વર્તમાન સમયમાં સ્માર્ટફોનની સાથે એપ્લીકેશન મેકર્સ પણ ડાર્ક મોડનો ઉપયોગ કરવા લાગ્યા છે. વોટ્સપ, ફેસબુક અને ટ્વીટર પર ડાર્ક મોટ ઉપલબ્ધ છે. એટલુ જ નહી એન્ડ્રોઈડ 10માં ગૂગલને સિસ્ટમ-વાઈટ મોડો ઓપ્શન પણ આપી દીધો છે. ડાર્ક મોડ દેખાવમાં તો સારુ લાગે છે, પરંતુ શું તમે જાણો છો કે, અહીંયા તમારી નાજુક આંખો માટે ખૂબ જ ખતરનાક પણ સાબિત થઈ શકે છે. વધ્યો ડાર્ક મોડનો ક્રેઝ આ સમયે સ્માર્ટફોનના અલગ-અલગ એપ્સ માટે ડાર્ક મોડ ફીચર ખૂબ જ ટ્રેડિંગમાં છે. જાર્ક મોડ ઓન થવા પર સ્માર્ટફોનની ડિસ્પ્લે ડાર્ક અથવા બ્લેક કલરમાં થઈ જાય છે. જેના કારણે ઓછી રોશની આંખોમાં જાય છે અને વધારે…
કવિ: Satya Day News
પ્રોટેક્શન વિશે સૌ કોઈ વિચારી રહ્યા છે. વિયેતનામની એક ફેક્ટરીમાં મોટા દરોડા પડ્યા છે. અહીં જે થઈ રહ્યુ હતું, તેના વિશે વિચારીને તમે પણ મૂંઝવણમાં મુકાઈ જશો. હકીકતમાં અહીં યુઝ કરેલા કન્ડોમને ફરી વાર સાફ કરીને પૈક કરવામાં આવી રહ્યા છે. શનિવારના રોજ પોલીસે અહીં એક ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા. ઘટનાસ્થળ પર પોલીસ પહોંચતાં 320,000 વપરાયેલા કન્ડોમ મળી આવ્યા. ત્યાર બાદ પોલીસે આ ફેક્ટરીને સીલ કરી દીધી હતી. કુલ મળીને અહીંથી 3 લાખ 24 હજાર કન્ડોમ સીલ કરવામાં આવ્યા છે. હકીકતમાં આ સમગ્ર ઘટના પાછળ એક આખી ગેંગ કામ કરે છે. જે રસ્તા પરથી મળી આવતા વપરાયેલા કન્ડેોમને લઈને તેને…
સુરતમાં અકસ્માતની ઘટનાને ઘટાડવા માટે સુરત પોલીસ કમિશનરે મહત્વનો આદેશ આપ્યો છે. તેમણે રસ્તા પર રખડતા ઢોર -ઢાખરના માલિકો સામે ગુનો દાખલ કરવા આદેશ કર્યા છે. આ પ્રકારનો નિર્ણય રોડ સેફટી કાઉન્સીલની મળેલી બેઠકમાં લેવાયો છે.આ ઉપરાંત ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા ચાલકોના લાયસન્સ સુધા સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા રસ્તા પર બેરીકેટિંગ અને રોંગ સાઈડમાં આવતા વાહનો ચાલકો સામે કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે.
કચ્છના રાપરમાં વકીલ દેવજી મહેશ્વરીની હત્યા મામલે પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. જિલ્લા પંચાયતના પ્રમુખના મોટાભાઇ સહિત કુલ 9 લોકો વિરૂદ્ધ મૃતક વકીલના પત્નીએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે મુખ્ય આરોપી ભરત રાવલ સહિતના આરોપીઓ વિરૂદ્ધ હત્યા, એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. વકીલ દેવજી મહેશ્વરીની હત્યા પાછળ રાપર લુહાર સમાજવાડીનો ડખ્ખો કારણભૂત હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે ગત સાંજે અજાણ્યા શખ્સોએ દેવજી મહેશ્વરીની છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી. સમગ્ર કચ્છ પંથકમાં વકીલની હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગાંધીધામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ખગોળશાસ્ત્રીઓ અને ખગોળીય ઘટનાઓના શોખીન લોકો માટે ઓક્ટોબર મહિનો ખાસ બની રહેશે. ઓક્ટોબર મહિનાની અંદર એક દુર્લભ ખગોળીય ઘટના બનવા જઇ રહી છે. આ પહેલાં આ ઘટના બીજા વિશ્વયુદ્ધના સમયે એટલે કે 1944માં જોવા મળી હતી. આ ઘટના ચંદ્ર સાથે જોડાયેલી છે. આમ તો ચંદ્ર સુંદર જ હોય છે, પરંતુ આ દિવસે તેની સુંદરતા અનેક ગણી વઘી જશે. તેનું કારણ છે કે આ દિવસે ચંદ્ર વાદળી રંગનો થઇ જશે. વિજ્ઞાનની ભાષામાં તેને બ્લૂ મૂન તરીકે ઓળખવામાં આવે છે. 1944ના વર્ષ બાદ હવે પ્રથમ વખત બ્લૂ મૂનને દક્ષિણ અમેરિકા, ભારત, યુરોપ સહિત આખા વિશ્વમાં જોઇ શકાશે. 31 ઓક્ટોબરના દિવસે આ દુર્લભ…
બજારમાં ભેળસેળ સાથે આજ સુધી સરસવનું તેલ મળી રહ્યું છે. કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે, હવે સરસવનું તેલ ફક્ત શુદ્ધ જ વેચી શકાય છે. બજારમાં ઉપલબ્ધ તેલના 20 ટકા જેટલા તેલને ખાદ્ય તેલમાં ઉમેરવાની મંજૂરી આપવામાં આવી હતી. ગુજરાતમાં મગફળીમાં પણ આ રીતે 20 ટકા બીજું તેલ ઉમેરવાની છૂટ છે. તે પણ પરત ખેંચાશે કે કેમ તે તેલના વેપારીઓ પ્રશ્નો કરી રહ્યાં છે. સરકારે આ માટે એફએસએસએઆઈને સૂચના પણ આપી છે. આ નવી દિશાનિર્દેશો 1 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે. તાજેતરના સમયમાં સરસવના તેલના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં, ગૌણ ખોરાકમાં ભેળસેળ થવાની સંભાવના વધારે છે. તેને…
બનાસકાંઠાના પાલનપુરનો વિકાસ નકશો રદ થતાં 15 જેટલા બિલ્ડરોને બાંધકામ સ્થગિત કરવા માટેની નોટીસ અપાઈ છે. અગાઉ રહેણાંક બાંધકામ માટે નગરપાલિકા દ્વારા શરતી મંજૂરી આપવામાં આવી હતી.શરતી મંજૂરી હોવા છતાં બિલ્ડરોએ મોટાપાયે બાંધકામ કર્યું છે. પાલનપુર શહેરની નવી રહેણાંક સ્કીમના બાંધકામ સ્થગિત થતાં રોકાણકારોમાં ફફડાટ ફેલાયો છે. શહેરી વિકાસ અને ગૃહનિર્માણ વિભાગની નવી મંજૂરી ન આવે ત્યાં સુધી બાંધકામની યથા સ્થિતિ જાળવી રાખવા નગરપાલિકાનો આદેશ છે.
ભાવનગરના ઘોઘા તાલુકાના ખેડૂતોએ વીજળીની સમસ્યાને પગલે વિરોધ કર્યો. સુત્રોચ્ચાર કરી ચક્કાજામ કરી ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે છેલ્લા 2 વર્ષથી ખેતીની લાઈનમાં વીજળી સમયસર આપવામાં આવતી નથી જેથી ખેતરમાં ઉભા પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.જેથી સમયસર વીજળી આપવામાં આવે તો ખેડૂતોને થોડીગણી રાહત મળી શકે.
ઉત્તર પ્રદેશના હાથરસમાં એક દલિત યુવતી પર ગેંગરેપ કર્યા બાદ બદમાશોએ એની જીભ કાપી નાખી હતી જેથી એ બોલીને કશું કહી ન શકે. આ યુવતી હાલ જીવનમરણ વચ્ચે લડી રહી હતી. છેલ્લા એક અઠવાડિયાથી આ યુવતી બેહોશ પડી હતી. અગાઉ એણે ગામની પોલીસને છેડતીની ફરિયાદ કરી હતી. એ વાતની કિન્નાખોરી રાખીને ગામના ચાર યુવાનોએ એના પર ગેંગરેપ કર્યો હતો અને ત્યારબાદ એની જીભ કાપી નાખી હતી. મેડિકલ તપાસમાં તો એવી પણ વાત બહાર આવી હતી કે આ યુવતીની કરોડરજ્જુ પણ તોડી નાખવામાં આવી હતી. એક અઠવાડિયાથી બેહોશ પડેલી 19 વર્ષની આ યુવતી 21 સપ્ટેંબરે હોશમાં આવી હતી. ત્યારબાદ એની મેડિકલ…
આવતા વર્ષ 2021ના પહેલા દિવસથી જ બેન્કોમાં ચેક દ્વારા ચૂકવણી કરવાની સિસ્ટમમાં ફેરફાર આવી રહ્યા છે. અત્યારે કોઇ વ્યક્તિ જેને પૈસા ચૂકવવાના હોય તેને ચેક આપી દે છે. પહેલી જાન્યુઆરીથી ચેક દ્વારા ચૂકવણીની વ્યવસ્થામાં કેટલાક ફેરફાર આવી રહ્યા હતા. એ દરેક વ્યક્તિએ જાણવા જરૂરી ગણાય. એને પોઝિટિવ પે સિસ્ટમ નામ અપાયું હતું. ચેક રજૂ કરનાર વ્યક્તિ એ જ છે જેના નામે ચેક લખવામાં આવ્યો છે ખાસ કરીને પચાસ હજાર રૂપિયાથી વધુ રકમનું પેમેન્ટ કરવાનું હોય ત્યારે મહત્ત્વપૂર્ણ માહિતી આપવાની જરૂર પડશે. એ માટે ચેક આપનાર વ્યક્તિએ એસએમએસ, મોબાઇલ એપ, ઇન્ટરનેટ બેંકિંગ કે એટીએમ જેવા માધ્યમ દ્વારા ચેકને લગતી વધારાની માહિતી આપવાની…