હિંદુ કેલેન્ડર પ્રમાણે ભાદરવા મહિનાના સુદ પક્ષની આઠમ તિથિએ દેવી રાધાનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે. આ દિવસે રાધાષ્ટમી પર્વ ઉજવાય છે. આ પર્વ ભગવાન કૃષ્ણના જન્મના 15 દિવસ પછી આવે છે. આ વર્ષે આ પર્વ 26 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. રાધાષ્ટમીએ મથુરા જિલ્લાના બરસાના ગામમાં રાધાજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. બરસાનામાં એક પહાડ ઉપર રાધાજીનું સુંદર મંદિર છે. જેને રાધારાણી મહેલ પણ કહેવામાં આવે છે. રાધાષ્ટમીના દિવસે રાધાજીના મંદિરને ફૂલ અને ફળથી સજાવવામાં આવે છે. ભક્ત મંગળ ગીત ગાય છે અને એકબીજાને વધામણી આપે છે. બરસાના રાધાજીનું જન્મ સ્થળ તરીકે પ્રસિદ્ધ છે. આ એક પહાડીની નીચે આવેલું છે. ગ્રંથોમાં…
કવિ: Satya Day News
પરણિત યુગલોમાં ઝઘડો થવો સામાન્ય છે, પરંતુ કેટલીકવાર નાની નાની બાબતો મોટી થઈ જાય છે. કેટલીકવાર તે એટલું ખરાબ થઈ જાય છે કે સંબંધોને સમાપ્ત કરવાનો આ સમય આવી જાય છે. પાર્ટનર એ એકબીજાથી કંઇપણ છુપાવવું જોઈએ નહીં, પરંતુ કેટલીકવાર સંબંધો તૂટવાના ડરને કારણે કેટલીક વસ્તુઓ છુપાવવી વધુ સારી રહે છે. ચાલો અમને તે રહસ્યો વિશે જણાવીએ કે તમારા જીવનસાથીને સામે ન કહેવું જ યોગ્ય ગણાશે. ગુસ્સામાં તેને ક્યારેય સેલ્ફિસ ના કહો કેટલીકવાર તમારા પાર્ટનર તેના વ્યસ્ત શેડ્યૂલને કારણે તમને એટલો સમય આપી શકતા નથી અને જ્યારે તે તમારી નજીક આવવાનો પ્રયત્ન કરે છે, ત્યારે તમે તેને સેલ્ફીસ માનવાની ભૂલ…
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ ને કારણે ધરોઈ ડેમમાં પાણી છોડવામાં આવનારું છે જેના પગલે એલિસબ્રીજ, પાલડી અને વાસણા વિસ્તારના રહેવાસીઓને એલર્ટ રહેવું તેવો એક ખોટો મેસેજ સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે. એલિસબ્રીજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ શાહે રૂબરૂ આ વિષય પર સંબંધિત અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી છે અને આવી કોઈપણ ચિંતાજનક પરિસ્થિતિ નહીં હોવાનું જણાવ્યું છે.
અમરેલીમાં સારા પ્રમાણમાં મેઘમેહેર રહેતા ઠેબી ડેમના બે દરવાજા 1-1 ફુટ ખોલવામાં આવ્યા છે. જેને પગલે નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. બગસરાનો મુંજીયાસર ડેમ પણ 100 ટકા ભરાય ગયો છે. અવિરત પડી રહેલા વરસાદને પગલે મોટા ભાગના જળાશયોમાં પાણીની આવક વધી છે.તો દીવના દરિયામાં ગઈકાલે મોડી રાત્રે નવસારીની પાર્વતી દેવી નામની બોટમાં પાણી ભરાતા જળસમાધિ લીધી હતી. જોકે અન્ય 9 ખલાસીઓનો સ્થાનિક 3 બોટો દ્રારા બચાવવામાં સફળતા મળી હતી. સૌરાષ્ટ્રમા છેલ્લા પાંચ દિવસથી અનરાધાર વરસાદ સાથે ભારે પવન ફુંકાઇ રહ્યો છે. બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયુ છે. માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના અપાઇ હતી. વીતી મોડી રાત્રીના…
કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં કોહરામ મચાવ્યો છે અને લોકો ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થતા ડરના માહોલમાં છે કે, તેમને ક્યાંક કોરોના ન થઈ જાય. ત્યારે જાપાન પણ કોરોનાથી છૂટી શક્યો નથી, પરંતુ હવે ત્યાં લોકોના મનમાં આ મહામારીનો ડર કાઢવા માટે એક ગૃપે અજીબ પ્રકારની રીત અપનાવી છે.જણાવી દઈએ કે, એક જાપાની ગૃપે લોકોના મનમાંથી આ ડર કાઢવા માટે તેમને મૃતદેહની શબપેટીમાં સૂવડાવે છે અને બાદમાં એક હોરર માણસ તીક્ષ્ણ કળીઓ સાથે આસપાસ ફરતો હોય છે.15 મિનિટ સુધી લોકોને શબપેટીમાં સૂવડાવી તેમને હોરર કહાની સંભળાવવામાં આવે છે જેથી તેઓ ડરથી ચીસો પાડી શકે. આ દરમિયાન શબપેટીમાં પડેલી વ્યક્તિને પણ…
ગુજરાતીમાં કહેવત છે કે રામ રાખે તેને કોણ ચાખે. ભગવાન જેને બચાવવા માંગે છે તેને કોઈ મારી ન શકે. તેવી જ એક ઘટના Chinaમાં સામે આવી જેમાં 4 વર્ષનું એક માસુમ બાળક 18માં માળેથી નીચે પટકાયું પરંતુ ચમત્કારિક રીતે તેનો બચાવ થયો. ચીનના હુબેઇ પ્રાંતના શિયાંગયાંગ શહેરમાં એક ચાર વર્ષનું બાળક પોતાના ઘરે એકલું હતું. માં-બાપ ઘરથી બહાર હતા. તે સોફા પર ચઢ્યો અને 180 ફુટ નીચે પડ્યો. આ ઘટના ગત 6 ઓગસ્ટના રોજની છે. એક અખબારમાં છપાયેલ સમાચાર મુજબ ડોક્ટરોએ જણાવ્યું કે China ના હુબેઇ પ્રાંતના શિયાંગયાંગ શહેરમાં 18માં માળેથી પટકાયેલા બાળક નીચે રહેલ એક ઝાડ પર પડવાને કારણે…
સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જાતકના શરીરના અંગ ફરકવા અનુસાર તેની સાથે બનનાર ઘટના વિશે ફળકથન કરી શકાય છે. નિષ્ણાંતો શરીરના અંગ ફરકવાના આધારે આ ફળકથન કરતાં હોય છે. 1. પુરુષના શરીરનું ડાબું અંગ ફરે તો તેને ભવિષ્યમાં દુખદ ઘટનામાંથી પસાર થવું પડે છે. જો તેનું જમણું અંગ ફરકે તો તેને શુભ સમાચાર મળે છે. મહિલાઓનું ડાબું અંગ ફરકે તો શુભ અને જમણી ફરકે તો અશુભ ઘટના બને છે. 2. જો બંને ગાલ ફરકે તો ધનલાભ થાય છે. 3. જો ડાબી આંખ ફરકે તો તેની ઈચ્છા પૂર્ણ થાય છે અને જમણી આંખ ફરકે તો તેને સારા સમાચાર મળે છે. પરંતુ જમણી આંખ વધારે સમય સુધી…
રાજ્યના વિવિધ જીલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ત્યારે ગુજરાતના દ્વારકા જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ત્યારે બીજી તરફ ખંભાળીયામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદનું આગમન થયુ છે. સતત વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો.
બિહારનો સંબંધ ગોટાળાઓ કે કૌભાંડ સાથે જુનો છે. અહીં ફરી એક વખત સરકારી યોજનામાં કૌભાંડ થવાનો ખુલાસો થયો છે. ચોંકાવનારી વાત એ છે કે આ કૌભાંડના ચક્કમાં લોકો પ્રકૃતિના નિયમો પણ ભુલી ગયા છે. એક 65 વર્ષીય મહિલાએ પાછલા 14 મહિનામાં 8 બાળકોને જન્મ આપ્યો છે. મેડિકલ સાઇન્સમાં આ અસંભવ છે પરંતુ નેશનલ હેલ્થમિશને તેને સંભવ કરી બતાવ્યું છે. એ પણ કાગળ પર, જેથી બાળકોના જન્મ લીધા બાદ આપવામાં આવતી પ્રોત્સાહન રકમ ચાઉ કરી જવા મળી શકે. વચેટીયાઓનું કૌભાંડ એક ખબર અનુસાર આ મામલો બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના મુશહરી જિલ્લાનો છે. નેશનલ હેલ્થ મિશન એટલે કે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન દ્વારા મળતી…
સુરતમાં પહેલીવાર યુપીની જેમ ગેરકાયદે દેશી તમંચા બનાવવાનું કારખાનાંનું PCB એ પાંડેસરા વિસ્તારમાંથી પકડી પાડયું છે. પોલીસ કમિશનર અજય તોમરના માર્ગદર્શન હેઠળ PCB ના PI એસ.જે.ભાટીયા અને સ્ટાફના હે.કો. સહદેવભાઈ વરવા અને યોગેશભાઈ કંસારાએ બાતમીને આધારે રવિવારે બપોરે પાંડેસરા અપેક્ષા નગરના પ્લોટ નં-215ના કારખાનામાં ચેકિંગ કરી હતી. દરમિયાન ત્યાંથી મનોજ લક્ષ્મી પ્રસાદ યાદવને દબોચી લીધો હતો. પકડાયેલા મનોજ કારખાનામાં દેશી તમંચો બનાવતો હતો. એક દેશી તમંચો તૈયાર પણ મળી આવ્યો હતો. 4 દેશી તમંચાનું મટીરીયલ અને એક જીવતા કાર્ટીઝ મળી આવ્યા હતા. આ તમામ સામાન પોલીસે કબજે કરી પકડાયેલા મનોજ યાદવની સાથે રાજમણી વિશ્વવર્મા દેશી તમંચો બનાવતો હતો. 15 દિવસમાં…