WHO એ ચેતવણી જાહેર કરી છે. સોમવારે મોડી સાંજે ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ અધાનોમના જણાવ્યા પ્રમાણે, લોકોએ બીજી મહામારી માટે તૈયાર રહેવું જોઈએ. આગામી મહામારી પહેલાં સ્વાસ્થ્ય સેવાઓમાં પૈસાનું રોકાણ કરવું જોઈએ, નહીં તો પછી કોરોના જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. જિનીવામાં એક પ્રેસ બ્રીફિંગમાં ટેડ્રોસના જણાવ્યા પ્રમાણે, મહામારીના કારણે દુનિયાભરમાં 2.71 કરોડ લોકો સંક્રમિત થયા અને 8.88 લાખથી વધુ લોકોના મોત થયા છે. દુનિયાના ઘણા દેશોમાં સ્થિતિ વણસી રહી છે. જેને નિયંત્રણ કરવી મુશ્કેલ બની રહી છે. ટ્રેડોસના જણાવ્યા પ્રમાણે, ઇતિહાસ સાક્ષી રહ્યો છે, કે આ કોઈ છેલ્લી મહામારી નથી. આ જીવનનું સત્ય છે અને તેનો અંત નથી…
કવિ: Satya Day News
બિહારના ગયામાં ભગવાન વિષ્ણુના પગના નિશાન ઉપર મંદિર બનેલું છે. જેને વિષ્ણુપદ મંદિર કહેવામાં આવે છે. તેને ધર્મ શિલાના નામે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, પિતૃઓના તર્પણ પછી ભગવાન વિષ્ણુના પગના નિશાનના દર્શન કરવાથી દુઃખ દૂર થાય છે અને પિતૃઓ સંતુષ્ટ થાય છે. આ પદચિહ્નોનો શ્રૃંગાર લાલ ચંદનથી કરવામાં આવે છે. તેના ઉપર ગદા, ચક્ર, શંખ બનાવવામાં આવે છે. આ પરંપરા મંદિરમાં અનેક વર્ષોથી ચાલી રહી છે. આ મંદિર ફલ્ગુ નદીના પશ્ચિમ કિનારા ઉપર આવેલું છે. થોડાં ગ્રંથો પ્રમાણે રાક્ષસ ગયાસુરને ધરતી ઉપર સ્થિર કરવા માટે ધર્મપુરીથી ધર્મવત્તા શિલા લાવવામાં આવી હતી. જેને ગયાસુર ઉપર રાખીને…
અત્યારે સમગ્ર દેશ દુનિયામાં કોરોના કેર જોવા મળી રહ્યો છે. જોકે કેળાની ખેતી કરતા ખેડૂતોને કોરોના કરતા પણ વધારે અન્ય એક રોગનો ડર લાગે છે. કારણ કે આ રોગ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવવાની સાથે તેમને આર્થિક રીતે બરબાદ પણ કરી રહ્યો છે. કેળના છોડને આ રોગ ભરડામાં લેતાની સાથે ઉભા છોડ સુકાઈ જાય છે. શિકાટોકા આ નામનો રોગ આજકાલ બોડેલી તાલુકાના ખેડૂતોને કોરોના કરતા પણ વધારે ડરાવે છે.કારણ કે આ શિકાટોકા રોગ ખેડૂતના ખેતરમાં કેળના ઉભા છોડ સુકવી નાંખે છે. સરકાર ખેડૂતોને બાગાયતી ખેતી તરફ વાળવા પ્રોત્સાહન આપે છે બાગાયતી ખેતી કરતા ખેડૂતોને સબસીડી પણ આપે છે. સરકારના પ્રયાસોથી…
સામાન્ય રીતે યુવતીઓ લગ્ન બાગ સાસરે જતી રહેતી હોય છે અને પોતાનુ બાકીનું જીવન ત્યાં જ પસાર કરે છે. પરંતુ આપણા દેશમાં એક જગ્યા એવી પણ છે જ્યાં લગ્ન બદ યુવતીઓ સાસરે નથી જતી પરંતુ જમાઈ જ યુવતીના ઘરે આવીને રહે છે. ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાં સ્થિત આ ગામનું નામ હિંગુલપુર છે. હિંગુલપુરને જમાઈઓનાં ગામની રીતે પણ ઓળખવામાં આવે છે. દિકરીને બચાવવા અનોખી રીત એવો પણ સમય હતો જ્યારે હિંગુલપુર ગામ કન્યા ભ્રુણ હત્યા અને દહેજ હત્યામાં ખૂબ આગળ હતું પરંતુ આજના સમયમાં આ ગામે પોતાની દિકરીઓને બચાવવા માટે અનોખી રીત અપનાવી છે. દર્શકો પહેલા ગામના વૃદ્ધોએ યુવતીઓને લગ્ન બાદ…
એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ (SBI Mutual Fund)એ એક એવો ઈન્વેસ્ટમેન્ટ પ્લાન લોન્ચ કર્યો છે, જેમાં રોકાણ કર્યા બાદ તમે બાળકોના એજ્યુકેશનથી લઈને લગ્ન સુધીની ચિંતાથી મુક્ત થઈ શકો છો. આ ઈન્વેસ્ટમેન્ટ પ્લાનને સબ્સક્રિપ્શન માટે 8 સપ્ટેમ્બરે ખોલવામાં આવશે અને 22 સપ્ટેમ્બરે બંધ કરી દેવામાં આવશે. એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંજને 7 સપ્ટેમ્બરે ‘અસબીઆઈ મેગ્નમ ચિલ્ડ્રન્સ બેનિફિટ ફંડ ઈન્વેસ્ટમેન્ટ ઓપ્શન’ (SBI Magnum Children’s Benefit Fund-Investment Option) લોન્ચ કરી દીધો છે. આ ફંડમાં કરવામાં આવેલા રોકાણ પર 5 વર્ષના લાંબા સમયમાં 12 ટકાથી વધુનું રિટર્ન આપવામાં આવવાની આશા છે. તમારા પૈસાના 100% ભાગને ઈટીએફમાં કરવામાં આવી શકે છે ઈનવેસ્ટ ચિલ્ડ્રન્સ બેનેફિટ ફંડ Open Ended Fund…
દેશ અને વિદેશમાં ઘણા વિચિત્ર પ્રાણી ઓ જોવા મળતા હોય છે. સામાન્ય લોકો તેમના વિશે જાણીને આશ્ચર્યચકિત થઈ જતા હોય છે. અત્યાર સુધી તમે રીંછને જમીન પર ચાલતા જોયું હશે, પરંતુ આજે અમે તમને પાણી માં રહતા રીંછ વિશે જણાવી રહ્યા છીએ. તમે વાંચીને જરૂર આશ્ચર્ય થઈ રહ્યું હશે? આ કંઈ નથી, હવે અમે તમને તેનાથી સંબંધિત આવા રોચક તથ્યો જણાવીશું કે તમે અચંબિત થઈ જશો. પોતાને કોઈપણ પ્રકારના વાતાવરણને અનુરૂપ થઈ જીવી જાય અત્યાર સુધીમાં, આપણે ઘણાં રીંછને જમીન પર રહેતા અને ચાલતા જોયા છે, પરંતુ ‘જળ રીંછ’ આપણી પ્રકૃતિમાં જોવા મળી રહ્યા છે. આ રીંછ પાણીમાં રહે છે…
ઘરમાં જો ભૂલે ચુકે પણ સાપ દેખાય જાય તો, બહાર નાઠવામાં જ ભલાઈ છે. હાલમાં વરસાદની સિઝનમાં કેટલીય જગ્યાએ ઝેરીલા સાંપ અને કોબરા સહિતના જીવજંતુઓ આપણને જોવા મળતા હોય છે. ઘણી વખત તો આ જીવજંતુઓથી મોત થયાની ખબરો પણ આવતી હોય છે. જો કે, એક ગામ એવુ પણ છે, જ્યાં નાના બાળકો પણ કોબરા, સાપ, નાગ જેવા જીવજંતુઓ સાથે રમત રમતા હોય છે. હકીકતમાં જોઈએ તો, આ સમુદાયના લોકોમાં સંસ્કૃતિ, પરંપરા અને આજીવિકામાં સાપનું મોટુ મહત્વ હોય છે. એના માટે જ નાનપણથી તેના હાથમાં સાપ આપી દેવામાં આવે છે, જેથી તે એકબીજાના જીવન સાથે તાલમેળ મેળવી શકે.છત્તીસગઢમાં જિલ્લા મથકથી 40…
ફ્રાન્સના ડીજોન શહેરમાં રહેતા 57 વર્ષીય અલાઇન કોક તેમની અસાધ્ય બીમારીથી પરેશાન છે. બીમારીની સારવારના અભાવે તેમણે રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મૈક્રોં સમક્ષ ઇચ્છામૃત્યુની માગ કરી. જોકે, રાષ્ટ્રપ્રમુખે કોકની માગ ફગાવી દીધી. તેના પગલે કોકે હવે ખાવા-પીવાનું છોડી દીધું છે. સાથે જ શનિવારે સવારથી ફેસબુક પર પોતાના મોતનું લાઇવ સ્ટ્રીમિંગ પણ શરૂ કરી દીધું છે. કોકે કહ્યું, હું એક અઠવાડિયાથી વધારે નહીં જીવી શકું. સમય વીતી રહ્યો છે તેમ-તેમ મને બેચેની થઇ રહી છે. કોકે મૈક્રોં સમક્ષ ઇચ્છામૃત્યુની માગ કરતા લખ્યું હતું કે, હું એવી બીમારીથી પીડાઉં છું કે જેની સારવાર થઇ શકે તેમ નથી. મારી અસહ્ય પીડાને શાંત કરવા માટે કોઇ…
અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટના દક્ષિણ ભાગમાં ભીષણ ગરમીથી લોકો તોબા પોકારી ગયા છે. નેશનલ વેધર સર્વિસના જણાવ્યા મુજબ, રાજ્યના 6 ભાગમાં તાપમાનનો રેકોર્ડ તૂટ્યો છે. લોસ એન્જેલ્સના વુડલેન્ડ હિલ્સમાં સૌથી વધુ 47 ડિગ્રી તાપમાન રહ્યું, જે આખા રાજ્યમાં સપ્ટેમ્બરમાં અત્યાર સુધીનું મહત્તમ તાપમાન છે. બરબંકમાં તાપમાન 45.5 ડિગ્રી રહ્યું. વાન ન્યુસમાં રેકોર્ડ 46.6 ડિગ્રી અને પામડલેમાં 44 ડિગ્રી તાપમાન રહ્યું. ન્યુસનો અગાઉનો રેકોર્ડ 2017નો છે. ત્યારે ત્યાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે પામડલેમાં 1996માં રેકોર્ડ 43 ડિગ્રી તાપમાન રહ્યું હતું. હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે આ ક્ષેત્રોમાં ચેતવણી જારી કરતા કહ્યું છે કે અહીં તાપમાન 49 ડિગ્રી સુધી પહોંચી…
18 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહેલાં અધિક માસમાં 15 દિવસ શુભ યોગ રહેશે. શુક્રવાર, ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર અને શુક્લ યોગમાં શરૂ થઇ રહેલાં અધિક માસના છેલ્લાં દિવસે 17 ઓક્ટોબર સુધી ખાસ મુહૂર્ત અને યોગ બની રહ્યા છે. અધિક માસ દરમિયાન સર્વાર્થસિદ્ધિ યોગ 9 દિવસ, દ્વિપુષ્કર યોગ 2 દિવસ, અમૃતસિદ્ધિ યોગ 1 દિવસ અને પુષ્પ નક્ષત્ર 2 દિવસ સુધી રહેશે. પુષ્ય નક્ષત્ર પણ રવિ અને સોમ પુષ્ય રહેશે. અધિક માસમાં ઉપવાસ, પૂજા-પાઠ, ધ્યાન, ભજન, કીર્તન, મનનને પોતાની જીવનચર્યા બનાવે છે. પૌરાણિક સિદ્ધાંતો પ્રમાણે આ મહિના દરમિયાન યજ્ઞ-હવન સિવાય શ્રીમદ દેવીભાગવત, શ્રી ભાગવત પુરાણ, શ્રી વિષ્ણુ પુરાણ, ભવિષ્યોત્તર પુરાણ વગેરેને સાંભળવા, વાંચવા કે મનન…