માત્ર સપ્ટેમ્બરમાં નોંધાયા હતા. ગયા વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં ચિકનગુનિયાના 104 કેસ હતા. ગયા વર્ષે મેથી સપ્ટેમ્બરમાં ચિકનગુનિયાના 54 કેસ હતા, જ્યારે આ વર્ષે માત્ર સપ્ટેમ્બરમાં 71 કેસ નોંધાયા છે. લૉકડાઉનમાં ચિકનગુનિયાના 18 કેસ હતા પરંતુ અનલોક એટલે કે જૂનથી સપ્ટેમ્બરના અંત સુધીમાં 94 કેસ નોંધાયા હતા. આમ લાૅકડાઉનની સરખામણીએ અનલૉકમાં ચિકનગુનિયાના કેસમાં અંદાજે 422 ટકાનો વધારો થયો છે.ગયા વર્ષે સ્વાઇન ફ્લૂના 1336 કેસ હતા, જ્યારે 28 મોત થયાં હતાં. જોકે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચમાં સ્વાઇન ફ્લૂના 25 કેસ નોંધાયા બાદ કોઈ…

Read More

જ્યારે ઈશ્વરની કૃપા દ્રષ્ટિ હોય છે તો તેનો સંકેત આપણને કોઈને કોઈ માધ્યમથી મળે છે.શાસ્ત્રો મુજબ એવા સંકતો હોય છે, જેનું હોવું આપણા માટે બહુજ શુભ હોય છે. તો ચાલો જાણીએ ક્યાં પ્રકારનાં સંકેતો મળવાથી ધનની પ્રાપ્તિ અથવા સૌભાગ્યનું સુચક માનવામાં આવે છે. તમારા શરીરનાં અમુક અંગો જો ફડકવા લાગે છે તો તે શુભ સંકેત હોય છે. કહેવાય છેકે, જો તમારી આઈબ્રો અથવા તો તમારા હાથનો મધ્યભાગ ફડકે છે તો સમજોકે, આગામી સમયમાં ધનની પ્રાપ્તિ થવાની છે. વાસ્તવમાં શરીરનાં આ અંગોનું ફડકવાથી ધન મળવાના સંકેતો માનવામાં આવે છે. જો તમારી સાથે આવું થાય તો સમજવુંકે, તમારી ઉપર મા લક્ષ્મીની કૃપા વરસવાની…

Read More

ગુજરાત રાજ્યના આ શહેર માંથી હનીટ્રેપની માયાજાળનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ પોલીસને આ મામલે મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. જેમાં હનીટ્રેપમાં ફસાવીને યુવાન પાસેથી રૂપીયા ખંખેરતી ટોળકીની એક યુવતી , બે GRD જવાન સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી છે. યુવતીનો પતિ સ્પા ચલાવતો હોવાથી તેના કોન્ટેકટ ડેટાબેઝ નો ઉપયોગ કરી GRD જવાન મદદથી પોલીસ ઓળખ આપી રૂપિયા ખંખેરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.ઉલ્લેખનીય છે કે પોલીસના સંકજામાં આવેલા શખ્સો આશિષ મારડીયા , અલ્પા મારડીયા , જય પરમાર , શુભમ શીશાંગીયા , અને રિતેશ ફેકર. છે. નોંધનીય છે કે મોરબીના યુવાનને બોલાવી હનીટ્રેપ કરવાનો. સમગ્ર મામલા પર…

Read More

સંરક્ષણ રિસર્ચ અને વિકાસ સંગઠન (DRDO) એ એક વાર ફરીથી ઇતિહાસ રચ્યો છે. ભારતે શુક્રવારે એન્ટી રેડિયેશન મિસાઈલ રુદ્રમનું સફળ પરીક્ષણ કર્યું છે. આ મિસાઈલને DRDO દ્વારા બનાવવામાં આવી છે. તેનું પરીક્ષણ સુખોઇ-30 ફાયટર એરક્રાફ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. ભારતમાં બનાવવામાં આવેલ આ પોતાના જેવી એક માત્ર મિસાઈલ છે જે કોઈ પણ ઊંચાઈથી છોડી શકાય છે. આ મિસાઈલ કોઈ પણ પ્રકારના સિંગ્નલ અને રેડિયેશન પકડી શકે છે. સાથે જ પોતાના રડારમાં લાવીને તેને નષ્ટ કરી શકે છે. જણાવી દઈએ કે આ અઠવાડિયાની શરૂઆતમાં DRDOએ સુપરસોનિક મિસાઈલ અસિસ્ટેડ રિલીઝ ઓફ ટોર્પિડો (SMART)નું સફળ પરીક્ષણ કર્યું હતું. સંરક્ષણ રિસર્ચ અને વિકાસ સંગઠન…

Read More

સુરત શહેરમાં ભાગીદારોના ત્રાસથી મોટા વરાછાના બિલ્ડરે કારમાં ઝેરી દવા પી આત્મ હત્યાનો પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે બિલ્ડર વિપુલ રંગાણીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. નોંધનીય છે કે પ્રોજેક્ટના પાવર ઑફ એર્ટની નામે કરવા દબાણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. તેથી ત્રાસીને આ પગલું ભર્યું હતું. ઉલ્લેખનીય છે કે આપઘાતના પ્રયાસ પહેલા સ્યુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં ભાગીદારો ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જ્યારે આ સમગ્ર મામલાની ગંભીરતા જોઈને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Read More

કોરોના મહામારીના લીધે ગત માર્ચ માસથી શાળાઓ બંધ છે ત્યારથી બાળકો શાળાએ ગયા નથી અને શાળાઓ દ્વારા ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે ઓનલાઈન શિક્ષણ અંગેની ફી બાબતે કોઈ સ્પષ્ટતા કરી ન હતી. અગાઉ શાળાઓ દ્વારા ફીની ઉઘરાણી કરવામાં આવી હતી. પરંતુ વાલીઓએ વિરોધ કરતા ત્યારે ફી વસૂલાત મૌકૂફ રહી હતી.તાજેતરમાં સરકારે વાલીઓ અને શાળા સંચાલકો સાથે બેઠક કરી ફીમાં ૨૫ ટકા રાહત આપવા જાહેરાત કરી હતી. જેની સામે વાલીઓએ વિરોધ ઉઠાવ્યો છે. જૂનાગઢમાં આવેલી ખાનગી શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓએ એક-દોઢ કલાકના ઓનલાઈન શિક્ષણ સામે માત્ર ૨૫ ટકા ફી માફી મંજૂર નથી બાળકો શાળાએ જતા ન હોવાથી સ્કૂલ…

Read More

રાજકોટ માં રેમડેસીવિર ઈન્જેક્શ કૌભાંડને લઈને તપાસનો ધમધમાટ ચાલે છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા છ તબીબોની પૂછપરછમા મોટો ખુલાસો થયો છે. ડોકટરોએ રેમડેસીવીર ઇન્જેક્શન મંગાવ્યા જ ન હતા..અને ન્યુ આઈડિયલ એજન્સીના પરેશ ઝાલાવડીયાએ ડોકટરોના નામે બોગસ બિલ બનાવ્યા હોવાનું સામે આવ્યુ છે..ક્રાઈ બ્રાન્ચ વધુ 13 તબીબોના નિવેદન લશે. ડો.આસિફ થિબા,  ડો.અંકિત શાહ, ડો. સંજય વેકરિયા,  ડો.હરેશ દવે, ડો.રાજેન્દ્ર જોષી, ડો.ધવલ અમૃતિયની પૂછપરછ થઈ ચૂકી છે. ક્ર ઈમ બ્રાન્ચ દ્વારા છ તબીબોની પૂછપરછમા મોટો ખુલાસો થયો રેમડેસીવીર  ઇન્જેક્શન કૌભાંડ મામલો.. 168 ઇજેક્શન માં બોગસ બિલ બનાવ્યા 6 ડોકટરો પૂછ પરછ પૂર્ણ વધુ 13 ડોકટરો ના નિવેદન લેવાશે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 6…

Read More

અમદાવાદમાં પોપ્યુલર બિલ્ડરને ત્યાં આઈટી ઓફિસરના દરોડાનો આજે બીજો દિવસછે..આજે પણ આઈટીના અધિકારીઓ તપાસ ચલાવી રહ્યા છે.કોરોના કાળમાં દરોડાને લઈને સૌપ્રથમ વખત ઇન્કમટેક્ષના અધિકારીઓએ PPE કીટ પહેરીને દરોડા પાડયા. અમદાવાદના જાણીતા બિલ્ડર પોપ્યુલર ગ્રુપના ૨૭ સ્થળે ચાલી રહેલા દરોડા પાડવા ગયેલા ઇન્કમટેક્ષના અધિકારીઓ એ પોતાની તથા અન્ય ની સલામતી માટે PPE કીટ પહેરીને દરોડાની કામગીરી શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ દરોડામાં એક રૂમ ભરીને દસ્તાવેજો મળી આવ્યા હતા. પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલના ખાસ મિત્ર ગણાતા ભરત પટેલના એક રૂમમાં દસ્તાવેજો સંતાડી રાખવામાં આવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. દરોડા ચાલુ હતા ત્યારે આવકવેરા ખાતાને મળેલી માહિતીને આધારે સેટેલાઈટ…

Read More