કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

રાજ્ય સભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહે કૃષિ બિલ પર મતોના વિભાજનની માંગ અંગે સ્પષ્ટતા જારી કરી છે. તેમણે કહ્યું છે કે, “મત વિભાજનની માંગ વિરોધી પક્ષોના સાંસદો દ્વારા તેમની બેઠકો પરથી ઉભી કરવામાં આવી નહોતી.” ગૃહમાં હોબાળો મચાવતા તે કહેતા હતા કે સભ્યોએ માંગ દરમિયાન બેઠકો પર રહેવું જોઈએ. જોકે, રાજ્યસભા ટેલિવિઝનનાં ફૂટેજમાં એક અલગ વાર્તા કહેવામાં આવી છે. રાજ્યસભા ટેલિવિઝનનાં ફૂટેજમાં એક અલગ વાત કહેવામાં આવી છે ઉલ્લેખનીય છે કે બપોરે એક વાગ્યાના ક્રમમાં જ્યારે ગૃહ 15 મિનિટ માટે મુલતવી રાખવામાં આવ્યું ત્યારે, બે સાંસદો ડીએમકેના તિરુચી શિવા અને સીપીએમના કેકે રાગેશ મતો વિભાજનની માંગ દરમિયાન તેમની બેઠકો પર…

Read More

ગૂગલ તેનો 20 મો જન્મદિવસ 27 સપ્ટેમ્બરે ઉજવી રહ્યો છે, જોકે ગૂગલ 4 સપ્ટેમ્બરના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. દર વર્ષે ગુગલના જન્મદિવસના વિશેષ પ્રસંગે, કંપની એક વિશેષ ડૂડલ બનાવે છે. એક વીડિયો ડૂડલ બનાવ્યો છે જે ખરેખર અદભૂત છે. આજના ડૂડલ્સમાં, ગૂગલની સામે કેક અને ભેટો મૂકવામાં આવે છે. બેરલ રોલ લખીને શોધો. આ પછી, તમારી સ્ક્રીન એકવાર સંપૂર્ણ 360 ડિગ્રી ફેરવશે. જો તમે બેરલ રોલ પછી 2 લખો પછી શોધશો, તો સ્ક્રીન બે વાર ફેરવાશે. જલદી તમે ગૂગલમાં ટાઇલ્ટ ટાઇપ કરીને સર્ચ કરશો, તો તમને ઘણા પરિણામો મળશે. હવે તમારે પ્રથમ કડી પર ક્લિક કરવું પડશે. જલદી તમે…

Read More

કોંગ્રેસની સ્ક્રિનિંગ કમિટીના અધ્યક્ષ અવિનાશ પાંડેએ કહ્યું કે બિહારમાં આરજેડી એક મોટી પાર્ટી છે. તેજસ્વી યાદવને મહાગઠબંધનમાં મુખ્યમંત્રીના ઉમેદવાર તરીકે ગણી શકાય. કોંગ્રેસ દેશ સ્તરે વિરોધ પક્ષનું નેતૃત્વ કરે છે. જો બિહારમાં સમાધાન ન થાય, તો અમે બધી 243 બેઠકો પર ચૂંટણી લડવા તૈયાર છીએ. અમારો સપોર્ટ બેઝ પાછો ફર્યો છે. ઉમેદવારોની યાદી પણ તૈયાર છે. પાર્ટી ચૂંટણીમાં વિજેતા થયેલા ઉમેદવારને ઉતારશે. કાર્યકરોનું સમર્પણ, પક્ષ પ્રત્યેની નિષ્ઠા એ ઉમેદવારની પસંદગીનો આધાર હશે. જેણે રાત-દિવસ પાર્ટી માટે સખત મહેનત કરી છે તેને અગ્રતા મળશે. બિહારની ચૂંટણી દેશમાં મોટો સંદેશ આપશે. આ વખતે એનડીએને સંપૂર્ણ તાકાતથી પ્રજા અને કોંગ્રેસ ઉથલાવી નાખશે. તેમણે…

Read More

સાબરકાંઠાની વિજયનગરની પોળોમાં જો પરિવાર સાથે કે મિત્રો માટે જતા હોય તો સાવધાન થઈ જશો. ઉલ્લેખનીય છે કે પોળોમાં હાઇવે બ્લોકની ધારાસભ્યની જાહેરાત બાદ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. નોંધપાત્ર છે કે પ્રવાસીઓને પોળોમાં જવા પર પોલીસે  હાલ પુરતો પ્રતિબંધ મુક્યો છે. જેથી પોળો ફોરેસ્ટ જતા પ્રવાસીઓને વિજયનગર ત્રણ રસ્તા પર પર અટકાવી ફરત મોકલવામાં આવી રહ્યા છે.

Read More

વેજલપુર પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથ થયાની ઘટના સામે આવી છે..સ્ટેટ મોનીટરીંગ સેલે ગઈકાલે રાત્રે વેજલપુરમાંથી જુગારધામ પકડયું હતું..જેમાં પકડાયેલા સાત આરોપી પૈકી એક આરોપીનું વેજલપુર પોલીસ સ્ટેશનના લોકઅપમાં મોત નિપજ્યું છે..અબ્દુલ કાદર શેખ નામના આરોપીનું મૃત્યુ થયું છે. ઉલ્લેખનીય છે કે આરોપીને બીમારી હતી અને એરેસ્ટ કરવાની કામગીરી પણ બાકી હતી.કોરોના ટેસ્ટ બાદ આરોપીની ધરપકડ કરવાની હતી. નોંધપાત્ર છે કે ઘટનાની ગંભીરતા જોતા પીઆઈ,એસીપી,ડીસીપી સહિતના અધિકારીઓ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા .કસ્ટોડિયલ ડેથને લઈને અને જુગારધામના મુદ્દે વેજલપુર પોલીસ ફરી એક વખત વિવાદમાં આવી છે. વેજલપુરમાં થયું કસ્ટોડિયલ ડેથ સ્ટેટ મોનીટરીંગ સેલ એ ગઈકાલે રાત્રે વેજલપુર માંથી જુગારધામ પકડાયું હતું જેમાં…

Read More

પાકિસ્તાનના Karachiમાં એક બસમાં અચાનક આગ લગતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. આ દુર્ઘટનામાં અન્ય 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના સમાચાર છે. એક અધિકારીએ જણાવ્યું કે બસ હૈદરાબાદથી Karachi જઈ રહી હતી. દરમ્યાન કોઈ કારણોસર બસમાં આગ લાગી ગઈ જેમાં બસમાં મુસાફરી કરી રહેલ લોકો માંથી 13 લોકોના મોત થયા. આઇજી મોટરવે પોલીસ ડૉ. આફતાબ પઠાણએ જણાવ્યું કે Karachi જઈ રહેલ બસમાં કુલ 22 લોકો મુસાફરી કરી રહ્યા હતા. આગ લાગવાને કારણે બસ પલટી ગઈ હતી.જેથી તમામ મુસાફરો બસમાં જ ફસાઈ ગયા હતા. દાઝી જવાને કારણે 13 લોકોના મોત થયા હતા. કેટલાંક લોકો પોતાનો જીવ બચાવવામાં…

Read More

આ મહામારીમાં જો કોઈ રાહતના સમાચાર છે તો એ છે કે કોવિડની બાળકો પર ગંભીર અસર નથી દેખાઇ. જેમને પણ ચેપ લાગ્યો છે એ બાળકોમાં રિકવરી રેટ ખૂબ જ સારો છે. તાજેતરમાં બાળકોની ઈમ્યૂન સિસ્ટમના સંબંધમાં થયેલા પ્રથમ રિસર્ચમાં તેનું કારણ જણાવાયું છે. સાયન્સ ટ્રાન્સલેશનલ મેડિસિનમાં પ્રકાશિત રિસર્ચમાં જણાવાયું છે કે બાળકોની ઈમ્યૂન સિસ્ટમમાં પ્રાકૃતિકરૂપે એવા ગુણ છે જે કોરોનાને શરીરમાં પ્રવેશતાં જ તેને નષ્ટ કરવા લાગે છે. એટલે કે વાઈરસ શરીરને વધારે નુકસાન પહોંચાડે તે પહેલાં જ તેને ખતમ કરી દે છે. આલ્બર્ટ આઈન્સ્ટાઈન કોલેજ ઓફ મેડિસિનના પીડિયાટ્રિક ઈન્ફેક્શિયસ ડિસીઝ એક્સપર્ટ ડૉ. બેટસી હેરોલ્ડ કહે છે કે બાળકોની ઈમ્યૂન…

Read More

તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં દુર્ગમ ચેરુવુ લૅક પર વિશ્વનો સૌથી લાંબો સ્પાન કોંક્રીટ કેબલ સ્ટે બ્રિજ બનાવાયો છે. બ્રિજના ઉદઘાટન બાદ તેને આકર્ષક રોશનીથી સજાવાયો છે. આ પુલથી માધવપુર શહેરમાં ભારે ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળશે. પુલ પર ફોર લેન રોડ છે. ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પુલનું નિર્માણ કરાવ્યું છે. આ વિશ્વનો સૌથી લાંબો સ્પાન કોંક્રીટ ડેક એક્સ્ટ્રા-ડોઝ્ડ કેબલ સ્ટે બ્રિજ છે. બ્રિજ બનાવવા પાછળ 184 કરોડ રૂપિયા ખર્ચ થયો છે. બ્રિજને લાઇટ્સથી એ રીતે સજાવાયો છે કે તેમાં ક્યાંય સાંધાના નિશાન નથી દેખાતા. અધિકારીઓનો દાવો છે કે કોઇ કેબલ બ્રિજ પર પહેલી વાર આવી સજાવટ કરાઇ છે.

Read More

સાંપ એક એવો જીવ છે જોઈને સારા-સારા લોકોના પરસેવો છૂટી જાય છે. સાંરોના ઘણી પ્રજાતિઓ હોય છે જેમાં નાના સાપં, અજગર અને કોબ્રાનો પણ સમાવેશ થાય છે. શું ક્યારેય તમે વિચાર્યુ છે કે, તમે પાણીમાં ઊભા છો અને અચાનકથી તમારી સામે અઝગર આવી જાય તો? આજે અમે તમને એક એવો જ વીડિયો દેખાડવા જઈ રહ્યા છીએ, જેને જોઈને તમારા હોંશ ઉડી જશે અને ધડકને વધી જાય છે.સોશિયલ મીડિયા પર આવો જ વીડિયો તેજીથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક શખ્સ સ્લોપની પાસે ઊભુ છે અને પાણીમાં તરી રહેલા સાંપને પકડી સ્લોપ પર રાખવાની કોશિશ કરી રહ્યા છે. ત્યારે એક અજગર લપસતા…

Read More

મોટાભાગના લોકો અંગકસરતો ક્યારે કરવી તેના સમય વિશે મૂંઝવણમાં રહે છે. દરેકનો પોતાનો પ્રિય સમય હોય છે. ઘણાં સવારે કસરત કરે છે. ઘણા લોકો સાંજે કસરત કરે છે. કસરતનો સમય વજનને પણ અસર કરે છે.સવારે કે સાંજ સમયે કસરત કરવાથી વજન ઝડપથી ઓછું થાય છે. સવારે કસરત કરવાથી ઘણા ફાયદા થાય છે. સવારે વહેલા ઉઠી જવું તમને આખો દિવસ માટે પુષ્કળ સમય આપે છે. સવારે કસરત કરવાથી શરીરમાં એન્ડોર્ફિન હોર્મોન ઉત્પન્ન થાય છે, જે તાણ ઘટાડે છે અને મનને શાંત રાખે છે. તેનાથી આખો દિવસ સારો પસાર થાય છે.મેડિસીન મેગેઝીનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, જે મહિલાઓ સવારે ઉઠે છે…

Read More