ભારતીય સભ્યતા અને સંસ્કૃતિમાં પગે લાગવાની એટલે કે ચરણ સ્પર્શ કરવાની પરંપરા છે. આપણે જ્યારે કોઇ વિદ્વાન કે ઉંમરથી મોટા વ્યક્તિને મળીએ છીએ ત્યારે તેમના પગ સ્પર્શ કરીએ છીએ. આ પરંપરાને માન-સન્માનની દૃષ્ટિએ જોવામાં આવે છે. ચરણ સ્પર્શ કરવાની પરંપરા માત્ર એક અભિવાદન કરવાની રીત જ નથી, પરંતુ તેની પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે. શરીરમાં મસ્તિષ્કથી લઇને પગ સુધી સતત ઊર્જાનો સંચાર થાય છે. તેને કોસ્મિક ઊર્જા કહેવામાં આવે છે. આ રીતે જ્યારે આપણે કોઇ વ્યક્તિના પગનો સ્પર્શ કરીએ છીએ, ત્યારે તેમની પાસેથી ઊર્જા લઇએ છીએ. સામે રહેલાં વ્યક્તિના પગથી ઊર્જાનો પ્રવાહ હાથ દ્વારા આપણાં શરીરમાં પહોંચે છે.
પગ સિવાય આપણે શરીરનો કોઇ અન્ય ભાગ સ્પર્શ કરીને આશીર્વાદ ન લેવા તેની પાછળ પણ એક વૈજ્ઞાનિક કારણ છે. જ્યારે આપણે યોગ્ય પ્રક્રિયા સાથે ચરણ સ્પર્શ કરીએ છીએ ત્યારે કમર નમે છે અને આપણાં ડાબા હાથની આંગળીઓ સામે રહેલાં વ્યક્તિના જમણા પગ અને જમણા હાથની આંગળીઓથી ડાબા પગનો સ્પર્શ કરીએ છીએ. તેની પાછળ વૈજ્ઞાનિક વ્યાખ્યા છે કે, આપણું શરીર અનેક તંત્રિકાઓથી મળીને બને છે. આ તંત્રિકા આપણાં મસ્તિષ્કથી શરૂ થાય છે, તો આપણાં હાથ અને પગની આંગળીઓએ પૂર્ણ થાય છે. આ પ્રક્રિયામાં જ્યારે આપણે આંગળીઓથી વિરૂદ્ધ દિશાના પગનો સ્પર્શ કરીએ છીએ ત્યારે શરીરમાં વિદ્યુતીય ઊર્જાનું ચક્ર બને છે. સાથે જ, સામે રહેલાં વ્યક્તિના શરીરની ઊર્જા આપણી અંદર પ્રવેશ કરે છે.