કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

આવનારા દિવસોમાં બની શકે કે તમારે પેમેન્ટ કરવા માટે કોઈ કાર્ડ અથવા રોકડ રકમની જરૂર નહીં પડે તમે તમારા હાથને સ્કેન કરીને પેમેન્ટ કરી શકશો. એક રિપોર્ટ્સ અનુસાર જાણવા મળ્યું છે કે એમેઝોન એક ટેસ્ટિંગ કરી રહ્યું છે. જેનાથી સ્ટોર પર સામાન ખરીદ્યા બાદ તમે બોયોમેટ્રીક ટેક્નોલોજીનો પ્રયોગ કરીને પેમેન્ટ કરી શકશો. માહિતી છે કે એમેઝોન તેના બધા ફૂડ્સ અને સુપર માર્કેટ સ્ટોર માટે આવતા વર્ષ સુધી લાગુ કરશે. આ સ્કેનિંગ ટેકનિક મોબાઈલ ફોન ફિંગર પ્રિન્ટ સ્કેનરથી અલગ હશે. તેના માટે ફિઝિકલી ટચ કરવું કરવાનું રહે હથેળીને દૂરથી જ સ્કેનિંગ કરીને પેમેન્ટ થઈ જશે. તેના માટે તમારી હથેળીઓને ડિટેલ સાથે…

Read More

અમરાઈવાડી વિસ્તારમાં મકાન થયું ધરાશય ફાયર વિભારની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સાંકડી ગલી હોવાથી બચાવ કાર્યમાં થોડીક મુશ્કેલી થઈ રહી છે. ગઈકાલે રાત્રે અમદાવાદમાં વરસાદ ખાબક્યો હતો. ત્યારે તંત્રનાં ઉચ્ચ અઘિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. ત્યારે કાટમાળમાંથી પાંચ વ્યકિતઓને બચાવીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. મકાન ધરાશાયી થતા લોકોના ટોળા ઉમટી પડ્યા છે અને ભીડને કાબુમાં લેવા માટે પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે.બચાવ કાર્ય યુદ્ધના ધોરણે હાથ ધરાયુ છે.આ મકાન ઘણા વર્ષો જુનુ બે માળ મકાન જર્જરિત હાલતમાં તૂટી પડ્યું છે. ત્યારે આ ઘટનનાને પગલે આજુબાજુનાં મકાનો તકેદારીના રૂપે ખાલી કરાયા છે.

Read More

સુરતના કતારગામમાં આવેલા ગોધાણી જેમ્સ નામની કંપનીએ વધુ 300 રત્નકલાકારોને છૂટા કર્યા છે. કંપનીના નિર્ણયને કારણે હીરાના કારીગરોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. છુટ્ટા કરાયેલા રત્નકલાકારો કતારગામના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં એકઠા થયાં હતા અને ત્યાર બાદ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી કલેક્ટરને લખિત રજૂઆત કરી હતી. કલેક્ટર આ મુદ્દે મધ્યસ્થી કરી રત્નકલાકારોના હિતમાં ઉકેલ લાવે તેવી માંગ સાથે ધરણા પર ઉતર્યા હતા. રત્નકલાકારોનું કહેવું છે કે તેમને કોઇ પણ લેખિત જાણ કર્યા વગર કંપની દ્વારા છુટા કરવામાં આવ્યા છે. જેના કારણે રત્નકલાકારોને ઘરખર્ચ, બાળકોના અભ્યાસ માટેની ફી, ઘરનું ભાડું સહિત અનેક સમસ્યા સર્જાઇ છે. મહત્વનું છે કે ગોધાણી જેમ્સે થોડા દિવસ પહેલા…

Read More

કાશ્મીર મુદ્દે દુનિયાભરમાં એકલુ પડી ગયેલુ પાકિસ્તાન ગમે તે ભોગે આ મામલો સળગતો રાખવા માંગે છે. પાકિસ્તાને હવે પીઓકેમાં ભારતની બોર્ડરને અડીને બાઘ અને કોટલી સેક્ટરમાં વધુ 2000 સૈનિકોની તૈનાતી કરી છે. ભારતીય સેનાના સૂત્રોના કહેવા પ્રમાણે આ સૈનિકોને બેરેકમાંથી નિકાળીને લાઈન ઓફ કન્ટ્રોલના 30 કિમીની અંદર તૈનાત કરાયા છે. ભારતીય સેના પાકિસ્તાનની દરેક હિલચાલ પર નજર રાખી રહી છે. લશ્કરે તોયબા અને જૈશ એ મહોમ્મ્દ જેવા આતંકી સંગઠનોએ મોટા પાયે આતંકવાદીઓની ભરતી શરૂ કરી છે ત્યારે જ પાકે સૈનિકોની તૈનાતી વધારી છે. સૂત્રોનુ કહેવુ છે કે, લદ્દાખ નજીકની પોતાની ચોકીઓ પર પણ પાક સેના મોટી સંખ્યામાં હથિયાર અને સૈન્ય…

Read More

વડોદરા શહેરના ચારે બાજુ બિલ્ડરો દ્વારા સોસાયટી અને અપાર્ટમેન્ટ બાંધવામાં આવે છે પરંતુ તેઓ રહીશોની પાયાની જરૂરિયાત એવી રસ્તો બનાવવાની કોઈ તકેદારી રાખતા નથી અને તેવું જ પાલિકા તંત્ર પણ નવી બંધાતી સોસાયટીઓ ના વિસ્તારમાં રસ્તા બનાવવાની રજૂઆત કરવા છતાં તેઓ દ્વારા આ બાબતે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી, જેના કારણે શહેરના ડેવલપમેંટ વિસ્તારમાં રહેતા રહીશોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વડોદરા પંચામૃત રેસિડન્સીમાં રહેતા રહીશો રસ્તાના કારણે મુશ્કેલીમાં મુકાયા છે. વિસ્તારના રસ્તા રહીશોના જણાવ્યા અનુસાર તેઓની રેસીડન્સી બન્યા બાદ બિલ્ડરો અને તંત્રને રસ્તા બનાવવાની વારંવાર રજૂઆત કરવા છતાં બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના બહેરા કાને તેની રજૂઆત ધ્યાનમાં લેવાતી નથી…

Read More

ભારે વરસાદને કારણે મુંબઇ ખરાબ હાલતમાં છે. આખું મુંબઇ જળબંબાકાર છે. આ વરસાદમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના ઘરે પણ ગંદુ પાણી ઘૂસી ગયું હતું. અમિતાભ બચ્ચનના ઘરની બહાર રસ્તાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં ઘરનો ગેટ પાણીથી ભરેલો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં દેખાય છે કે ઘરની બહાર ગંદુ પાણી છે જે ઘરની અંદર પણ પહોંચી ગયું છે. અમિતાભ બચ્ચનનો બંગલો જુહુ વિસ્તારમાં છે. બંગલામાં પાણી ભરાવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવતાં ચાહકો પણ નારાજ થયા હતા. અમિતાભ બચ્ચનના ચાહકો એવા પ્રશ્નો પૂછી રહ્યા છે કે ઘરમાં બધું સારું છે કે નહીં. જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન આ…

Read More

સોશિયલ મીડિયા પર કોઈપણ સામગ્રી શેર કરવાનો મુખ્ય ઉદ્દેશ શક્ય તેટલા લોકો સુધી પહોંચાડવાનો છે. જો કે, કેટલીક તકનીકી વિષયો સહિત ઘણી વસ્તુઓની કાળજી લેવી જરૂરી છે. હેશટેગ આ વિષય પર આધારિત એક શક્તિશાળી માધ્યમ છે, જેનો યોગ્ય ઉપયોગ કોઈપણ પોસ્ટને અસરકારક બનાવી શકે છે. હેશટેગ એટલે શું? તમે ચોક્કસ શબ્દની આગળ ‘#’ નિશાની ટ્વિટર, ફેસબુકમાં કે ઘણા સોશિયલ પ્લેટફોર્મ પર ઘણી વાર જોઇ હશે. તે આપેલ શબ્દને એક કડીમાં રૂપાંતરિત કરવાનું કામ કરે છે અને આખી રમત અહીંથી શરૂ થાય છે! ઉદાહરણ તરીકે જો હું કોઈ સંદેશ અથવા લિંક શેર કરું છું, તો તેના વર્ણનમાં #Satyaday લખું, પછી તે…

Read More

આજકાલ રાજ્યમાં ક્રાઇમનો રેસિયો દિવસેને દિવસે વધી રહ્યો છે. આરોપીઓને જાણે હવે પોલીસ કે કાયદાનો ભય રહ્યો જ ના હોય તેમ બેફામ ગુનાઓ આચરતા જ જાય છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી બળાત્કારની ઘટનાઓ વધી જાય છે. ત્યારે જૂનાગઢના માળીયા હાટીનાના પીપળવા ગામે રૂવાટા ઉભા થઇ જાય તેવી ઘટના સામે આવી છે. માળીયા હાટીનાના પીપળવા ગામની ઘટના એક શખ્સે પોતાની પત્નીનું બીજા સાથે અફેર હોવાની શંકાએ ઘરમાં 15 દિવસ સુધી બાંધીને રાખ્યા બાદ છરી અને બ્લેડ વડે પત્નીના ગુપ્ત ભાગે ચરકા માર્યા હતા. હાલ આ ઘટનાનો પડઘા વિસ્તારમાં ચારેકોર પડી રહ્યા છે. આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે,…

Read More

સુપ્રિમ કોર્ટે ગુરુવારે પી.ચિદમ્બરમની અરજી પર સુનાવણી કરતી વખતે દિલ્હી હાઈકોર્ટના આદેશ સામે દાખલ આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું, પ્રારંભિક તબક્કે આગોતરા જામીનની મંજૂરીથી તપાસને વિપરીત અસર થઈ શકે છે. આગોતરા જામીન આપવા માટે આ સારો કેસ નથી. આર્થિક ગુનાઓ જુદા જુદા સ્તરે હોય છે અને તેની સાથે અલગ કાર્યવાહી કરવી જોઇએ. સુત્રોના જણાવ્યા અનુસાર જામીન અરજી નામંજૂર થયા બાદ ઇડી આજે ચિદમ્બરમની કોર્ટમાં અરજી દાખલ કરીને તેની કસ્ટડી મેળવી શકે છે. જે બાદ કોંગ્રેસના નેતાને તપાસ એજન્સીની કસ્ટડીમાં મોકલી શકાય છે. હાલ તે સીબીઆઈની કસ્ટડીમાં છે. જેની મુદત ગુરુવારે સમાપ્ત થઈ રહી છે. રાઉઝ એવન્યુ કોર્ટમાં…

Read More

કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હીકલ એક્ટમાં સુધારો કરી ટ્રાફિક નિયમો કડક બનાવ્યા છે ,ત્યાં શહેરમાં એચએસઆરપી નંબર પ્લેટ માટે આરટીઓમાં લાઈનો લાગી હતી. આ વખતે આરટીઓમાં સર્વર બે કલાક સુધી બંધ થઈ જતા સેંકડો અરજદારો મોડી સાંજ સુધી નાણાં ભરવા માટે ઉભા રહ્યા હતા. આરટીઓ કચેરીમાં છેલ્લા બે દિવસથી લોકો એચએસઆરપી નંબર પ્લેટ લગાવવા માટે જુદી જુદી ઓળખાણો લાવીને તુરત કરી આપવા માટે માંગણી કરી રહ્યા હતા. બીજી તરફ અધિકારીઓ કેટલા વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટો લગાવવામાં આવી અને કેટલા વાહનોમાં હજુ બાકી સહિતનો ડેટા માંગી રહ્યા હતા. અમદાવાદ શહેરમાં ૧૯૯૬ થી અત્યાર સુધીમાં ૪૧ લાખ ૯૦ વાહનો આરટીઓમાં રજિસ્ટ્રેશન થયા…

Read More