ગુજરાત રાજ્યની ભાજપ શાસિત પાટણ જિલ્લા પંચાયતની આજે પાંચ વર્ષની મુદતની છેલ્લી સામાન્ય સભા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય સભામા સ્વભંડોળની કરોડોની ગ્રાન્ટનો ભ્રષ્ટચારનો મુદ્દો ચર્ચાનો વિષય રહેશે. નોંધપાત્ર છે કે આજની છેલ્લી સામાન્ય સભા સાથે જિલ્લા પંચાયતની મુદત પુરી થઇ રહી છે.
કવિ: Satya Day News
રાજકોટ શહેરના વોર્ડ નંબર 13માં પ્રદુષિત પાણીને લઈને ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. મહાનગરપાલિકની વોર્ડ નંબર 13ની ઓફિસે મોટી સંખ્યામાં મહિલાઓએ વિરોધ કર્યો છે. આંબેડકરનગર વિસ્તારમાં પ્રદુષિત પાણીને લઈને મહિલાઓએ માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો છે. આંબેડકરનગરની શેરી નંબર 13 અને 14માં છેલ્લાં ઘણાં સમયથી પ્રદુષિત પાણી આવતું હોવાની ફરિયાદ ઉઠી હતી. જે અંગે તંત્રને અનેક વખત રજૂઆત કરી હતી પરંતુ આજદિવસ સુધી પ્રદુષિત પાણીની સમસ્યાનો ઉકેલ ન આવતા અંતે આ વિસ્તારની મહિલાઓ રણચંડી બની હતી. રોષે ભરાયેલી મહિલાઓએ વોર્ડ નંબર 13ની ઓફિસે પહોંચી ઉગ્ર વિરોધ દાખવ્યો હતો.
ટેકોપ્લેનિન (Teicoplanin)નામના ગ્લાયકોપેપ્ટાઇડ એન્ટિબાયોટિક દવાથી કોરોના વાયરસની સારવારમાં નવી આશા જન્મી છે. તાજેતરના સંશોધન દ્વારા જાણવામાં આવ્યું છે કે આ દવા હાલમાં ઉપયોગમાં લેવામાં આવતી દવાઓ કરતા 10 ગણા વધુ અસરકારક સાબિત થઈ શકે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) દિલ્હીએ 23 દવાઓના સંશોધન પછી આ દાવો કર્યો છે. IIT-D ની કુસમ સ્કૂલ ઓફ બાયોલોજિકલ સાયન્સમાં કોરોના વાયરસ માટે વપરાયેલી 23 દવાઓનું સ્ક્રીનીંગ કરાયુ હતું. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, જ્યારે અન્ય દવાઓના ટેકોપ્લેનિનની અસરની તુલના કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે આ દવા 10 ગણી કરતાંથી વધુ અસરકારક છે.આઇઆઇટી દિલ્હીના પ્રોફેસર અશોક પટેલ આ અધ્યયનનું નેતૃત્વ કરી રહ્યા હતા. પટેલે…
કોરોના વાયરસની સૌથી વધુ અસર પર્યટન ક્ષેત્રે જ જોવા મળી છે, પરંતુ હવે ઘણા રાજ્યોએ તેમની સરહદો પર્યટકો માટે ખોલી દીધી છે. રાજ્યોએ ઘણી નવી દિશાનિર્દેશો જારી કરી છે, જે દરેક પ્રવાસીઓ માટે વાંચવા માટે મહત્વપૂર્ણ છે. જો તમે પણ ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો કોઈ સમસ્યા ન થાય તે માટે, રાજ્યોની આ માર્ગદર્શિકાને ચોક્કસપણે જાણો. એન્ટિજેન પરીક્ષણ કરાવવું પડશે આંધ્રપ્રદેશ : આંધ્રપ્રદેશમાં- તેલંગાણા અને કર્ણાટકથી આવતા લોકો માટે 14 દિવસ ફરજિયાત હોમ ક્વોરંટિન જરૂરી છે. આંતરરાજ્ય મુસાફરી પર પ્રતિબંધ નથી. અરુણાચલ પ્રદેશ : રાજ્યમાં પ્રવેશતા મુસાફરોને રાજ્યના ચેક ગેટ અને હેલીપેડ પર ઝડપી એન્ટિજેન પરીક્ષણ કરાવવું પડશે. જો…
ભોપાલમાં ડીજી સ્તરના એક પોલીસ અધિકારી પર તેમની પત્નીને ક્રૂરતાથી મારઝૂડ કરવાનો આરોપ લાગ્યો છે. મારઝૂડનો વીડિયો સોશિયલ મીડયા પર વાઈરલ થયો છે. જેમાં અધિકારી તેમની પત્ની સાથે ખરાબ રીતે મારઝૂડ કરતા જોવા મળી રહ્યા છે. ઘટનાસ્થળે કામ કરતા બે લોકો પણ હાજર છે. આ વીડિયો સ્પેશ્યલ ડિજી પોલીસ અભિયોજન પુરુષોત્તમ શર્માના ઘરનો છે. તેમના દીકરાએ આ વીડિયો ગૃહમંત્રી, ડીજીપી, મુખ્ય સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓને મોકલ્યો છે. દીકરાએ પિતા વિરુદ્ધ કડક કાર્યવાહીના માંગી પણ કરી છે. તો આ તરફ શર્માએ કહ્યું કે, હું રાક્ષસ છું, તો મારી પત્નીએ ફરિયાદ કરવી જોઈએ. મારી પર આ પ્રકારનો પહેલી વખત આરોપ લાગ્યો…
સામાન્ય રીતે ઓસ્ટ્રિયા, જર્મની અને સ્વિટ્ઝર્લેન્ડમાં ઓક્ટોબરના અંતથી શિયાળો શરૂ થાય છે. આ દરમિયાન ઠંડીનું આગમન સામાન્ય હિમપાતથી થાય છે પણ આ વર્ષે યુરોપના આ ત્રણેય દેશમાં શિયાળો 1 મહિનો વહેલો બેસી ગયો છે. શનિવારે આલ્પ્સ પર્વતના પહાડી વિસ્તારો, રસ્તા અને રહેણાક વિસ્તારોમાં બરફની ચાદર પથરાઇ ગઇ. આ વિસ્તારોમાં 10 ઇંચ સુધી બરફવર્ષા થઇ. તાપમાન પણ માઇનસ 2 ડિગ્રી સુધી પહોંચી ગયું. આ અત્યાર સુધીનો રેકોર્ડ છે કે શિયાળો શરૂ થતાં જ ક્યારેય આટલી બરફવર્ષા નથી થઇ. સ્વિટ્ઝર્લેન્ડના હવામાન વિભાગ અને જર્મનીની ઇન્સ્ટિટ્યૂટ આૅફ મેટેરોલોજીના વિજ્ઞાનીઓએ જણાવ્યું હતું કે કોરોનાકાળ દરમિયાન લોકો ઘરમાં કેદ રહ્યા. આ દરમિયાન પ્રકૃતિમાં હકારાત્મક ફેરફાર…
બ્રિટનમાં 100 વર્ષની એક મહિલાએ પોતાનું ખૂબ સુંદર ઘર છોડવું ન પડે તે માટે હજુ સુધી લગ્ન નથી કર્યા. 100 વર્ષથી એક જ ઘરમાં જીવનસાથી વિના રહેતા આ વૃદ્ધાનું નામ વેરા બન્ટિંગ છે. 1921માં તેઓ 6 મહિનાના હતા ત્યારે તેમના માતા-પિતા તેમને લઇને બે માળના આ ઘરમાં રહેવા આવ્યા હતા. બસ ત્યારથી અહીં જ છે. વેરા પોતાના ઘરને આ ધરતી પરની સૌથી સુંદર જગ્યા માને છે અને આ ઘર છોડવું ન પડે તે માટે તેઓ અત્યાર સુધીમાં લગ્નના 4 પ્રસ્તાવ ફગાવી ચૂક્યા છે, જે તેમને બીજું વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ મળ્યા હતા. તેઓ આ ઉંમરે પણ તંદુરસ્ત અને સ્ફૂર્તિલા છે.…
મંગળવાર, 29 સપ્ટેમ્બરે શનિ મકર રાશિમાં માર્ગી થઇ જશે. એટલે હવે સીધો ચાલતો જોવા મળશે. ત્યાર બાદ આવતા વર્ષે મે મહિના સુધી શનિની ચાલમાં ફેરફાર થશે નહીં. શનિની સીધી ચાલથી અનેક લોકોનો મુશ્કેલ સમય પૂરો થઇ શકે છે. શનિની ચાલ બદલાવાથી દેશ-દુનિયાની આર્થિક સ્થિતિ અને રાજકારણમાં ફેરફાર આવી શકે છે. વરાહમિહિરના જ્યોતિષ ગ્રંથ બૃહત્સંહિતા પ્રમાણે શનિની ચાલમાં ફેરફાર થવાથી વૃશ્ચિક અને સિંહ રાશિના લોકો માટે સારો સમય શરૂ થશે. આ સિવાય વૃષભ, કન્યા અને મકર રાશિના લોકો માટે પણ સમય ઠીક-ઠાક રહેશે. ત્યાં જ, મેષ, મિથુન, કર્ક, તુલા, ધન, કુંભ અને મીન રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. મકર રાશિમાં શનિના…
શિયાળામાં કોવિડ -19 અને ફલૂના ચેપ(Covid-19 and flu infection)નું કોમ્બિનેશન માણસ માટે વધુ જોખમી સાબિત થઈ શકે છે. ફ્લૂ અને કોવિડ -19 લક્ષણો (Covid-19 Symptoms) વચ્ચેનો તફાવત શોધવાનું ખૂબ મુશ્કેલ છે. બંને રોગોના લક્ષણો લગભગ સમાન છે. ફક્ત પરીક્ષણ દ્વારા કહેવું શક્ય છે કે, વાસ્તવમાં માણસ કંઈ બિમારીનો શિકાર છે. કોવિડ -19 અને ફલૂ (Coronavirus and flu) બંનેમાં શરીરનો દુખાવો, ગળામાં દુખાવો, તાવ, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, થાક અને માથાનો દુખાવો જેવા ઘણા લક્ષણો છે. જો કે, વૈજ્ઞાનિકો દાવો કરે છે કે માત્ર બે લક્ષણો જોઈને, તમે કોવિડ -19 અને ફ્લૂ વચ્ચેનો તફાવત ઓળખી શકો છો.ડોક્ટરો કહે છે કે સામાન્ય…
સેક્સ એ કુદરતે આપેલી સ્ત્રી પુરુષોની અણમોલ ભેટ છે. દરેક નર માદામાં સંભોગથી જ વંશવેલો આગળ વધે છે. ઘણી વખત વધુ બાળકો ન જોતા હોય તેવા કપલ પણ કોન્ડોમનો ઉપયોગ કરે છે. તો નવા યુવાન કપલો બાળકનું પ્લાનિંગ ન હોય તો તેઓ પણ સંભોગ દરમિયાન કોન્ડોમનો ઉપયોગ કરે છે. કોન્ડોમનો ઉપયોગ હવે ધીમે ધીમે વધી રહ્યો છે. કોઈ અનજાન વ્યક્તિ સાથેના સંભોગમાં પણ કોન્ડોમનો ઉપયોગ થતો હોય છે. સંભોગ દરમિયાન અનિચ્છનીય ગર્ભાવસ્થા ટાળવા તેમજ જાતીય રોગોથી દૂર રહેવા કે અન્ય કોઈ અનજાન વ્યક્તિ સાથે સંભોગ દરમિયાન કોન્ડોમનો ઉપયોગ કરવામાં આવે છે. કોન્ડોમના ઉપયોગ મોટા ભાગના લોકો લાંબા સમયથી કરતા હોય છે…