કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

વલસાડ શહેર માં લોકડાઉન સ્થિતિ થી રોડ પર રહેતા ભિક્ષુકો અને ગરીબ પરિવારો દુકાનો અને મંદિરો બંધ હોવાથી ભૂખ્યા રહેવાનો વારો આવતા આ વાત વલસાડ પોલીસ ના ધ્યાને આવતા વલસાડ સિટી પોલીસ મથક ના પીઆઈ ભટ્ટ અને તેમની ટીમે શહેર માં ભૂખ્યા લોકો ને ભોજન પૂરું પાડી માનવતા મહેકાવી હતી.તેઓ સાથે પત્રકારો પણ જોડાયા હતા અને વલસાડ માં હંમેશા સેવા માટે આગળ રહેવા જાણીતા બનેલા સિનિયર પત્રકાર ઉત્પલ ભાઈ દેસાઈ પણ સેવાકાર્ય માં જોડાયા હતા અને શહેર માં રખડતા ગરીબ ભિક્ષુકોને સેનેટાઈઝર થી હાથ વોશ કરાવી ભોજનની વ્યવસ્થા તેમજ પાણીની બોટલો આપી રહી છે વલસાડના પીઆઈ ભટ્ટ ના જણાવ્યા અનુસાર…

Read More

વડાપ્રધાન શ્રી એ કોરોના વાયરસની પ્રવર્તમાન પરિસ્થિતીમાં સમગ્ર દેશમાં 21 દિવસના જાહેર કરેલા લોકડાઉનના પગલે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં શ્રમજીવી વર્ગો અને રોજનું કમાઇને રોજ ખાનારા અને જીવનનિર્વાહ કરનારા પરિવારો પ્રત્યે સંવેદના દાખવી એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આવા કારીગરો, ગરીબ, શ્રમજીવીઓના કુલ 60 લાખ જેટલા પરિવારોના 3.25 કરોડ લોકોને આ લોકડાઉન દરમિયાન ખાવા-પીવાની ચીજવસ્તુ અને અનાજની કોઇ તકલીફ ન પડે તે માટે આ રેશનકાર્ડ ધારક પરિવારોને 1 એપ્રિલથી એક મહિના માટે સમગ્ર રાજ્યની સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન પરથી વ્યકિત દીઠ 3.50 કિલો ઘઉં, વ્યકિત દીઠ 1.50 કિલો ચોખા અને કુટુંબ દીઠ 1 કિલો ખાંડ, 1 કિલો દાળ અને…

Read More

દેશના તમામ એરપોર્ટ અલર્ટ પર છે. જરૂરી ન હોય તો લોકોને મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે. તેમ છતાં કોઈ કારણોસર તમારે મુસાફરી કરવાનું થઈ શકે છે. ફ્લાઇટ દ્વારા મુસાફરી કરતા લોકોએ આ સમય દરમિયાન વધુ ધ્યાન રાખવાની જરૂર છે. જો કે, ઘણી એરલાઈન્સનું કહેવું છે કે, તેઓ તેમની ફ્લાઈટ્સને સંપૂર્ણ રીતે સેનિટાઈઝ કરી રહ્યા છે, જેથી મુસાફરોને સંક્રમણથી દૂર રાખી શકાય. તેમ છતાં એરપોર્ટ પર કે ફ્લાઈટમાં કોરોના વાઈરસથી બચવા માટે અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. 1: નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, એરપોર્ટ પર પહોંચતા પહેલા તમારે હેન્ડ સેનિટાઇઝર, ટીશ્યુ અને કેટલીક દવાઓ તમારા સામાનમાં રાખવી જોઈએ. તે ઉપરાંત, એકવાર…

Read More

આજથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઇ ગઇ છે. ઇતિહાસમાં પહેલીવાર દેશમાં જમ્મૂના વૈષ્ણોદેવીથી મદુરાઈના મીનાક્ષી મંદિર સુધી બધા જ માતાના મંદિર નવરાત્રિમાં ભક્તો માટે બંધ રહેશે. મંદિરમાં નવરાત્રિની બધી વિધિઓ અને પૂજન તો થશે, પરંતુ તેમના દર્શન કરવા માટે કોઇ હશે નહીં. કોરોનાવાઇરસના કારણે દેશના બધા મંદિર આ સમયે સામાન્ય લોકો માટે બંધ છે, માત્ર પૂજારીઓને જ મંદિરમાં પ્રવેશ છે. ચૈત્ર નવરાત્રિમાં લોકો મંદિરે જઇ શકશે નહીં કે મંદિરના કોઇ આયોજનમાં ભાગ લઇ શકશે નહીં. મોટાભાગના મંદિરોમાં ભક્તો માટે યૂ-ટ્યૂબ ચેનલ અને મંદિરની વેબસાઇટ પર લાઇવ સ્ટ્રીમિંગની વ્યવસ્થા કરી છે. તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાન ટ્રસ્ટે પણ 9 દિવસ રામ જન્મ અને લગ્ન…

Read More

કોરોના વાયરસ ની ઝડપ વધતા આખું વિશ્વ ઘરમાં લોકડાઉન થઈ ગયું છે ત્યારે ભારત માં પણ 21 દિવસ સુધી લોકડાઉન ના આદેશ કરી દેવાયા છે જેને પગલે ગુજરાત માં પણ તમામ જગ્યાએ પોલીસ લોકડાઉન નો કડક અમલ કરવી રહી છે ત્યારે વલસાડ શહેર માં પણ પોલીસ કર્મચારીઓ રાત દિવસ ખડેપગે સેવા આપી રહ્યા છે જોકે, જીવન જરૂરિયાત ની ચીજ વસ્તુઓ માટે લોકો ઘર બહાર ઈમરજન્સી માં નીકળી રહ્યા છે તેવા લોકો ની સ્થિતિ જાણી ને ગેસ ના બાટલા , દવાઓ અને ખાદ્ય વસ્તુઓ માટે થોડી છૂટ સિવાય લોકડાઉન ની સ્થિતિ જાળવી રાખી લોકો ને પોતાના હિત માટે બહાર નહિ નીકળવા…

Read More

કોરોના ની ભયાનક સ્થિતિ સામે લડવા દેશ ના પ્રધાનમંત્રી દ્વારા ગઈકાલે રાતે સમગ્ર દેશ ને 21 દિવસ માટે લોકડાઉન કરવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે અમદાવાદ શહેર માં વસતા સ્લમ વિસ્તાર માં જે લોકો રોજ કમાઈ ને રોજ ખાતા પરિવારો ની હાલત દયનિય બની છે ત્યારે આવા ભૂખ્યા ને ભોજન ની વ્યવસ્થા કરવા સેવાભાવી મંડળો , સંસ્થાઓ આગળ આવી છે અને આવા જરૂયાત મંદો ને ભોજન પુરુ પાડી રહ્યા છે. આજરોજ અમદાવાદ શહેર માં નરેન્દ્રમોદી વિચારમંચ ના અમદાવાદ અધ્યક્ષ પંકજ પીતળિયા દ્વારા સ્લમ વિસ્તાર માં જઈ ને જરૂરિયાતમંદો ને વિનામૂલ્યે ખીચડી કઢી નું વિતરણ કરવામાં આવ્યું હતું અને જનતાની સુરક્ષા…

Read More

કોરોના વાયરસ વિરૂદ્ધ શરૂ કરવામાં આવેલા 21 દિવસના લોકડાઉનના પહેલા જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું છે. જેમાં વડાપ્રધાને જણાવ્યું છે કે, આજથી શરૂ થઈ રહેલી નવરાત્રી પર તેઓ કોરોના વિરૂદ્ધ યુદ્ધ લડી રહેલા લોકોનું સ્વાસ્થ્ય સારૂ રહે તે માટે પ્રાર્થના કરીશું. વડાપ્રધાન મોદીએ મેડિકલ સ્ટાફ, પોલીસ, મીડિયા વગેરેના નામ લીધા હતાં. સાથે જ તેમણે કહ્યું હતું કે, દેશભરમાં હાલના સમયમાં અનેક તહેવાર ઉજવવામાં આવનાર હતાં, તેમનું સેલિબ્રેશન તેવી રીતે નહીં થાય પણ આ તહેવાર આપણને આ સંકટમાંથી બહાર નિકળવાનો હિંમત બંધાવશે. પીએમ મોદીએ રાષ્ટ્રના નામે સંબોધન કર્યા બાદ આજે ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આજથી…

Read More

યુ.એસ. કોરોનાવાયરસ સામેની તેની લડતમાં નિર્ણાયક તંગીને પહોંચી વળવા તબીબી પુરવઠો મેળવવામાં મદદ માટે તેના સાથીઓને અપીલ કરી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના જાહેર રેટરિકમાં કટોકટી અંગે સ્થાનિક ખાનગી ક્ષેત્રના પ્રતિભાવની વાત કરી રહ્યા છે. ટ્રમ્પે મંગળવારે સાંજે વ્હાઇટ હાઉસના બ્રીફિંગમાં કહ્યું હતું કે, આપણે આપણા પોતાના અસ્તિત્વના સાધન માટે ક્યારેય વિદેશી દેશ પર નિર્ભર ન થવું જોઈએ. “અમેરિકા કદી વિનયી રાષ્ટ્ર નહીં બને.” જો કે પડદા પાછળ, વહીવટીતંત્ર યુરોપિયન અને એશિયન ભાગીદારોનો સંપર્ક કરવા માટે પરીક્ષણ કીટ અને અન્ય તબીબી ઉપકરણો કે જે યુ.એસ. માં તેની અછત છે તે સુરક્ષિત કરે છે.

Read More

રશિયાના કુરિલ આઇલેન્ડ પર બુધવારે 7.5 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. જાનહાનિના કોઈ સમાચાર નથી. પેસિફિક સુનામી ચેતવણી કેન્દ્રએ શરૂઆતમાં કહ્યું હતું કે, ભૂકંપના કેન્દ્રના 1000 કિલોમીટરની અંદર જોખમી સુનામીના વાઇબ્રેશન શક્ય છે. તે કહે છે કે ભૂતકાળમાં સુનામીનું કારણ ભૂકંપનું કેન્દ્ર હતું પરંતુ પાછળથી એવું કહેવામાં આવ્યું છે કે “આ ભૂકંપથી માત્ર ખૂબ જ નાના સુનામી વાઇબ્રેશન પેદા થયા હતા અને આગળ કોઈ ખતરો નથી.” હવાઇ, જાપાન, રશિયા અને મિડવેના ટાપુઓ, ઉત્તરીય મરિયાના અને વેક આઇલેન્ડના જોખમો વિશે કેન્દ્ર સરકારે પોતાની સલાહકારમાં જણાવ્યું હતું કે, સુનામી મોજાં ભરતીના સ્તરથી 0.3 મીટર કરતા ઓછીની આગાહી કરે છે. જાપાનના હવામાન શાખાના અધિકારીઓએ…

Read More

કોરોનાવાયરસ ફાટી નીકળવાના કારણે 85 દેશોમાં 3,345 લોકો મૃત્યુ પામ્યા છે. એકલા ચીનમાં, કોવિડ -19 ના 80,000 થી વધુ કેસની પુષ્ટિ થઈ છે. આ વૈશ્વિક ફાટી નીકળવાની વચ્ચે, કોરોનાવાયરસનું કેન્દ્ર, વુહાનનો હૃદયસ્પર્શી ફોટો ઇન્ટરનેટ પર સામે આવ્યો છે. આ તસવીરમાં એક 87 વર્ષિય દર્દી હોસ્પિટલની બહાર તેના ડોક્ટરની સાથે સૂર્યાસ્ત જોવાનું બતાવે છે. ડોક્ટર દર્દીને સીટી સ્કેન માટે લઈ જતો હતો ત્યારે તેણે વૃદ્ધ વ્યક્તિને પૂછ્યું કે શું તે સૂર્યાસ્તને રોકવા માંગે છે. દર્દીએ હા પાડી અને પછી બંનેએ તે ક્ષણનો આનંદ માણ્યો.

Read More