પીઢ અભિનેતા રજનીકાન્તનું ગોવામાં આયોજીત રહેલા ૫૦માં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં સમ્માન કરવામાં આવશે. સૂચના અને પ્રસારણ મંત્રી જાવેડકરે આ બાબતની ઘોષણા શનિવારે કરી હતી. આ એવોર્ડથી કરવામાં આવશે સમ્માન જાવેડકરે જણાવ્યું હતું કેલ્ફિલ્મ ફેટિવલમાં રજનીકાન્તનું આઇકોન ઓફ ધ ગોલ્ડન જ્યુબીલી એવોર્ડ આપીને સમ્માન કરવામાં આવશે. તેને આ પુરસ્કાર સિનેમામાં અભૂતપૂર્વ યોગદાન માટે આપવામાં આવશે. આ ઘોષણા બાદ રજનીકાન્તે ટ્વીટ કરીને ભારત સરકાનો આભાર માન્યો હતો. ભારતના આંતરરાષ્ટ્રિય ફિલ્મ સમારંભની સુવર્ણ જયંતી પર મને આપેલા આ પ્રતિષ્ઠિ સમ્માન માટે હું ભારત સરકારનો આભારી છું, અને આભાર માનું છું. ફેસ્ટિવલમાં ૫૦ મહિલા ફિલ્મસર્જકોની ફિલ્મો દર્શાવવામાં આવશે આ ફિલ્મ ફેસ્ટિવલમાં ૫૦ મહિલા…
કવિ: Satya Day News
ટીવી ઉપર તમે રામાયણ કે કૃષ્ણલીલા જોઈ હશે, તો તમને ધ્યાન હશે કે તેમાં બતાવવામાં આવતા દાનવોનાં લાંબા-લાંબા દાંત હોય છે. ગયા વર્ષે જર્મનીમાં એવું જ કંઈક જોવા મળ્યુ હતુ. અહીં એક શખ્સનાં મોઢામાં 1.46 ઈંચ એટલેકે 3.7 સેન્ટિમીટર લાંબો દાંત નીકળ્યો હતો. આ દુનિયામાં સૌથી લાંબો માનવીય દાંત છે. જેનું નામ મંગળવારે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સમાં દાખલ કરવામાં આવ્યુ છે. આ દાંત મિઝો વોડોપિઝાના મોઢામાંથી નીકળ્યો હતો. જે મૂળ રૂપથી ક્રોએશિયાનો રહેવાસી હતો. પરંતુ પાછલાં થોડા વર્ષોથી જર્મનીના મેઝ શહેરમાં રહેતો હતો. ડૉક્ટર મેક્સ લુકાસ મુજબ, દાંતમાં તેજ દર્દની ફરિયાદ લઈને મિઝો ડૉક્ટરની પાસે પહોંચ્યો હતો. જ્યારે ડોક્ટરોએ તપાસ કરી…
સુરતના પાંડેસરા વિસ્તારમાં છઠ્ઠ પૂજા દરમિયાન કરૂણ ઘટના બની છે. 3 લોકો તળાવમાં ડૂબી ગયા. જે ઘટના બાદ સ્થાનિક લોકોએ ડૂબેલા યુવકોને બહાર કાઢીને 108 થી હોસ્પિટલ ખસેડયા હતા. જો કે કમનસીબે એક યુવકનું મોત થઇ ગયું છે. પાંડેસરા વિસ્તારમાં છઠ્ઠ પૂજા દરમિયાન મોટી સંખ્યામાં લોકો પૂજા કરી રહ્યા હતા ત્યારે આ કરૂણ ઘટના બની હતી.
શહેરના લાલગેટ વિસ્તારમાં મુસ્લિમ પરિવારની પુત્રવધુની સમયાંતરે છેડતી કરવા ઉપરાંત શારિરીક-માનસિક ત્રાસ આપી કનડગત કરનાર સસરા અને પૈસાની માંગણી કરનાર પતિ વિરૃધ્ધ મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે. લાલગેટ વિસ્તારમાં રહેતી આયેશા (નામ બદલ્યું છે)ના લગ્ન વાજીદ ગફાર ડેરીયા સાથે થયા હતા. લગ્નના એક વર્ષ સુધી દામ્પત્યજીવન રહ્યુ સુખમય અને પછી… લગ્નના એક વર્ષ સુધી દાંમ્પત્યજીવન સુખમય રીતે પસાર થયું હતું. પરંતુ ત્યાર બાદ સસરા ગફાર આદમ ડેરીયાએ આયેશાની કનડગત કરવાનું શરૃ કરી દીધું હતું. આયેશા કપડા ધોતી હોય ત્યારે પાછળથી ઘસી આવી પીઠના ભાગે હાથ ફેરવતો હતો. તો કયારેક પાણી આપવાના બહાને હાથનો સર્પશ કરતો હતો. આયેશા પોતાના રૃમમાં…
દક્ષિણ ભારતીય ફિલ્મોની જાણીતી અભિનેત્રી કાજલ અગ્રવાલ બોલીવૂડની ફિલ્મોમાં કામ કરીને પણ લોકપ્રિયતા મેળવી છે. તે આવતા વરસે લગ્ન કરવાની છે. આવતા વર્ષે કરશે લગ્ન સોશિયલ મીડિયાના એક પોર્ટલના અનુસાર, કાજલ આવતા વરસે લગ્ન કરવાની છે. તેણે પોતાનો જીવનસાથી મનોરંજન ઇન્ડસ્ટ્રીમાંથી ન પસંદ કરતા એક ઉદ્યોગપતિ પર પસંદગી ઉતારી છે. કાજલે સ્વયં આ વાતની ઘોષણા મીડિયાને કરી છે. જીવનસાથી પરિવારે કર્યો છે પસંદ કાજલનો જીવનસાથી તેના પરિવારજનોની પસંદગીનો છે. તેણે થોડા સમય પહેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેને મનોરંજનની દુનિયાને લગતા પુરુષ સાથે લગ્ન કરવામાં કોઇ રસ નથી. તેણે એમ પણ કહ્યું હતું કે, તે પહેલા એક સામાન્ય વ્યક્તિના…
વરિયાવ ચેક પોસ્ટ નજીક મહેશભાઇ રબારીના તબેલામાં પિતા સાથે રહેતી માતા વિહોણી ૬ વર્ષની માસુમ બાળાને તબેલમાં જ કામ કરતો યુવાન ફરવાના બ્હાને મોપેડ પર લઇ ગયા બાદ પરત નહીં આવતા જહાંગીરપુરા પોલીસ દોડતી થઇ ગઇ છે. વરિયાવ ચેક પોસ્ટ નજીક ગોગાધામ સોસાયટી (રબારીવાસ)માં મહેશ મોતીભાઇ રબારીના તબેલામાં દુધ દોહવાની સાથે ડ્રાઇવીંગ કામ કરતા અરજણ ઉર્ફે અર્જુન જયમલ દેસાઇ કરે છે. ચાર વર્ષ અગાઉ પત્નીનું બિમારીમાં મોત થતા 6 વર્ષની માસુમ પુત્રી કોમલ સાથે અરજણ તબેલામાં જ રહે છે. માત્ર બે વર્ષની ઉંમરે જ માતાનું છત્ર ગુમાવનાર કોમલને તબેલામાં જ કામ કરતા ત્રીસ વર્ષીય રાહુલ ખવડાવતો, રમાડતો અને બહાર ફરવા પણ લઇ જતો…
ઉધના દક્ષેશ્વર મંદિર નજીક એકટીવા સવાર બે લુંટારૂઓએ યુવાનને પાછળથી ધક્કો મારી રોડ પર પટકી દઇ ચપ્પુની અણીએ મોબાઇલ ફોન અને રોકડ મત્તા મળી કુલ રૂા. 13990ની લુંટ કરી ભાગી ગયા હતા. ઉધના બીઆરસી નજીક લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલના ખાતા નંબર સી/116, 117 માં રહેતા અને ત્યાં જ કામ કરતો શિવમુરત કૈલાશનાથ યાદવ (ઉ.વ. 33 મૂળ . મથુરાપુર, નઇબજાર, જિ. ભદોઇ, યુપી) ગત રાત્રે સાડા દસ વાગ્યાના અરસામાં ખાતા નજીક દક્ષેશ્વર મંદિર પાસેથી પગપાળા જઇ રહ્યો હતો ત્યારે એકટીવા સવાર ત્રણ લુંટારૂઓ પાછળથી ઘસી આવ્યા હતા. જે પૈકી એક લુંટારૂએ શિવમુરતને ધક્કો મારતા તે રોડ પર પટકાયો હતો અને માથામાં ઇજા થતા…
છેલ્લા ત્રણ મહિનાથી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની ઘટી રહેલી આવકના કારણો શોધવા અને આવક વધારવા માટે શું કરવું તે નક્કી કરવા માટે સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલી કમિટીમાં વેપારીઓના એક પણ પ્રતિનિધિ ને સૃથાન આપવામાં આવ્યું નથી. આમ ગ્રાઉન્ડ લેવલ રિયાલિટીને ન સમજી શકતાં અિધકારીઓની આ કમિટી તરફથી જીએસટીની ઘટતી આવકનો ઉકેલ મેળવવાની કવાયત મિથ્યા સાબિત થવાની સંભાવના વધારે છે. જીએસટીના નિષ્ણતો મજાક કરતાં કહે છે કે કાયદો કરવામાં ભૂલ કરનારા અિધકારીઓને જ કાયદાની ક્ષતિ શોધી સુધારવાની જવાબદારી સોંપવામાં આવી રહી છે. આ કમિટિમાં જ્યાં સુધી જીએસટીનો અમલ કરવામાં તકલીફનો સામનો કરી રહેલા વેપારીઓને અને અન્ય નિષ્ણાત સ્ટેક હોલ્ડર્સને સૃથાન…
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નિષ્ક્રિય કર્યા બાદ અને જમ્મુ-કાશ્મીર, લદ્દાખને નવો કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા બાદ ભારત સરકારે દેશનો નવો નકશો જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીર પુન:ગઠન અધિનિયમ 2019 જાહેર કર્યા બાદ જમ્મુ અને કાશ્મીર રાજ્ય, 31 ઑક્ટોબર 2019નાં નવા જમ્મુ-કાશ્મીર સંઘ રાજ્ય ક્ષેત્ર તથા નવા લદ્દાખ સંઘ રાજ્ય ક્ષેત્રમાં પુન:ગઠિત થઇ ગયું છે. નવા લદ્દાખ સંઘ રાજ્ય ક્ષેત્રમાં કારગિલ તથા લેહ બે જિલ્લા છે અને જમ્મુ અને કાશ્મીર રાજ્યનો બાકીનો ભાગ જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશમાં છે. 1947માં જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં 14 જિલ્લા હતા, જેમાં કઠુઆ, જમ્મુ, ઉધમપુર, રિયાસી, અનંતનાગ, બારામૂલા, પુંછ, મીરપુર, મુઝફ્ફરાબાદ, લેહ અને લદ્દાખ,…
વડોદરામાં વ્યાજખોરીના ખપ્પરમાં હોમાયેલા લોકો માટે એક તરફ પોલીસ ઝુંબેશ ચલાવી રહી છે ત્યારે બીજી તરફ વ્યાજખોરો દ્વારા મૂડી કરતાં પાંચ ગણી રકમ વસૂલ કર રહી હોવા છતાં એક વ્યક્તિ ઉપર હિંચકારો હુમલો થતાં સયાજીગંજ પોલીસે વ્યાજખોરો સામે કડક હાથે કાર્યવાહી નહીં કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સયાજીગંજ વિસ્તારના પરશુરામ ભઠ્ઠામાં રહેતા હનીફમિયાં શેખે પોલીસ કમિશનરને આપેલી અરજીમાં જણાવ્યું છે કે,મારા ભત્રીજા મોહસીને નજીકના હાજી કોમ્પ્લેક્સમાં રહેતા ફિરોજ ભાઈ પઠાણ પાસે વર્ષ 2017માં રૂપિયા 35000 ઉછીના લીધા હતા. જે પેટે રોજ બે ટકા લેખે રૂપિયા 700 વ્યાજ ચૂકવવાનું નક્કી કર્યું હતું. મોહસીને અત્યાર સુધીમાં વ્યાજ પેટે રૂપિયા દોઢ લાખ…