કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ક્વોરન્ટીન કરવા માટે લગાવવામાં આવેલા સીલથી કોંગ્રેસનેતા મધુ યાક્ષી ગૌડના હાથ પર ફોલ્લા પડી ગયા છે. આ સિવાય તેમને દુખાવો અને ખજવાળ પણ શરૂ થઈ ગઈ છે. ગૌડે નાગરિક ઉડ્ડયનમંત્રી હરદીપ સિંહ પુરીને આ અંગે ફરિયાદ કરી છે. તેમણે સોમવારે ટ્વીટ કરીને કહ્યું હતું કે હરદીપ સિંહ પુરીજી, દિલ્હી એરપોર્ટ પર સ્ટેમ્પિંગ માટે ઉપયોગમાં લેવામાં આવતી ઈન્કમાંના કેમિકલ પર ધ્યાન આપવામાં આવે. ગઈકાલે એરપોર્ટ પર મારા હાથથી સ્ટેમ્પિંગ કરવામાં આવ્યું હતું. એ પછીથી જ દર્દ અને ખજવાળ આવી રહી છે. હવે મારો હાથ કંઈક આવો દેખાઈ રહ્યો છે. ગૌડે ટ્વિટર પર પોતાના હાથની બે તસવીર પણ…

Read More

ત્રણ દિવસ પહેલાં કોરોના પોઝિટિવ આવ્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પ સારવાર બાદ સોમવારે રાત્રે હોસ્પિટલથી વ્હાઈટ હાઉસ આવી ગયા છે. તેમણે કહ્યું હતું કે કોરોનાથી ડરવાની જરૂર નથી. જોકે તેમના ડોક્ટરે કહ્યું છે કે રાષ્ટ્રપતિએ તબિયતનું વધારે ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે હજુ જોખમ સંપૂર્ણ ટળ્યું નથી. વ્હાઈટમાં હાઉસમાં ટ્રમ્પે માસ્ક પણ હટાવી દીધું હતું. અમુક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પ 15 ઓક્ટોબરે થનારી બીજી પ્રેસિડેન્શિયલ ડિબેટમાં ભાગ લઈ શકે છે. જોકે વ્હાઈટ હાઉસ તરફથી આ વિશે હજી ઓફિશિયલ જાહેર કરવામાં આવ્યું નથી. ત્રણ દિવસ પછી ટ્રમ્પ વ્હાઈટ હાઉસ પહોંચ્યા છે. અહીં તેમના પર્સનલ ડોક્ટર સીન કોનલેએ કહ્યું…

Read More

ભારતીય સભ્યતા અને સંસ્કૃતિમાં પગે લાગવાની એટલે કે ચરણ સ્પર્શ કરવાની પરંપરા છે. આપણે જ્યારે કોઇ વિદ્વાન કે ઉંમરથી મોટા વ્યક્તિને મળીએ છીએ ત્યારે તેમના પગ સ્પર્શ કરીએ છીએ. આ પરંપરાને માન-સન્માનની દૃષ્ટિએ જોવામાં આવે છે. ચરણ સ્પર્શ કરવાની પરંપરા માત્ર એક અભિવાદન કરવાની રીત જ નથી, પરંતુ તેની પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે. શરીરમાં મસ્તિષ્કથી લઇને પગ સુધી સતત ઊર્જાનો સંચાર થાય છે. તેને કોસ્મિક ઊર્જા કહેવામાં આવે છે. આ રીતે જ્યારે આપણે કોઇ વ્યક્તિના પગનો સ્પર્શ કરીએ છીએ, ત્યારે તેમની પાસેથી ઊર્જા લઇએ છીએ. સામે રહેલાં વ્યક્તિના પગથી ઊર્જાનો પ્રવાહ હાથ દ્વારા આપણાં શરીરમાં પહોંચે છે. પગ સિવાય…

Read More

સ્કૉટલેન્ડના આઇનહૈલો દ્વીપ (Eynhallow island in Scotland) તેની સુંદરતા માટે વિખ્યાત છે. તે અનેક રહસ્યોથી ભરેલો છે. પણ અહીં કોઇ જતું નથી કેમ જાણો કારણ… દુનિયામાં તેવી અનેક જગ્યાઓ છે જે ખૂબ જ સુંદર છે પણ તેમ છતાં અહીં કોઇ આવતું જતું નથી. ભૂતિયા શહેરોની જેમ જ દુનિયામાં તેવી અનેક જગ્યા આવેલી છે જે સુંદર છે પણ ત્યાં કોઇ અનેક કારણો સર જતું નથી. અને આવી જ એક જગ્યા છે સ્કૉટલેન્ડનું આઇનહૈલો (Eynhallow) દ્વીપ, હરિયાળીથી ભરેલ અને ખૂબ જ સુંદર આ દ્વીપ હરિયાળીથી બરેલો છે. અહીં સુંદર વનરાજી છવાયેલી છે, સુંદર પર્વતો છે પણ તેમ છતાં આખા વર્ષ દરમિયાન અહીં…

Read More

જ્યારે તમારુ પેટ ફૂલી જાય છે, તો કબજિયાતની સ્થિતિ પેદા થતી હોય છે. એવામાં તમારી ઈંસ્ટેંટ રેમેડી શું હોવી જોઈએ? જો તમે ઘરેલુ નુસ્ખામાં વિશ્વાસ રાખો છો તો, આજે અમે તમારા માટે એક અચૂક આયુર્વેદિક નુસ્ખા લાવ્યા છે. જે કેટલાક સમયમાં જ તમારી કબ્જની સમસ્યાને હલ કરી દેશે. આંતરડાઓના માર્ગને સાફ પણ કરે આયુર્વેદિક હેલ્થ કોચ અને પ્રાણ હેલ્થકેયર સેન્ટરની સંસ્થાપક ડિંપલ જાંગડા જણાવે છે કે, ઘી અમારા શરીરને ચિકણાઈ પ્રદાન કરવામાં મદદ કરે છે અને આંતરડાઓના માર્ગને સાફ પણ કરે છે. આ વેસ્ટ પ્રોડક્ટના મૂવમેન્ટમાં પણ સુધાર કરે છે. જેનાથી કબજિયાતનો ખતરો પણ ઓછો રહે છે. તમે પણ ઘીથી કરી…

Read More

સફેદ લસણના ફાયદા વિશે તો આપણે બધા જાણીએ છીએ. કારણ કે આપણા રોજિંદા ભોજનમાં સફેદ લસણનો ઉપયોગ ખૂબ જ કરવામાં આવે છે, પરંતુ શું તમે કાળા લસણ વિશે જાણો છો? ખૂબ ઓછા લોકો કાળા લસણનો ઉપયોગ કરે છે, જેના કારણે લોકોને તેના ફાયદા પણ ખબર હોતા નથી. તો આજે આપણે કાળા લસણના ફાયદાઓ વિશે જાણીશુ આ રીતે બનાવો કાળુ લસણ ઘર પર કાળુ લસણ બનાવવું કોઈ મુશ્કેલ કામ નથી. તમે તેને બનાવવા માટે તાજું એટલે કે, સફેદ લસણ લઈ લો, હવે તેને 60 ડિગ્રી તાપમાન પર 2 થી 3 અઠવાડિયા સુધી રાખો. બ્લેક ગાર્લિકને ફોર્મેટ કરને બનાવવામાં આવે છે. ફર્મેંટેશનના કારણે…

Read More

લોકડાઉનના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની અનેક કામગીરી અટવાઈ હતી. ચાલુ નાણાંકીય વર્ષ 2020-21ના પ્રોપર્ટી ટેક્સના બિલો નાગરિકો સુધી પહોંચ્યા ન હતા. આજથી શહેરના 7 ઝોનમાં આવેલા 48 વોર્ડમાંથી 6 ઝોનના 40 વોર્ડમાં પ્રોપર્ટી ટેક્સના બિલોના વહેંચણીની કામગીરી શરૂ કરવામાં આવી છે. બે મહિનાના વિલંબ બાદ આ કામગીરી શરૂ કરવામાં આવતા હવે કોર્પોરેશનના ટેક્સની આવકમાં પણ વધારો થશે. 7 લાખ જેટલા કરદાતાઓએ એડવાન્સ ટેક્સ રિબેટ યોજનામાં અગાઉથી ટેક્સ ભરી દીધો છે. શહેરના 20 લાખ જેટલા પ્રોપર્ટી ટેક્સના કરદાતાઓને ટેક્સના બિલો આજથી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. પશ્ચિમ ઝોનમાં આવતા ઉસ્માનપુરા, રાણીપ, સાબરમતી, ન્યુ રાણીપ, નારણપુરા, ઘાટલોડિયા સહિતના વિસ્તારમાં આજથી બિલો…

Read More

વાયુસેના પ્રમુખ એરચીફ માર્શલ આરકેએસ ભદૌરિયાએ સોમવારે સ્પષ્ટ કહી દીધું છે કે ભવિષ્યના કોઈપણ યુદ્ધમાં એરફોર્સ જીત અપાવવા માટે તેઓ મહત્ત્વની ભૂમિકા નિભાવશે. તેમણે કહ્યું છે કે હાલના સમયમાં પડોશી દેશો તરફથી વધી રહેલાં જોખમને ધ્યાનમાં રાખીને આપણે યુદ્ધના દરેક મોરચે પૂરી ક્ષમતા સાથે લડવાની જરૂર છે. હું વિશ્વાસ અપાવું છું કે ઓપરેશનલી આપણે બેસ્ટ છીએ. લદાખમાં તહેનાતી વિશેના એક સવાલના જવાબમાં એરફોર્સ ચીફે કહ્યું, અમે જરૂરી દરેક ઓપરેશનલ લોકેશન પર જવાન તહેનાત કર્યા છે. અમે કોઈપણ પડકારનો ઉકેલ લાવવા માટે મજબૂતીથી જવાનોને તહેનાત કર્યા છે. અમારી પોઝિશન સારી છે અને તેમાં જો વિવાદ ઊભો થશે તો અમે ચીનને જડબાતોડ…

Read More

મુંબઈની જેમ ગુજરાતમાં પણ નશીલા પદાર્થોનું સેવન વધવા લાગ્યું છે, જેને લીધે યુવાધન ડ્રગ્સના રવાડે ચડી રહ્યું હોવાથી ગુજરાત સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે અને તેણે ગુજરાતની એન્ટી-નાર્કોટિકની નીતિમાં ધરખમ ફેરફાર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. છેલ્લા કેટલાક દિવસોથી બોલિવૂડમાં ડ્રગ્સનું સેવન બહાર આવતાં દેશભરમાં એના પડઘા પડ્યા છે, ત્યારે 1961માં અસ્તિત્વકાળની દારૂબંધી ધરાવતું ગુજરાત એન્ટી-નાર્કોટિક અને સાઇકોટ્રોપિક સબસ્ટાન્સીસ નીતિ જાહેર કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ડ્રગ્સની નવી નીતિમાં પોલીસને નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટાન્સીસ (એનડીપીએસ) કાયદા હેઠળના આરોપીની મિલકત ટાંચમાં લેવા વધુ સત્તા અપાશે. નશીલા અને સાઇકોટ્રોપિક પદાર્થોનાં સેવન અને સંગ્રહની માહિતી આપનારાં પોલીસ અને પ્રજાને…

Read More

ગુજરાત હાઇકોર્ટના હાલમાં જ નિવૃત થયેલા અને એક્ટિંગ ચીફ જસ્ટિસ રહી ચૂકેલા જસ્ટિસ અનંત દવેનું આજે સવારે દુઃખદ નિધન થયું. તેઓ છેલ્લાં બે સપ્તાહથી હોસ્પિટલમાં દાખલ હતા અને ખૂબ ક્રિટિકલ હાલતમાં એમની સારવાર ચાલુ હતી. અનંત દવેનો જન્મ 5 ડિસેમ્બર 1957ના રોજ પંચમહાલ જિલ્લાના એક આદિવાસી વિસ્તારમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ ગામડે જ મેળવ્યું. ગ્રેજ્યુએશનમાં લૉ સબ્જેક્ટ સાથે કોમર્સ કર્યું. 30 ડિસેમ્બર 1998માં એલએલબીની ડિગ્રી મેળવીને તેમણે બાર કાઉન્સિલમાં વકીલ તરીકે નોંધણી કરાવી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સાથે ચર્ચા કરી અકિલ કુરેશીની બોમ્બે હાઈકોર્ટમાં બદલીની મહોર લગાવ્યા બાદ ગુજરાત હાઇકોર્ટના નવા એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે અનંત એસ દવેની…

Read More