આક્રમક શિવસેનાએ ફરી એકવાર ભાજપને ટોણો માર્યો હતો. પોતાના મુખપત્ર સામનાની આજની અર્થાત્ શનિવારની આવૃત્તિમાં પ્રગટ થયેલા અગ્રલેખમાં શિવસેનાએ પૂછ્યું હતું કે હરિયાણામાં તમારે સમાધાન કરવું પડ્યું ને ? એ જ રીતે મહારાષ્ટ્રમાં પણ કરવું પડશે. અમારી સાથે યુતિ કર્યા વિના છૂટકો નથી. અગ્રલેખમાં વધુમાં જણાવાયું હતું કે તમારો વિજયઘોડો 40ના આંકડા પર અટકી ગયો હતો. હવે બહુ ગુમાન નહીં કરો. ‘મહારાષ્ટ્રમાં 220નો આંકડો પાર ન પડ્યો એમ હરિયાણામાં અબ કી બાર પચહત્તર કી બારનો નારો ચાલ્યો નહીં. ઘોડો 40 પર અટકી ગયો. કોંગ્રેસ પક્ષે ધાર્યા કરતાં સારો દેખાવ કર્યો અને 31 બેઠકો પર કબજો જમાવી લીધો.’ આ અગ્રલેખમાં કોંગ્રેસના…
કવિ: Satya Day News
દિવાળી મહોત્સવ ધનતેરસથી શરૂ થઈને ભાઈબીજ સુધી ચાલે છે. આ 5 દિવસોના તહેવારોમાં પહેલાં દિવસે આયુર્વેદ અને ઔષધીઓના દેવતા ધનવંતરીની પૂજા કરવામાં આવે છે. બીજા દિવસે કાળી ચૌદશ તિથિએ ધર્મરાજની પૂજા અને દીપદાન કરવામાં આવે છે. તેના બીજા દિવસે અર્થાત્ આસો મહિનાની અમાસના દિવસે લક્ષ્મીજીની પૂજાની સાથે જ દિવાળી ઉજવવામાં આવે છે. દિવાળીના બીજા દિવસે અર્થાત્ એકમની તિથિએ ગોવર્ધન પૂજા અને ગુજરાતી હિન્દુઓનું નવું વર્ષ ઉજવવામાં આવશે. તેના બીજા દિવસે અર્થાત્ બીજના દિવસે ભાઈબીજના તહેવાર સાથે જ આખો દિપોત્સવી મહોત્સવ પૂરો થઈ જાય છે. દિવાળી મહોત્સવ શા માટે? 5 દિવસો સુધી ચાલનારા આ દિવાળી મહોત્સવ મનાવવાનું કારણ એ છે કે…
ગામડાંની વાત થતી હોય ત્યારે સામાન્ય રીતે ઇનોવેશનની અપેક્ષા લોકો ઓછી કરતા હોય છે પરંતુ હરિયાણાનાં કુંજપુર ગામના 3 યુવાનોએ આ વાતને ખોટી પુરવાર કરી છે. આ ગામના 3 અગ્રવાલ ભાઈઓ અમિત ,આદિત્ય અને અનુજે ભેગા મળીને ગામને સ્વચ્છ રાખીને વીજળીનું ઉત્પાદન કરે છે. હરિયાણાના કુંજપુર ગામમાં ઠેર ઠેર છાણનો અંબાર જોવા મળતો હતો અને તમામ જૈવિક કચરો ગામની ગટરમાં જતો હતો. તેને લીધે ગામમાં અનેક સમસ્યા ઊભી થતી હતી. તેને જોઈને ગામના અગ્રવાલ ભાઈઓએ આ સમસ્યાને નિવારવા માટે જૈવિક ખાતર બનાવવાનો વિચાર આવ્યો. આદિત્ય અગ્રવાલે તેના પિતા નવલ કિશોર અગ્રવાલની સલાહ અને ભાઈઓના સહયોગથી તેમની ફેક્ટરીની પાસે વર્ષ 2014માં…
દિશા પટનીની ફિલ્મ ‘કેટીના’નું શૂટિંગ 25 ઓક્ટોબરથી શરૂ થયું છે. આ ફિલ્મમાં દિશાનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે, જેમાં તે એકતા કપૂરની જેમ જ બ્રેસલેટ્સ તથા રિંગ્સ સાથે જોવા મળે છે. નોંધનીય છે કે આ ફિલ્મનું પ્રોડક્શન એકતા કપૂર કરી રહી છે. એકતાની બાયોપિક હોવાની ચર્ચા દિશાનો ફર્સ્ટ લુક શૅર કરતાં એકતાએ કહ્યું હતું, ‘કેટીના’ના બધાને જય માતાદી (તે પહેલાં ટીના હતી પરંતુ હવે કેટીના, કારણ કે તેના પર ‘કે’ સૂટ કરે છે, એવું તેને જ્યોતિષીએ કહ્યું છે) પરંતુ યાર આટલી બધી રિંગ્સ કોણ પહેરે છે? દિશા પટની આજ પહેલાં ક્યારેય આવી જોઈ નહીં હોય. મનપસંદ વાર્તા, શૂટિંગ શરૂ. ફર્સ્ટ…
સુરતના હીરાના વેપારમાં ખરેખર મંદીને પગલે હીરાના કારીગરો ભોગ બની રહ્યાં છે, જેનો કિસ્સો સામે આવ્યો છે. હીરાના કારખાનાઓમાં મંદીના કારણે કામ ન હોવાથી સુરતના 5 હીરાના કારીગરોએ યુ ટ્યુબ પર વીડિયો જોઇને 4 મહિનાથી નોટો છાપવાનુ શરૂ કર્યું હતું. આ બનાવટી નોટો વડોદરાના બજારમાં ફરતી કરનાર બે શખ્સોની એસઓજીએ બે દિવસ પહેલાં ધરપકડ કરી હતી અને ત્યારબાદ બંને આરોપીની પૂછપરછમાં તપાસ સુરત સુધી પહોંચી હતી. એસઓજી પોલીસે સુરતમાંથી આ કાવતરાના માસ્ટર માઇન્ડ સહિત વધુ 5 આરોપીની ધરપકડ કરી છે. બે કલર પ્રિન્ટર, બનાવટી નોટો મળીને 22,300 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત બે દિવસ પહેલાં જ વડોદરા શહેર એસઓજી પોલીસે રૂ. 87500ની…
રિઝર્વ બેંક ત્રીસ વર્ષના ગાળામાં પહેલીવાર સોનું વેચવાનું વિચારી રહી હોવાનું જાણવા મલ્યું હતું. એમ લાગે છે કે જાલાન સમિતિએ કરેલી ભલામણોનો અમલ કરવાની દિશામાં રિઝર્વ બેંક સક્રિય થઇ હતી. જાલાન સમિતિએ એવી ભલામણ કરી હતી કે રિઝર્વ બેંકે સોનાના વેપારમાં ઝંપલાવવું જોઇએ. આ વર્ષના જુલાઇ-ઑગસ્ટથી રિઝર્વ બેંકે એ ભલામણના અમલનો આરંભ કર્યો હતો. જુલાઇમાં રિઝર્વ બેંકે 5.1 અબજ ડૉલર્સનું સોનું ખરીદ્યું હતું અને લગભગ 1.15 અબજ ડૉલર્સનું સોનું વેચ્યું હતું. રિઝર્વ બેંકના સાપ્તાહિક રિપોર્ટમાં આ વાત પ્રગટ કરાઇ હતી. સોનાના વેપારમાં નક્કી કરેલી મર્યાદાથી વધુ આવક થતાં રિઝર્વ બેંક નરેન્દ્ર મોદી સરકાર સાથે એ આવક વહેંચશે એવું પણ જાણવા…
ઘટનાની જાણ થતા દોડી આવેલા પતિએ નાકમાંથી લોહી નીકળતી અને શ્વાસ રૂંધાવાથી બેભાન થયેલી પત્નીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા પાંડેસરા વિસ્તારમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવાને પરિણીતાને બે મિનીટ મળવાના બ્હાને બોલાવી બંધ રૂમમાં લઇ જઇ “તુને મુઝે ધોખા દિયા હૈ તુ મુઝધે નહી ચાહતી” એમ કહી દુપટ્ટા વડે ગળું દબાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. ગળુ દબાવતા નાકમાંથી લોહી નીકળવાની સાથે બેભાન થઈ જતા પરિણીતાને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીઓમાં આપને પૂરા એક ટકો પણ મત ન મળ્યા એવું જાણવા મળ્યું હતું. અરવિંદ કેજરીવાલનો જાદુ બેમાંથી એક્કે રાજ્યમાં ચાલ્યો નહીં. જો કે ભાજપની સ્થિતિ પણ બહુ સારી ન કહેવાય. એની બંને રાજ્યોમાં બેઠકો ઓછી થવા ઉપરાંત એની રાજકીય વગ ઘટી હોવાનું જોઇ શકાયું હતું. તમામ એક્ઝિટ પોલ્સે એવો વર્તારો જાહેર કર્યો હતો કે ભાજપ ધૂમધડાકાભેર બંને રાજ્યોમાં પુનરાગમન કરશે પરંતુ તમામ એક્ઝિટ પોલ્સે આ વખતે માર ખાધો હતો. સૌથી વધુ નુકસાન આપ અને બસપાને થયું હતું. માયાવતીની હતાશાનો પાર નહીં રહ્યો હોય. અન્યત્ર તો ઠીક, ઉત્તર પ્રદેશમાં પણ બસપા ધાર્યાં પરિણામો મેળવી શકી નથી એ…
ગુજરાત પેટા ચૂંટણીના પરિણામ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે. જે અંતર્ગત અમિત શાહ સવારે 9.45 થી 10.00 વાગ્યા સુધીમાં ગાંધીનગર કોર્પોરેશનમાં કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમનું લોકર્પણ કરશે. તો 10.00 થી 11.30 મહાત્મા મંદિરના કાર્યકમમાં હાજરી આપશે. બપોરે 12.00 વાગ્યે કલોલ ખાતે પહોંચશે જ્યાં કલોલ ઓવર બ્રિજનું લોકાર્પણ કર્યા બાદ APMCના વિશાળ ગેટનું લોકર્પણ કરશે. ત્યારબાદ તેઓ ડો.અતુલ પટેલની કોલેજમાં જાહેર સભામાં સંબોધન કરશે. અમિત શાહ કલોલનો કાર્યકમ પૂર્ણ કર્યા બાદ અમદાવાદ તેમના નિવાસસ્થાને જવા રવાના થશે.
ફટાકડાની શોધ ભલે મોર્ડન માનવામાં આવતી હોય પરંતુ પ્રાચીન ભારતમાં લોકો વિસ્ફોટ અને અગ્નિ પ્રકાશ ફેલાય તે પ્રકારના ફટાકડાથી પરીચિત હતા.તેનો ઉલ્લેખ ઇસ પૂર્વના કૌટિલ્યના અર્થશાસ્ત્રમાંથી પણ મળે છે. જેમાં અગ્નિમાં ઝડપથી સળગી ઉઠે તેવા ગંધક પ્રકારના એક ચૂર્ણનું વર્ણન છે. આ ચૂર્ણને અગ્નિમાં નાખવાથી પ્રકાશના તેજ લિસોટા પડે છે. એટલું જ નહી જો તેને કોઇ ઠોસ નળાકારમાં ભરવાથી વિસ્ફોટ થાય છે. એક ખાસ પ્રકારનું લવણ જેને બારિક રીતે પીસી લેવાથી ઝડપથી સળગી ઉઠે તેવું ચૂર્ણ બની જાય છે.તેમાં ગંધક પ્રકારના તત્વ અને કોલસાની જીર્ણ ઉમેરી દેવામાં આવે તો તે વધુ વિસ્ફોટ બની જાય છે. સામાન્ય રીતે દારુગોળાની શોધ ચીનમાં…