બ્રિટનમાં ચાકૂબાજીના મોટા સમાચાર સામે આવ્યા છે. યુકે પોલીસે આ સમગ્ર ઘટના અંગે બાતમી આપી હતી કે બર્મિંગહામમાં અનેક લોકોની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે કેટલાક લોકોને ઈજા થવાનાં સમાચાર પ્રાપ્ત થયા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. પોલીસે ઇજાગ્રસ્તોની સ્થિતિ અને સંખ્યા વિશે કંઇ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. આ કેસમાં વધુ માહિતીની રાહ જોવાઇ રહી છે. પોલીસે ઇજાગ્રસ્તોની સ્થિતિ અને સંખ્યા વિશે કંઇ પણ કહેવાનો ઇનકાર કર્યો બ્રિટિશ પોલીસના જણાવ્યા અનુસાર બર્મિંગહામમાં એક વ્યક્તિએ અનેક લોકોને ચાકુ માર્યા છે. આ ઘટના બર્મિંગહામ સિટી સેન્ટરની છે. બ્રિટિશ પોલીસે મોટી ઘટના…
કવિ: Satya Day News
ઝારખંડના એક યુવાન પોતાની ગર્ભવતી પત્નીને પરીક્ષાના કેન્દ્ર સુધી લઇ જવા 1200 કિમી દૂર ગ્વાલિયર ગયો હતો.વાત ધનંજય કુમારની છે જેણે 1200 કીમીની લાંબી મુસાફરી કરીને ગર્ભવતી પત્નીને પરીક્ષા અપાવવા મધ્ય પ્રદેશના ગ્વાલિયર લઇ ગયો હતો. 27 વર્ષના પતિ અને 22 વર્ષની પત્ની સોની ગ્વાલિયર પહોંચ્યા ત્યારે તેમની ખુશીનો પાર ન હતો. સાથ આપવાના સાહસના કારણે 1200કિમીની મુસાફરી શક્ય બની સોનીએ ગ્વાલિયરમાં ડિપ્લોમા ઇન એજ્યુક્શનની પરીક્ષા આપી હતી.ધનંજય ઝારખંડના ગોડ્ડા જિલ્લાના ગંટા ગામનો રહેવાસી છે અને પરીક્ષાનું કેન્દ્ર મધ્ય પ્રદેશમાં હતું. પરંતુ પત્નીની પરીક્ષા આપવાની ચાહ અને પતિનો તેને સાથ આપવાના સાહસના કારણે આ કઠણ મુસાફરી શક્ય બની હતી.ધંનજયની ઇચ્છા…
શ્રાદ્ધનો મતલબ શ્રદ્ધા પૂર્વક પોતાના પિતૃઓને પ્રસન્ન કરવા છે. સનાતન માન્યતાઓ અનુસાર પરિવારના લોકો જે પોતાનો દેહ ત્યાગ કરીને જતા રહ્યા છે, તેમની આત્માની તૃપ્તિ અનુસાર સાચ્ચી શ્રદ્ધાની સાથે જે તર્પણ કરવામાં આવે છે તેને શ્રાદ્ધા કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે મૃત્યુના દેવતા યમરાજ શ્રાદ્ધપક્ષમાં જીવને મુક્ત કરે છે જેથી તે પરિવારજનોના ત્યાં જઈને તર્પણ ગ્રહણ કરી શકે. કોને કહેવામાં આવે છે પિતૃઓ? જે કોઈના પરિવારના લોકો જે વિવાહિત હોય કે અવિવાહિત હોય, બાળક હોય કે વૃદ્ધ હોય સ્ત્રી હોય કે પુરુષ હોય તેમની મૃત્યુ થઈ ચુકી છે તેમને પિતૃ કહેવામાં આવે છે. પિતૃપક્ષમાં પિતૃઓની આત્માની શાંતિ માટે…
દેવવાણી સંસ્કૃતને ભાષાઓની જનની કહેવામાં આવે છે. બદલાતા પરિવેશની સાથે સાથે સંસ્કૃતની ઓળખાણ સમેટાતી ગઈ. ત્યારે હવે સંવિધાનની આઠમી અનૂસૂચિમાં નોંધાયેલી 22 ભાષાઓમાં તેની ઓળખાણ સૌથી ઓછી બોલાતી ભાષાઓના રૂપમાં થાય છે. સંસ્કૃત ભાષાને બોલચાલની ભાષામાં સામેલ કરવા માટે મહાદેવ નગરી કાશીમાં એક વકીલ છેલ્લા 42 વર્ષથી અનોખી મુહિમ ચલાવી રહ્યા છે. 1978થી સંસ્કૃતની મુહિમ ચાલુ કરી છે ! વારાણસીના આચાર્ય શ્યામ ઉપાધ્યાય કદાચ દેશના એક માત્ર એવા વકીલ હશે, જે કોર્ટમાં તમામ કામકાજ સંસ્કૃત ભાષામાં કરે છે. એ સિલસિલો લગભગ 1978થી ચાલુ છે. પત્ર લખવાથી લઈને કોર્ટના જજની સામે પણ દલીલો સંસ્કૃતમાં જ કરે છે. કચેરીમાં તમામ કામ સંસ્કૃતમાં…
કોરોના વાયરસ માટે સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી હોવાનું કહેવાય છે. આવી સ્થિતિમાં યુગલોના મનમાં અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. જીવનસાથી સાથેની નિકટતા અંગે લોકો ગભરાવા માંડ્યા છે. પરંતુ કેનેડાના ટોચના ડોક્ટરએ ચેપના આ તબક્કામાં લવ મેકિંગ અંગે કેટલાક સૂચનો આપ્યા છે. ડોક્ટર કહે છે કે આ વાતાવરણમાં પણ થોડી સાવચેતી રાખવી જીવનસાથીની નજીક જઈ શકાય છે. શું ટાળવું કેનેડાના ચીફ મેડિકલ ઓફિસર, ડોક્ટર ટેમ થેરેસાએ રોઇટર્સને જણાવ્યું છે કે કોરોના કાળ દરમિયાન પાર્ટનરે કેવા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ. તેણે કહ્યું કે સેક્સ દરમિયાન ચહેરા પર માસ્ક લગાવવાથી કોરોના વાયરસનું જોખમ ઓછું થાય છે. ડોક્ટર કહે છે કે લવ મેકિંગ…
1 નવેમ્બરથી યુનાઇટેડ સ્ટેટ્સમાં કોરોના રસી વિતરણ કરવાની તૈયારી ચાલી રહી છે. અમેરિકન સરકારે તમામ રાજ્યોને આ માટે તૈયાર રહેવા કહ્યું છે. રોગ નિયંત્રણ અને નિવારણ માટેના યુ.એસ. કેન્દ્રોના ડિરેક્ટર રોબર્ટ રેડફિલ્ડે રાજ્યપાલોને 27 ઓગસ્ટે એક પત્ર મોકલ્યો હતો. નજીકના ભવિષ્યમાં મેકકેસન કોર્પ પાસેથી પરવાનગી મેળવશે. આરોગ્ય વિભાગ અને હોસ્પિટલો સહિત અન્ય સ્થળોએ રસી વિતરણ માટે સીડીસી સાથે હાથ મિલાવ્યા છે. સીડીસીએ યોજનાની માહિતી સાથે તમામ 50 રાજ્યો અને પાંચ મોટા શહેરોના અધિકારીઓનો સંપર્ક કર્યો છે. અધિકારીઓને કહેવામાં આવ્યું હતું કે આ રસી આરોગ્ય કર્મચારીઓ, રાષ્ટ્રીય સુરક્ષા કર્મચારીઓ અને નર્સિંગ હોમના રહેવાસીઓ અને કર્મચારીઓ સહિત ઉચ્ચ જોખમ ધરાવતા જૂથોને વિના…
સુરત ના પાંડેસરા ગુ.હા. બોર્ડ વિસ્તારમાંથી રહસ્યમય સંજોગોમાં ગુમ થયા બાદ 10થી 12 કલાકની શોધખોળ બાદ પરવટ પાટિયા વિસ્તારમાંથી મળી આવનાર 7 વર્ષની તરૂણીના નિવેદનના આધારે પોલીસે તેના પિતા વિરૂધ્ધ માર મારવા ઉપરાંત જુવેનાઇલ જસ્ટીસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાંડેસરા ગુ.હા. બોર્ડ નજીક જલારામ નગરમાં રહેતા શ્રમજીવી દગળુ સુખદેવ રણશીંગે (મૂળ રહે. ઇન્દ્રાનગર, નાગપુર, મહારાષ્ટ્ર) ની 7 વર્ષીય પુત્રી માયા બે દિવસ અગાઉ રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ ગઇ હતી. મારા પિતાજી મને કોઇ પણ વાંક ગુના વગર માર મારે છે અને ઘરમાં પુરી રાખે છે માસુમ સાથે કોઇ અઘટિત ઘટના નહીં ઘટે તે માટે આ…
દેશની સૌથી મોટી સરકારી બેન્ક એસબીઆઈએ પોતાના ગ્રાહકોના હિતમાં મોટો નિર્ણય કર્યો છે. તેના દ્વારા અવે દર મહિને ગ્રાહકોની EMIમાં બચત થશે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI-State Bank of India) એ પોતાના ગ્રાહકો માટે મોટુ એલાન કર્યુ છે. બેન્કે લોનની પ્રમુખ દર એમસીએલઆર-માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ (MCLR-Marginal Cost of Funds based Lending Rate) ને લઈને મોટો નિર્ણય કર્યો છે. બેન્કે પોતાના ટ્વીટમાં કહ્યું છે કે વ્યાજમાં કપાતનો ફાયદો એક વર્ષ સુધી રાહ જોયા વગર ઉઠવો. એસબીઆઈએ MCLR રિસેટ ફ્રિક્વેન્સીને 1 વર્ષમાંથી ઘટાડીને છ મહિના કરી દીધી છે. દેવાદારોને ઘટતા વ્યાજ દરનો ફાયદો લેવા માટે એક વર્ષ સુધી રાહ જોવાની…
બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે વિધાનસભાની ચૂંટણી પહેલા ચૂંટણી લક્ષી જાહેરાતો કરીને પ્રજા પર આર્થિક ભારણ વધારી રહ્યાં છે. તેઓએ એક મોટું દલિત કાર્ડ રમ્યું છે. અનુસૂચિત જનજાતિની હત્યાના કિસ્સામાં તેના પરિવારના કોઈ એક જ સભ્યને સરકારી નોકરી આપવામાં આવે. નીતિશ કુમારે અનુસૂચિત જાતિ-જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ હેઠળ તકેદારી બેઠક મળી તેમાં આદેશ અપાયો છે. સીએમ નીતીશે અધિકારીઓને કહ્યું કે આ માટે તત્કાળ નિયમો બનાવવામાં આવે, જેથી પીડિત પરિવારને લાભ મળી શકે.બિહાર વિધાનસભાની ચૂંટણીની ઘોષણા પૂર્વે મુખ્યમંત્રી નીતીશ કુમારે આ નિર્ણય મત મળે તેવી ગણતરીથી લીધો છે. ખરેખર, બિહારનું રાજકારણ જ્ઞાતિના ડેટાના આધારે નક્કી કરવામાં આવે છે. આંકડાઓની વાત કરીએ…
આજે 5 સપ્ટેમ્બર દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજ્યંતિ. આજના દિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે અને આપણા જીવનમાં તમામ શિક્ષકોને શુભેચ્છા પાઠવવામાં આવે છે. એક શ્રેષ્ટ રાષ્ટ્રના નિર્માણમાં શિક્ષકનો ફાળો અમૂલ્ય હોય છે. ત્યારે શિક્ષકનું સન્માન કરો તેટલું ઓછું છે. ત્યારે, દરવર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યસરકાર દ્વારા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આજે શિક્ષક દિવસ પર ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું. ગાંધીનગર ખાતે પારિતોષિક વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું. જેમાં રાજ્યપાલ અને શિક્ષણ મંત્રીએ 44 શિક્ષકોનું સન્માન કર્યું હતું. અને આ પ્રસંગે શિક્ષણ મંત્રીએ સૌ કોઈને શિક્ષકદિનની શુભકામના પાઠવી હતી.અને જણાવ્યું કે હવે નવી શિક્ષણ…