કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

જ્યૂરિખ ઈન્ટરનેશનલ ને જેવર એરપોર્ટનાં નિર્માણની જવાબદારી પ્રતિ યાત્રી દિઠ સૌથી વધારે 400.97 રૂપિયાની બોલી લગાવવામાં આવી છે. દિલ્હીનાં જેવર એરપોર્ટનાં નિર્માણ માટે જ્યૂરિખ એરપોર્ટ ઈન્ટરનેશનલને જવાબદારી મળી છે. મુખ્ય વાત એ છે કે આ ગ્રુપે અદાણી ગ્રુપ અને DIALનેપછાડીને આ બાજી મારી છે. નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓથોરિટીના સીઇઓ અરૂણ વિરસિંહે જણાવ્યું હતું કે 2 ડિસેમ્બરે આ કંપનીની બોલી રાજ્ય રાજ્ય નિરીક્ષણ અને અમલીકરણ સમિતિ સમક્ષ મૂકવામાં આવશે, ત્યારબાદ સત્તાવાર મહોર આપવામાં આવશે. જેવર એરપોર્ટના 29,560 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ માટે બોલી લગાવેલા ચાર જૂથોમાં એન્કરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ્સ લિમિટેડનો સમાવેશ છે. કેટલી બોલી? ઝિરીચ એરપોર્ટ ઇન્ટરનેશનલ જેનું મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડમાં…

Read More

સોનાના ઘરેણાઓનું હોલમાર્કિંગ 15 જાન્યુઆરી 2021થી અનિવાર્ય બનશે. કન્ઝ્યુમર મામલાઓના મંત્રી રામવિલાસ પાસવાને શુક્રવારે આ માહિતી આપી. મંત્રાલય 15 જાન્યુઆરી 2020એ નોટિફિકેશન બહાર પાડશે, પરંતુ આ નિર્ણયને લાગુ કરવા માટે એક વર્ષનો સમય આપવામાં આવશે, જેથી જ્વેલર સ્ટોક ક્લીયર કરી શકે. હોલમાર્કિંગ હાલ વૈકલ્પિક છે. દેશમાં માત્ર 40% જ્વેલરીનું જ હોલમાર્કિગ થઈ રહ્યું છે હોલમાર્કિંગ સોનાની શુદ્ધતાનો માપદંડ છે. સમગ્ર દેશમાં હાલ 800 હોલમાર્કિંગ સેન્ટર છે. માત્ર 40 ટકા જ્વેલરીનું જ હોલમાર્કિંગ થાય છે. ભારત વિશ્વમાં સૌથી વધુ સોનું આયાત કરે છે. બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ(BIS) દ્વારા હોલમાર્ક ગોલ્ડ જ્વેલરી પર બીઆઈએસનું નિશાન આપવામાં આવે છે. તેનાથી એ ખ્યાલ આવે…

Read More

મહાપાલિકામાં ટેન્ડર સ્ક્રૂટિની કમિટીની મળેલી બેઠકમાં શહેરના જુદા-જુદા વિસ્તારના 30 રસ્તાઓને ડામરના નવા સાકાર કરવા તેમ જ ટ્રેન્ચ રિપેરિંગ મરમ્મત કરવા માટે ટેન્ડર મંજૂર કરવામાં આવ્યાં છે. ડિફેક્ટસ લાયબિલિટી પિરિયડમાં જ શહેરભરમાં ચોમાસામાં ભારે વરસાદને પગલે સંખ્યાબંધ રસ્તાઓનું ધોવાણ થઈ ગયું હતું અને શહેરના મોટા ભાગના રસ્તાઓ ચંદ્રલોકની ધરતી સમાન બની જતાં લોકોએ પારાવાર પરેશાની સહન કરવાનો વખત આવ્યો. પાલિકાએ હોટમિક્સ મટીરિયલ્સ થકી રસ્તાઓ પર થાગડથીંગડ કર્યું હતું. વરસાદમાં ધોવાઈ જતાં જૈસે થૈ સ્થિતિ રહેતાં અનેક રજૂઆતો બાદ લોકોમાં રોષ ભભૂક્યો હતો. વરસાદ અટક્યા બાદ તાત્કાલિક મુખ્ય રસ્તાઓનું રિપેરિંગ કાર્ય કરી દીધું હતું. હવે શહેરના અઠવા-કતારગામ-રાંદેર-વરાછા-ઉધનામાં ચાર ચાર રસ્તાઓ, લિંબાયતમાં…

Read More

માગશર મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિએ શ્રવણ નક્ષત્રમાં સીતા-રામ લગ્નની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે ત્રેતાયુગમાં આ સંયોગ પર જ શ્રીરામ અને સીતાના લગ્ન થયાં હતાં. આ દિવસને વિવાહ પંચમી કહેવામાં આવે છે. આ વખતે આ પર્વ રવિવાર 1 ડિસેમ્બરે ઉજવવામાં આવશે. સીતા-રામ વિવાહ સાથે જોડાયેલાં પ્રસંગ વાલ્મીકિ રામાયણ અને તુલસીદાસ રચિત રામચરિત માનસમાં બતાવવામાં આવ્યાં છે. જેનાથી અનેક વાતો શીખવા મળે છે. તુલસી રામાયણ અર્થાત્ રામચરિત માનસમાં શ્રીરામ અને સીતાનો પુષ્પ વાટિકા પ્રસંગ બતાવ્યો છે. જે આ પ્રકારે છે- પુષ્પ વાટિકા પ્રસંગ- વિશ્વામિત્ર પોતાના શિષ્ય શ્રીરામ અને લક્ષ્મણની સાથે જ્યારે મિથિલા પહોંચે છે ત્યાં તેઓ જનકવાટિકામાં રોકાય…

Read More

દેશની સૌથી મોટી ઓટોમોબાઇલ કંપની ટાટા મોટર્સે તેની પ્રખ્યાત SUV Safari Stormeની જર્ની અહીં સમાપ્ત થઈ ગઈ. છેલ્લાં 21 વર્ષોથી લોકલ માર્કેટમાં શાનદાર પ્રદર્શન કર્યાં બાદ કંપનીએ આ SUVનું પ્રોડક્શન બંધ કરી દીધું છે. જો કે, આ અંગે હજી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં નથી આવી. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, કંપનીએ સફારી સ્ટોર્મનું પ્રોડક્શન બંધ કરી દીધું છે. કંપનીએ વર્ષ 1998માં પહેલીનાર સફારીને ઇન્ડિયન માર્કેટમાં રજૂ કરી હતી, ત્યારથી આ SUVને અનેકવાર અપડેટ કરવામાં આવી છે. વર્ષ 2006માં કંપનીએ Safari Dicorને એકદમ નવા અવતારમાં રજૂ કરી, ત્યારબાદ આશરે 6 વર્ષ પછી વર્ષ 2012માં કંપનીએ Safari Stormeને માર્કેટમાં ઉતારી,…

Read More

સરથાણા યોગીચોક સરદાર ફાર્મની સામે ગજાનંદ કોમ્પલેક્ષ સ્થિત એમ્બ્રોઇડરી સ્પેરપાર્ટસની દુકાનનો શટર અને લાકડાના દરવાજાનો નકુચો કાપી તસ્કરો બુધવારની રાત્રી દરમિયાન રૂ.10 લાખના પાર્ટસની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બોટાદના વતની અને સુરતમાં સરથાણા ગોદાવરી પાર્ક સોસાયટી પ્લોટ નં.2 માં રહેતા 32 વર્ષીય ગોપાલભાઈ શ્યામજીભાઈ વાસાણી સરથાણા યોગીચોક સરદાર ફાર્મની સામે ગજાનંદ કોમ્પલેક્ષ પહેલા માળે દુકાન નં.101 માં શ્રી સાંઈ એમ્બ્રોઇડરીના નામે એમ્બ્રોઇડરી સ્પેરપાર્ટસની દુકાન ધરાવે છે. ગત સવારે 10 વાગ્યે તે દુકાને પહોંચ્યા ત્યારે દુકાનના શટરનો નકુચો કાપેલો હતો અને શટર ઊંચું કરેલું હતું. તેમણે અંદર તપાસ કરી તો અંદરના…

Read More

પાંડેસરામાં એક વિસ્તારમાં ગઈકાલે સાંજે અજાણ્યા વાહને યુવાનને ટક્કર મારતા મોતને ભેટ્યા હતા જ્યારે બીજા વિસ્તારમાં પથ્થરના લીધે બેલેન્સ નહીં રહેતા બુલેટ સ્લીપ થવાથી ગંભીર ઇજા પામેલા યુવાનનું મોત નીપજયું હતું. નવી સીવીલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ પાંડેસરા આવેલા ચામુંડા હોટલ પાસે રહેતા 40 વર્ષીય તારાભાઈ સીબાભાઈ પુરોહિત ગઈકાલે સાંજે પાંડેસરાના બાટલીબોય સર્કલ પાસે કામનાથ મહાદેવ મંદિર નજીક પગપાળા જતા હતા ત્યારે પૂરપાટ હંકારતા અજાણ્યા વાહનચાલકે તેમને ટક્કર મારી હતી જેમાં તેમને ગંભીર ઈજા થતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. નોંધનીય છે કે તારાભાઈ મૂળ રાજસ્થાનના જાલોરના વતની હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તે પાનનો…

Read More

વડોદરા-હાલોલ રોડ ઉપર કેનાલની બહાર નીકળી આવેલા 12 ફૂટના મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વડોદરામાં વિશ્વામિત્રી નદીની સાથે-સાથે નર્મદા કેનાલ તેમજ અન્ય નદીઓમાં પણ મગરો મોટા પ્રમાણમાં વસવાટ કરી રહ્યા હોવાની વિગતોને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ગભરાટ ફેલાયો છે. શિયાળાની શરૂઆત થતાં રાત્રિના સમયે મગરો ગરમી લેવા માટે હાઇવે તરફ આવતા હોવાના વારંવાર બનાવો બની રહ્યા છે. આવા જ એક બનાવમાં ગઇરાત્રે વડોદરા- હાલોલ રોડ ઉપર નર્મદા કેનાલ પાસે સાડા અગિયારથી બાર ફૂટનો મહાકાય મગર આવી જતા વાહન ચાલકો અને ગ્રામજનોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. જીવ દયા પ્રેમી સંસ્થાની મદદ લેવાતા કાર્યકરોએ મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી મગરને ફોરેસ્ટ વિભાગને…

Read More

દાહોદમાં એક જ પરિવારના 6 સભ્યોની સામુહિક હત્યાથી સમગ્ર પંથકમાં ભારે અરેરાટી મચી જવા પામી છે. આ બનાવમાં પતિ-પત્નિ સહિત 4 બાળકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. આ બનાવને લઈ સંજેલી પોલીસ સહિતનો ઉચ્ચ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર દાહોદના તરકડા મહુડી ગામે થયેલ હત્યાકાંડ પ્રથમ દ્રષ્ટિએ સામૂહિક હત્યાનો બનાવ બન્યો છે. જેમાં પતિ-પત્નિ અને 4 બાળકોની પણ કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. ઘટનાની જાણ થતાં સંજેલી પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો છે. બનાવના સ્થળે પહોંચી પોલીસે તમામ પુરાવા…

Read More

સુરત પોલીસે એક એવા ઠગ દંપત્તીની ધરપકડ કરી છે કે જેમણે સરકારી નોકરીની લાલચ આપીને 8 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી આરોપી શૈલેષે ભોગ બનનારને પોતે નાયાબ કલેકટર છે તેવી ઓળખ આપી. અને તેની પત્ની સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સેન્ટરમાં નોકરી કરે છે તેવી ઓળખ આપી હતી. બંને જણાએ ભોગ બનનાર પરશોત્તમ ભાઈને એવી લાલચ આપી કે અમે તમારા પુત્રને સરકારી નોકરી અપાવીશું..સરકારી નોકરીની લાલચ આપીને આ બંટી બબલીએ પરસોત્તમ ભાઈ પાસેથી ટુકડે ટુકડે 8 લાખ રૂપિયા લીધા.પરંતુ તેમ છતા તેમના પુત્રને નોકરી ન મળી. જ્યારે આ ઠગ દંપત્તીને નોકરીની વાત કરતા તો તેઓ ગલ્લા તલ્લા કરતા હતા. જેથી પરસોત્તમભાઈને છેતરાયાનો અહેસાસ…

Read More