નેતાજી નું સ્ટીકર ચીપકાવી બેફામ ગાડી ચલાવી એક ને પતાવી દેનાર નેતા નહિ પણ પેપર મીલ નો માલીક પારસ શાહ નીકળ્યો !ગુજરાત વિધાનસભા નું સ્ટીકર પોતાની જીપ કંપાસ ઉપર ચીપકાવી નેતા હોવાનો વટ મારી પારડી ના ગોયમાં નજીક એક વ્યક્તિ ઉપર ટાયર ચડાવી પોતાની ગાડી નીચે કચડી નાખનાર પારડી નજીક આવેલી ઇદીસા પેપર મીલ નો માલિક પારસ શાહ હોવાની વાત સામે આવી છે એક વ્યક્તિ ની જિંદગી ભરખી જનારો પારસ શાહ નેતા કેવી રીતે બની ગયો તે પણ ચર્ચા નો વિષય છે ત્યારે પોલીસ આ વગદાર ઈસમ સામે કેવા પગલાં ભરશે તેતો સમય જ બતાવશે અત્રે નોંધનીય છે કે પારડી…
કવિ: Satya Day News
જીવતા લોકો સરકારી બાબુઓના ત્રાસ અનુભવતા હોય એવા અનેક કિસ્સાઓ આપે સાંભળ્યા હશે પરંતુ મૃત્યુ બાદ પણ સરકારી બાબુઓ કેવી રીતે મૃતકોના પરિજનોને ધક્કો ખવડાવી પૈસા ની માંગ કરી માનવતાને મોત ના ઘાટ ઉતારે છે તેવો બનાવ ત્યારે સામે આવ્યો જ્યારે રાજ્ય વીમા નિગમની કચેરીનો 65 હજારનો પગારદાર મેનેજર વિરેન્દ્ર સિંહ ઉમરાવ સિંહ પાલ 20 હજારની લાંચમાં એસીબીના છટકામાં ભેરવાયો. લાંચિયા મેનેજરે પેન્શન મંજૂર કરવા માટે લાંચ માંગી હતી. રાજ્ય વીમા નિગમની કચેરીમાં મેનેજરની નોકરી કરતા ઉમરાવ સિંધ પાલ રાજ્ય વીમા નિગમમાં ફરજ બજાવે છે અને મહિને 65 હજાર જેટલો પગાર ધરાવે છે.માનવતાની હત્યા કેવી રીતે થાય તે કોઈ સુરતના રાજ્ય…
વલસાડ જિલ્લાના કપારાડ તાલુકા ભાજપના પ્રમુખ અને જિલ્લા પંચાયતના આરોગ્ય ચેરમેન ગુલાબ રાઉત વીજ ચોરી કરતા ઝડપાઇ જતા વલસાડ જિલ્લા માં રાજકીય વર્તુળો માં આ પ્રકરણ ભારે ચર્ચાસ્પદ બન્યું છે ગુલાબ રાઉત ખુટલી ગામ સ્થિત મકાનમાં વીજચોરી કરતા હોવાનું બહાર આવ્યું છે , અત્રે ઉલ્લેખનીય છે કે વીજચોરી મામલે વિજિલન્સની 41 જેટલી ટીમોએ કપરાડા તાલુકામાં ઓચિંતું ચેકીંગ હાથ ધરી 68 જેટલા લોકોને વિજચોરી કરતાં ઝડપી લઈ રૂ. 14.10 લાખની વિજચોરી થતી હોવાનું પ્રકાશ માં આવ્યુ છે.
પારડી ના ગોયમાં ગામે વિધાનસભા નું સ્ટીકર મારેલી કંપાસ જીપ ના ચાલકે મોટર સાયકલ સવાર દંપતી ને અડફેટે માં લેતા એક નું મોત નિપજ્યું છે જ્યારે પાછળ બેઠેલા મહિલા ને ઇજાઓ થતા તેઓ ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. વિગતો મુજબ પારડી તાલુકાના સમરપડા ભજન ફળિયા મા રેહતા ભગુ ભાઈ જમસુભાઈ પટેલ અને નયનાબેન ઈશ્વરભાઈ પટેલ મંગળવારે હીરોહોન્ડા મોટર સાયકલ પર જઈ રહ્યા હતા ગોય મા ગામે જલારામ મંદિર સામે ના રોડ ઉપર બેફામ ગતિ થી ધસી આવેલ વિધાન સભા ના સ્ટીકર લગાવેલ જીપ કંપાસ કાર ચાલકે મોટર સાયકલ ને અડફેટે લેતા ભગુભાઈ નીચે ફંગોળાતા તેઓ ઉપર થી જીપ નું…
જો તમે નોકરી કરતાં હોવ તો તમારા માટે આ ખબર મહત્વ ની છે કારણ કે, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન કર્મચારીઓની લઘુત્તમ માસિક પેન્શનને બેગણુ કરી 2000 રૂપિયા કરવા પર નિર્ણલ લઇ શકે છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, નાણા મંત્રાલયે શ્રમ મંત્રાલયને પેન્શન વધારવા માટે અલગ-અલગ પ્રસ્તાવોમાંથી કોઇ એક પ્રસ્તાવ પર સહમતિ માટે કહ્યું છે. જણાવી દઇએ કે કર્મચારી ભવિષ્ય નિધિ અંતર્ગત આવતા કર્મચારીઓના મૂળ વેતનના 12% પીએફમાં જાય છે. આટલુ યોગદાન કંપની પણ આપે છે. પરંતુ કંપનીના 12% યોગદાનમાંથી 8.33% EPS (Employee Pension Scheme) માં જાય છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર પણ તેમાં મૂળ વેતનના 1.16% નું યોગદાન આપે…
કોઈ ફોન લાખો લોકોની મોતનું કારણ બની જાય, સાંભળવામાં કંઈક વિચિત્ર લાગે છે. પરંતુ તમે આની વાર્તા સાંભળશો તો દંગ રહી જશો. આ ટેલિફોન વર્ષ 1945નો છે તેવું જાણકારો કહી રહ્યા છે. વર્ષ 2017માં અમેરિકામાં આ ફોનની હરાજી થઈ હતી, જેમાં આ ફોન અંદાજીત બે કરોડ રૂપિયામાં વેચાયો હતો. જોકે આ ફોનનો ખરીદનાર કોણ હતું તે બાબતનો હજુ સુધી ખુલાસો થયો નથી. આ ટેલિફોન જર્મનીનાં ખૂંખાર તાનાશાહ હિટલરનો હતો. તેની ગણનાં વિશ્વનો સૌથી ક્રૂર તાનાશાહોમાં થાય છે. મૂળ રૂપે આ ફોન કાળા રંગનો હતો, ત્યાર પછી તેને લાલરંગમાં રંગવામાં આવ્યો હતો. આ ફોન પર હિટલરનું નામ અને સ્વાસ્તિકનું ચિહ્ન પણ…
ચેન્નાઈના પોર્ટ પર એક બિલાડીએ લોકોને અસમંજસમાં મૂકી દીધા છે. પોર્ટના અધિકારીઓએ જણાવ્યું કે, અમને શંકા છે કે, આ બિલાડી ચીનથી આવેલા કન્ટેનર સાથે આવી છે. તે કોરોના વાઈરસ ગ્રસ્ત હોઈ શકે છે,આ આથી તેને પરત ચીનમાં જ મોકલવી જોઈએ. તો બીજી તરફ પશુઓના અધિકારીઓ માટે કામ કરતી સંસ્થા પેટાએ આ વાતનો વિરોધ કરી રહી છે. પેટા ઈન્ડિયાની મેમ્બર રશ્મિ ગોખલેએ ચેન્નાઈના અધિકારીઓને એક લેટર મોકલીને કહ્યું કે, વૈજ્ઞાનિક રીતે સાબિત થઈ ગયું છે કે બિલાડીને કોરોના વાઈરસનો ચેપ લાગી શકતો નથી,કે ના તો તે કોરોના વાઈરસ ફેલાવી શકે છે. આ બિલાડી 20 દિવસ પહેલાં એક કન્ટેનર સાથે ચીનના પોર્ટ…
બ્રિટનમાં લિવરપૂલ શહેરમાં રહેતા 70 વર્ષીય બર્ની કેરોલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે. તેઓ છેલ્લા 42 વર્ષથી લિવરપૂલ ઈકો ન્યૂઝ પેપરને રોજ સમાચાર લખેલા પત્રો મોકલે છે. તેમના લેટરમાં મોટાભાગની ફરિયાદો જ હોય છે. તેઓ 250 શબ્દોના લેટરમાં સ્થાનિક પ્રશાસનને ફરિયાદ કરે છે. બર્નીએ વર્ષ 1978માં પ્રથમ લેટર લખ્યો હતો, તે સમયથી લઈને આજ સુધી તેમને ફરિયાદો લખવાનું બંધ કર્યું નથી. લિવરપૂલ ઈકો ન્યૂઝપેપર પર તેમની આ મહેનતને વ્યર્થ જવા દેતું નથી. તેમના 3-4 લેટર દર અઠવાડિયે છાપામાં પબ્લિશ થાય છે. તેઓ પત્રમાં ફરિયાદ, સલાહ અને ઓફર જેવા ટોપિક પર લખે છે. હાલમાં પાર્કમાં ફેલાયેલી ગંદકી અને રેલિંગને…
ચાઈનીઝ ટેક કંપની ઓપો તેની પ્રથમ સ્માર્ટવોચ 6 માર્ચે ગ્લોબલી લોન્ચ કરશે. કંપનીના ટ્વિટર અકાઉન્ટ પર વોચની તસવીર શેર કરવામાં આવી છે. વોચનાં બ્લેક અને ક્રીમ કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવશે.આ સ્માર્ટવોચનું લોન્ચિંગ ભારતમાં 6 માર્ચે બપોરે 2:30 વાગ્યે ‘ઓપો ફાઈન્ડ X2’ સ્માર્ટફોન સાથે કરવામાં આવશે. શિયલ મીડિયા પર વોચની તસવીર પણ લીક થઇ છે. તેમાં વોચનું સેટિંગ પેજ જોવા મળી રહ્યું છે. વોચમાં મલ્ટિ ફંક્શન બટન આપવામાં આવશે. સિક્યોરિટી માટે વોચમાં પાસવર્ડ પ્રોટેક્શન પણ આપવામાં આવી શકે છે. વોચ સાથે સિલિકોનની સ્ટ્રિપ્સ આપવામાં આવશે. કંપનીના વાઇસ પ્રેસિડન્ટ બ્રાઇન શેનના ટ્વીટ્સ મુજબ, સ્માર્ટવોચમાં કર્વ્ડ ગ્લાસ અને 3D ગ્લાસ આપવામાં આવશે.…
શુક્રવાર, 6 માર્ચે ફાગણ મહિનાના સુદ પક્ષની આમલકી એકાદશી છે. આ દિવસે આંબળાના વૃક્ષની વિશેષ પૂજા કરવામાં આવે છે. આંબળા પણ ભગવાન વિષ્ણુનું જ એક સ્વરૂપ છે. જેથી આમલકી એકાદશીએ આંબળાની પૂજા કરવાની પરંપરા છે. એકાદશીએ ભગવાન વિષ્ણુ માટે વ્રત કરવામાં આવે છે. આ તિથિએ વિષ્ણુજી અને તેમના અવતારોની વિધિ-વિધાનથી પૂજા કરવી જોઇે. એકાદશીએ સવારે જલ્દી ઉઠવું અને સ્નાન બાદ ગણેશજીની વિધિવત પૂજા કરવી. ત્યાર બાદ શ્રીકૃષ્ણની પૂજા કરતાં પહેલાં હાથને જળથી ધોઇ લેવાં. ત્યાર બાદ શ્રીકૃષ્ણના હાથ માટે જળ અર્પણ કરો. હાથ ધોવા માટે સુગંધિત ફૂલના જળનો ઉપયોગ કરવો જોઇએ. સુગંધિત જળથી જ બાળ ગોપાળને સ્નાન કરાવડાવવું. બાળ ગોપાળ…