દાહોદમાં એક જ પરિવારના 6 સભ્યોની સામુહિક હત્યાથી સમગ્ર પંથકમાં ભારે અરેરાટી મચી જવા પામી છે. આ બનાવમાં પતિ-પત્નિ સહિત 4 બાળકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. આ બનાવને લઈ સંજેલી પોલીસ સહિતનો ઉચ્ચ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર દાહોદના તરકડા મહુડી ગામે થયેલ હત્યાકાંડ પ્રથમ દ્રષ્ટિએ સામૂહિક હત્યાનો બનાવ બન્યો છે. જેમાં પતિ-પત્નિ અને 4 બાળકોની પણ કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. ઘટનાની જાણ થતાં સંજેલી પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો છે. બનાવના સ્થળે પહોંચી પોલીસે તમામ પુરાવા મેળવી આગળની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતુ કે આ ઘટના પાછળ કોઈ અંગત અદાવત હોવાથી આ તમામની હત્યા કરવામાં આવી છે.પોલીસે ગ્રામજનો અને પરિવારના અન્ય સભ્યોની પૂછપરછ હાથ ધરી છે.
- ભરતભાઇ કડકીયાભાઇ પલાસ(ઉં.વ. 40)
- સમીબેન ભરતભાઇ પલાસ(ઉં.વ. 40)
- દિપિકા ભરતભાઇ પલાસ(ઉં.વ.12)
- હેમરાજ(ઉં.વ.10)
- દિપેશ(ઉં.વ. 8)
- રવિ(ઉં.વ.6)